વડાપ્રધાન મોદીના યૂએસ પ્રવાસ દરમ્યાન બન્ને દેશો વચ્ચે થઇ શકે છે મોટા ઊર્જા કરાર
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલો યુએસ પ્રવાસ 12 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે મોટા ઉર્જા કરારના સંકેતો મળી રહ્યા છે. જો આ સોદો સફળ થાય છે, તો ભારતની ઉર્જા કટોકટી ઘણી હદ સુધી ઉકેલાઈ જવાની શક્યતા છે. ભારત અમેરિકા પાસેથી વધુ ઊર્જા આયાત કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં મુખ્યત્વે આ અંગે ચર્ચા થવાની છે. રશિયા સાથે તેલ સોદાના અભાવને પૂર્ણ કરવા માટે અમેરિકા ઊર્જા સહયોગના ક્ષેત્રમાં ભારતની નજીક આવવા તરફ આગળ વધી શકે છે. -> LNG આયાત વધારવા માટે કરાર થઈ શકે છે :- વડા પ્રધાન…
ભાવનગરમાં દીપડાની દહેશત, નવા સાંગણા ગામે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું કર્યુ મારણ
B INDIA ભાવનગર : ભાવનગરમાં દીપડાએ આતંક મચાવ્યો છે. તળાજા તાલુકાના નવા સાંગણા ગામે મોડી રાત્રીના સમયે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું મારણ કર્યુ છે. દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. અને અનેકવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિદ્રામાં દેખાઈ રહ્યું છે. ખેડૂતોના માલઢોર ઉપર છાશવારે દીપડો હુમલો કરી રહ્યો છે. જેને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે, વન વિભાગને પણ આ વાતની જાણ છે તેમ છત્તા વન વિભાગ દીપડાને પકડવાનું કામ નથી કરી રહ્યું, ,આ વાત એક વખતની નથી લાંબા સમયથી છે. દીપડાએ અનેક વાર વાડામાં જંપલાવીને મારણ કરતો હોય છે. -> દીપડાએ કર્યુ પશુનું મારણ :- મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં જંગલમાં આવેલા કદમખંડી…
કચ્છમાં 41 વર્ષ આવ્યો ચૂકાદો, તત્કાલીન SP કુલદીપ શર્માને કોર્ટે ફટકારી સજા, સામાજિક કાર્યકરને માર્યો હતો માર
B INDIA કચ્છ : કચ્છમાં સામાજિક કાર્યકરને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષે ચૂકાદો આપ્યો છે. તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારવામાં આવી છે. ભુજ કોર્ટે 41 વર્ષે આ ચૂકાદો આપ્યો છે,સાથે-સાથે વર્ષ 1984માં ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસમાં ભુજ કોર્ટે ચૂકાદો આપ્યો છે,કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને કોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે ભુજ કોર્ટે ચૂકાદો આપ્યો 41 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતાને માર મારવાના કેસમાં આજે કોર્ટે મોટો ચૂકાદો સંભળાવ્યો છે. 1984માં કોંગ્રેસના રાજકીય નેતા અબ્દુલા હાજી ઇબ્રાહીમ માર મારવાના કેસમાં પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને કોર્ટે દોષી જાહેર કર્યા છે અને 3 મહિનાની જેલની સજા ફટકારી છે.આ સમગ્ર કેસમાં મુખ્ય ફરિયાદી ઇબ્રાહિમ શેઠનું મોત થઈ ચૂક્યું છે, તો ઇભલા શેઠના પરિવારજનોએ ચૂકાદાને આવકાર્યો છે અને…
આતિશીએ દિલ્હીના LG વી.કે.સકસેનાને સોંપ્યુ રાજીનામું, વી.કે. સકસેનાએ કહ્યું તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો
રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નરને રાજીનામું સુપરત કરવા ગયા ત્યારે, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ યમુનાના પ્રદૂષણ અંગે તેમના પર કટાક્ષ કર્યો. એલજીએ પૂર્વ મુખ્યમંત્રીને કહ્યું કે તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો છે. સરકારે યમુનાને સાફ કરવા માટે સક્રિય પગલાં લેવા જોઈતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલજી સક્સેનાએ આતિશીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નદીની સફાઈનો પ્રોજેક્ટ અટકાવ્યા બાદ તેમણે આપના કન્વીનર અરવિંદ કેજરીવાલને ‘યમુનાના શાપ’ વિશે ચેતવણી પણ આપી હતી. જોકે, આતિશીએ LG સામે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. -> યમુનાની સફાઈનો વિવાદ 2 વર્ષ જૂનો છે :- આ વિવાદ બે વર્ષ જૂનો છે. જાન્યુઆરી 2023 માં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ યમુનાના પ્રદૂષણને ઘટાડવા માટે LG ની અધ્યક્ષતામાં એક…
કચ્છનાં ગાંધીધામમાં ડિમોલિશન, ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ બાદ કરાઈ કાર્યવાહી
B INDIA ગાંધીધામ : કચ્છનાં ગાંધીધામમાં ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ આપ્યા બાદ આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના માર્ગો પહોળા બને અને દબાણોને હટાવાય તે માટે ગાંધીધામ અને આદિપુરમાં 3000થી વધુ લોકોને દબાણ સ્વેછાએ હટાવી લેવા નોટિસ આપી હતી. જે સમયમર્યાદામાં નહીં હટાવવામાં આવે તો મનપા દબાણ હટાવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીધામ મનપામાં અત્યાર સુધી લગભગ 3000થી વધુ દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. મનપામાં આવતા વિસ્તારો પૈકીના ગાંધીધામ શહેર અને આદિપુર શહેરમાં આ નોટિસો હાલ અપાઈ છે. જેમાં સમયગાળો પણ આપવામાં આવ્યો હતો. જે બાદ ખાસ કરીને આદિપુરમાં લોકો દ્વારા સ્વેછાએ દબાણ હટાવવાનું શરૂ પણ કરી નાખ્યું હતું અને ગાંધીધામમાં પણ ઘણા લોકો સ્વછાએ દબાણ હટાવતા જોવા મળ્યા છે.…
CM ભૂપેન્દ્ર પટેલે “પરીક્ષા પે ચર્ચા-2025” સંવાદ નિહાળ્યો, અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
રાજ્યની ૪૦ હજારથી વધારે શાળાના ૬૧.૫૦ લાખથી વધુ વિધાર્થીઓએ વડાપ્રધાનના સંવાદનું પ્રસારણ નિહાળ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫’ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અર્થસભર સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા’ની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્ર વ્યાપી સંવાદનું પ્રસારણ અમદાવાદની શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દરેક વિધાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ‘એકઝામ વોરિયર’ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં…
પ્રયાગરાજ જતા પહેલા ટ્રાફિકની માહિતી લઇને જજો, વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામ આ રસ્તા પર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ રવિવારે મેળા સ્થળથી સેંકડો કિલોમીટર દૂર પોતાની કારમાં ફસાયેલા જોવા મળ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે જબલપુર, કટની, રેવા થઈને પ્રયાગરાજ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા કલાકોથી લાંબો જામ છે. કટની પોલીસે તો લોકોને હાથ જોડીને પાછા ફરવા અપીલ પણ કરી છે. આ જામનું મુખ્ય કારણ મહાકુંભમાં ભાગ લેવા માટે લાખો ભક્તોનું રસ્તાઓ પર આગમન છે. ટોલ બેરિયર્સ પર મનસ્વી વસૂલાત પણ આ સમસ્યાને વધારી રહી છે. દક્ષિણ ભારતમાંથી આવતા ભક્તો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે ટ્રાફિકનું દબાણ વધુ વધી ગયું…
IND vs ENG, 2nd ODI: રોહિત શર્માએ મચાવી ધૂમ, વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વિશ્વ ક્રિકેટ સ્તબ્ધ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના વનડે કરિયરની 32મી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. રોહિત હવે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તમને જણાવી દઈએ કે રોહિતે પોતાના વનડે કરિયરની 32મી સદી ફટકારી અને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મેચમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 304 રન બનાવ્યા હતા, ત્યારબાદ ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. રોહિતે મેચમાં (IND vs ENG, 2જી ODI) વિસ્ફોટક બેટિંગ કરી અને 90 બોલમાં 119 રન બનાવીને આઉટ થયો. રોહિતે પોતાની ઇનિંગમાં 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકારવામાં સફળતા મેળવી. રોહિતને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો છે. બીજી તરફ, ભારતના હિટ મેન (હિટમેન રોહિત શર્મા) એ ODI…
અમદાવાદ: ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા દોડધામ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
B INDIA અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છેલ્લા બે મહિનામાં અવરનવાર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. -> 100 કરતાં પણ વધુ ફ્લાઈટને ધમકી? :- દેશભરમાં છેલ્લા બે મહિનામાં 100 કરતાં પણ વધુ ફ્લાઈટને આ પ્રકારની ખોટી ધમકી મળી ચૂકી છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી. અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેમાં જેદ્દાહથી અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફલાઇટમાં બોમ્બ…
IND vs ENG: કોહલી-જૈસવાલ નહીં, રોહિતે આ ક્રિકેટરને દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો
ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર વિજય મેળવ્યો. ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. રોહિત શર્માએ ભારતની જીતમાં ઇતિહાસ રચ્યો અને તેના વનડે કારકિર્દીની 32મી સદી ફટકારી. રોહિતને ૧૧૯ રનની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. રોહિત ઉપરાંત શુભમન ગિલે 65 રન અને શ્રેયસ ઐયરે 44 રન બનાવ્યા. આ ઉપરાંત અક્ષર પટેલે ૪૧ રનની અણનમ ઇનિંગ રમી, જેના આધારે ભારતીય ટીમે ૪૫મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું. આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમે ODI શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવવામાં સફળતા મેળવી છે. ભારતની જીત પછી, રોહિતે શુભમન ગિલની ખૂબ પ્રશંસા કરી. કેપ્ટન રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે ૧૩૬ રનની ભાગીદારી કરી જેણે જીતનો પાયો નાખ્યો. રોહિતે ગિલને વિશ્વનો શ્રેષ્ઠ અને…
















