ભાવનગરમાં દીપડાની દહેશત, નવા સાંગણા ગામે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું કર્યુ મારણ

B INDIA ભાવનગર : ભાવનગરમાં દીપડાએ આતંક મચાવ્યો છે. તળાજા તાલુકાના નવા સાંગણા ગામે મોડી રાત્રીના સમયે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું મારણ કર્યુ છે. દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. અને અનેકવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિદ્રામાં દેખાઈ રહ્યું છે. ખેડૂતોના માલઢોર ઉપર છાશવારે દીપડો હુમલો કરી રહ્યો છે.

જેને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે, વન વિભાગને પણ આ વાતની જાણ છે તેમ છત્તા વન વિભાગ દીપડાને પકડવાનું કામ નથી કરી રહ્યું, ,આ વાત એક વખતની નથી લાંબા સમયથી છે. દીપડાએ અનેક વાર વાડામાં જંપલાવીને મારણ કરતો હોય છે.

-> દીપડાએ કર્યુ પશુનું મારણ :- મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં જંગલમાં આવેલા કદમખંડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. કદમખંડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ સરદારભાઈ બારિયાના ઘર આગળ બાંધેલા વાછરડાંનું દીપડાએ મારણ કર્યું હતું. દીપડાએ મારણ કર્યું હોવાની વાતથી ગામની આસપાસના પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. વિરપુર તાલુકાના રસુલપુર ગામ ખાતે આવેલા કદમખંડી વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો ઘર સુધી પહોંચી ગયો હતો. જ્યાં ઘરની સામે બાંધેલા વાછરડાને લઈને જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો પછી વાછરડાનું મારણ કરી આહાર કર્યો હતો.

Related Posts

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *