લોકોએ HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી, તેના કેસો મોટે ભાગે હળવા હોય છેઃ સૌમ્યા સ્વામીનાથન
કોવિડ રોગચાળાનો ડર આપણા મનમાં એટલો ઊંડો ઉતરી ગયો છે કે મીડિયામાં જો કોઈ ચેપી રોગનો ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે અથવા તેનું જોડાણ ચીન સાથે જોડાયેલું હોય તો લોકો ગભરાવા લાગે છે. આ સ્વાભાવિક પણ છે, કારણ કે કોવિડ રોગચાળા દરમિયાન, પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અને આરોગ્ય સુવિધાઓની ઝંખના તરત જ મનમાં આવે છે. આવો જ સીન ફરીથી જોવા મળે એવું કોઈ ઈચ્છતું નથી. આ ચર્ચા એટલા માટે ઉભી થઇ છે કારણ કે આ દિવસોમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ નામની બીમારીની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેને ચીન સાથે પણ જોડવામાં આવી રહી છે. કેટલાકો લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે કોરોના જેવી સ્થિતિ ફરી ઉભી થઇ શકે છે.. જો કે મોટા મોટા આરોગ્ય…
નાગપુરમાં HMPVના બે નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 7 લોકો વાયરસનો શિકાર
દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ નહીં થાય, માટે ગભરાવાની જરૂર નથી. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે. -> કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એક નિવેદન જાહેર કર્યું હતું :- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા…








