અમદાવાદ: ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા દોડધામ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ

B INDIA અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છેલ્લા બે મહિનામાં અવરનવાર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.

-> 100 કરતાં પણ વધુ ફ્લાઈટને ધમકી? :- દેશભરમાં છેલ્લા બે મહિનામાં 100 કરતાં પણ વધુ ફ્લાઈટને આ પ્રકારની ખોટી ધમકી મળી ચૂકી છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી.

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેમાં જેદ્દાહથી અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ ફલાઇટમાં ચકાસણી હાથ ધરી હતી.

ફલાઇટમાં ચકાસણી બાદ શંકાસ્પદ કશું ન મળતાં સુરક્ષા એજન્સીઓએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક પોલીસ, સુરક્ષા એજન્સીઓ તેમજ ફાયર વિભાગે ઘટનાના પગલે એરપોર્ટ પર બેઠક કરી છે. ધમકીને પગલે એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *