લોકોએ HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી, તેના કેસો મોટે ભાગે હળવા હોય છેઃ સૌમ્યા સ્વામીનાથન

કોવિડ રોગચાળાનો ડર આપણા મનમાં એટલો ઊંડો ઉતરી ગયો છે કે મીડિયામાં જો કોઈ ચેપી રોગનો ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે અથવા તેનું જોડાણ ચીન સાથે જોડાયેલું હોય તો લોકો ગભરાવા લાગે છે. આ સ્વાભાવિક પણ છે, કારણ કે કોવિડ રોગચાળા દરમિયાન, પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અને આરોગ્ય સુવિધાઓની ઝંખના તરત જ મનમાં આવે છે. આવો જ સીન ફરીથી જોવા મળે એવું કોઈ ઈચ્છતું નથી. આ ચર્ચા એટલા માટે ઉભી થઇ છે કારણ કે આ દિવસોમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ નામની બીમારીની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેને ચીન સાથે પણ જોડવામાં આવી રહી છે. કેટલાકો લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે કોરોના જેવી સ્થિતિ ફરી ઉભી થઇ શકે છે..

જો કે મોટા મોટા આરોગ્ય નિષ્ણાંતો એ વાત કહી રહ્યા છે કે આ કોઇ નવો વાયરસ નથી, તે અગાઉ પણ જોવા મળી ચૂક્યો છે, અને આનાથી ગભરાવવાની સહેજપણ જરૂર નથી. હવે WHOના પૂર્વ વૈજ્ઞાનિકે પણ આ વાત કહી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને X પરની તેમની પોસ્ટમાં કહ્યું, “લોકોએ HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી. “આ એક જૂનો વાયરસ છે જે શ્વસન ચેપનું કારણ બને છે અને તેના કેસો મોટે ભાગે હળવા હોય છે.

” આ સિવાય તેમણે લોકોને શરદીના લક્ષણો માટે સામાન્ય સાવચેતી રાખવાની પણ સલાહ આપી હતી.તેમણે વધુમાં કહ્યું, “દરેક રોગાણુને શોધવાનો પ્રયાસ કરવાને બદલે, જ્યારે આપણને શરદી થાય ત્યારે આપણે બધાએ સામાન્ય સાવચેતી રાખવી જોઈએ. આ માટે, ચોક્કસપણે માસ્ક પહેરો. “ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, વારંવાર હાથ ધોવા અને ગંભીર લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.”મહત્વનું છે કે ભારતમાં અત્યાર સુધી આ વાયરસના કુલ 9 જેટલા કેસ સામે આવ્યા છે.

Related Posts

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

કેન્દ્રીય મંત્રીમંડળના ચાર મોટા નિર્ણયો: PM-Kisanને 5 વર્ષની મુદતવધારો, ‘સમુદ્ર મંથન’ યોજનાને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં ખેડૂતોની આર્થિક સુરક્ષા, સ્વચ્છ ઊર્જાના પ્રોત્સાહન, રમતગમતના વિકાસ અને દરિયાઈ અર્થતંત્રને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ચાર મહત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયો દેશના કરોડો નાગરિકો માટે લાભદાયી સાબિત થશે અને વિવિધ ક્ષેત્રોના વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય મંત્રીમંડળના PM-Kisan યોજનાને પાંચ વર્ષનો વધારો કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મંત્રીમંડળની બેઠકમાં સરકારના જણાવ્યા મુજબ, યોજના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *