કચ્છમાં 41 વર્ષ આવ્યો ચૂકાદો, તત્કાલીન SP કુલદીપ શર્માને કોર્ટે ફટકારી સજા, સામાજિક કાર્યકરને માર્યો હતો માર

B INDIA કચ્છ : કચ્છમાં સામાજિક કાર્યકરને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષે ચૂકાદો આપ્યો છે. તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારવામાં આવી છે. ભુજ કોર્ટે 41 વર્ષે આ ચૂકાદો આપ્યો છે,સાથે-સાથે વર્ષ 1984માં ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસમાં ભુજ કોર્ટે ચૂકાદો આપ્યો છે,કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને કોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે ભુજ કોર્ટે ચૂકાદો આપ્યો 41 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતાને માર મારવાના કેસમાં આજે કોર્ટે મોટો ચૂકાદો સંભળાવ્યો છે.

1984માં કોંગ્રેસના રાજકીય નેતા અબ્દુલા હાજી ઇબ્રાહીમ માર મારવાના કેસમાં પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને કોર્ટે દોષી જાહેર કર્યા છે અને 3 મહિનાની જેલની સજા ફટકારી છે.આ સમગ્ર કેસમાં મુખ્ય ફરિયાદી ઇબ્રાહિમ શેઠનું મોત થઈ ચૂક્યું છે, તો ઇભલા શેઠના પરિવારજનોએ ચૂકાદાને આવકાર્યો છે અને રોડ પર ફટાકડા ફોડીને ઉજવણી કરી છે અને એકબીજાને મો મીઠું કરાવ્યું છે.

6 મે 1984ના રોજ નલિયાના એક કેસ બાબતે કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માને મળવા ગયા હતા, જ્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માએ તેમના સાથી અધિકારીઓને બોલાવીને માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ કોર્ટમાં થતાં 41 વર્ષ ચૂકાદો આવ્યો છે.

Related Posts

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *