કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું થયું આગમન, પક્ષી પ્રેમીઓમાં ઉત્સાહ

કચ્છના નાના રણમાં શિયાળાની ઋતુ શરૂ થતા હજારો કિલોમીટર દૂરથી વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે. ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલકન, રણ ચકલી અને નાઈટજાર જેવા રંગબેરંગી પક્ષીઓ અહીં જોવા મળે છે. કચ્છના રણનું મહત્વ નાનું રણ લગભગ 4953 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. ઠંડીના સમયમાં અહીં ખોરાક, સલામતી અને અનુકૂળ વાતાવરણ મળે છે, જેના કારણે વિદેશી પક્ષીઓ લાંબા પ્રવાસ પછી અહીં આરામ કરે છે. યુરોપ જેવા દેશોમાં બરફ ભરાયેલી સ્થિતિને કારણે તેઓ લગભગ ચાર મહિના માટે કચ્છના રણમાં રહે છે. પ્રવાસીઓ અને કુદરતપ્રેમીઓમાં ઉત્સાહ વિદેશી પક્ષીઓના આગમનથી પ્રવાસીઓ અને કુદરતપ્રેમીઓમાં આનંદ અને રોમાંચ જોવા મળે છે. રાજ્ય અને અન્ય પ્રદેશોથી લોકો મોટા પાયે રણની મુલાકાત લેવા આવે છે. પક્ષીઓને તકલીફ ન થાય તે…

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26 મી બેઠક થઇ સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને…

સુરત: કોબ્રા સાપના ઝેરનું મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું, 7 આરોપીઓ ઝડપાયા

સુરત પોલીસ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનો મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ 6.5 મિલીલીટર કોબ્રા ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેના આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્યનો અંદાજ 5.85 કરોડ રૂપિયા છે. પોલીસે 7 આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં મનસુખ ધીનૈયા અને ચીમન ભૂવા સુરતના રહેવાસી છે અને અન્ય 5 વડોદરાના રહેવાસી છે. આરોપીઓએ આ ઝેરને 9 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ ફાઈનલ કરી હતી. જપ્ત કરાયેલ ઝેર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે, જેમ કે: – બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક માટેની દવા – લોહી ગંઠાવાની દવા – એન્ટી વેનોમ – કેન્સર ઉપચાર માટેની દવા – કેટલીક વખત રેવ પાર્ટીમાં નશાના…

કર્ણાટક : 4 દિવસમાં 31 કાળિયારના મોત, પ્રાણી સંગ્રહાલય કિત્તુર રાણી ચેન્નમ્મા ‘કબ્રસ્તાન’ બન્યું

કર્ણાટકના બેલાગવી જિલ્લામાં આવેલા કિત્તુર રાણી ચેન્નમ્મા પ્રાણી સંગ્રહાલયમાં ગભરાવનારી ઘટના બની છે. માત્ર ચાર દિવસમાં 31 કાળિયારનું મોત થયું છે. પ્રારંભિક તપાસમાં આ મૃત્યુનું મુખ્ય કારણ બેક્ટેરિયલ ચેપ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુની વિગતવાર વિગતો – ગુરુવારે: 8 કાળિયારનું મૃત્યુ – શનિવારે: 20 કાળિયારનું મોત – છેલ્લા બે દિવસમાં: 3 કાળિયારનું મૃત્યુ આ ઘટનાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્રાણી સંગ્રહાલયમાં હવે માત્ર સાત કાળિયાર જ બચ્યા છે, જેના કારણે સમગ્ર ટોળું લગભગ નાશ પામ્યું હોવાનું અનુમાન છે. સરકારી કાર્યવાહી અને તપાસ કર્ણાટકના વનમંત્રી ઈશ્વર ખંડ્રેે પોતે બેલાગવી પહોંચીને પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું “આ ઘટના ખૂબ જ પીડાદાયક છે. મુખ્ય કારણને સમજીને પૂરતી તપાસ કરવી અત્યંત જરૂરી છે, કે આ…