Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો
Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું: “ઓટાવાના રોકલેન્ડ નજીક છરાબાજીની ઘટનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ.” કયા બની ઘટના ?કેનેડિયન મીડિયા અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. પોલીસ આ મામલાની…
બાગેશ્વર ધામમાં બનશે ભારતનું પ્રથમ હિન્દુ ગામ, 1000 પરિવાર થશે સ્થાયી
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ગામ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે. બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે આ ગામ બાગેશ્વર ધામ સંકુલની અંદર જ વિકસાવવામાં આવશે, જેમાં 1,000 પરિવારો સ્થાયી થશે અને તે સંપૂર્ણપણે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર હશે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લાંબા સમયથી હિન્દુ રાષ્ટ્રની કલ્પના પર કામ કરી રહ્યા છે. તેમણે પહેલા હિન્દુ રાષ્ટ્રધ્વજની ઘોષણા કરી અને હવે હિન્દુ ગામ સ્થાપવાનો સંકલ્પ કર્યો છે. આ ગામનો પાયો બાગેશ્વર ધામ સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નાખવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વર માને છે કે હિન્દુ…
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી થશે ટેકાના ભાવે તુવેરની ખરીદી
ખેડૂતોને લઈ રાજ્ય સરકારે ફરી એક વાર મહત્વનો નિર્ણય લીધો છે. આ દરમિયાન રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં સરકારે 841 કરોડની ખરીદી તુવેર:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…
લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ કરાયું રજૂ, વિપક્ષે શરૂ કર્યો હોબાળો
બીજેપી સાંસદ કિરેન રિજિજુએ લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 રજૂ કર્યું છે. હવે આગામી આઠ કલાક સુધી તેના પર ચર્ચા થઈ શકે છે. આ અંગે શાસક NDA અને વિપક્ષી પક્ષો વચ્ચે ગરમાગરમ ચર્ચા અને હોબાળો થવાની શક્યતા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેના સાંસદોને ત્રણ લાઇનનો વ્હીપ જારી કર્યો છે જેથી બિલ રજૂ થાય ત્યારે તેઓ ગૃહમાં હાજર રહે. જેડીયુ, ટીડીપી અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) જેવા એનડીએના સાથી પક્ષોએ પણ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન ‘ભારત’ આ બિલનો જોરદાર વિરોધ કરવા તૈયાર છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી પક્ષોએ તેને બંધારણની વિરુદ્ધ અને લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે…
GST કલેક્શનમાં મોટો ઉછાળો, માર્ચ મહિનામાં સરકારી તિજોરીમાં ₹1.96 લાખ કરોડ થયા જમાં
GST કલેક્શન સતત સરકારની તિજોરી ભરી રહી છે. આ દરમિયાન માર્ચમાં કુલ GST કલેક્શન 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડથી વધુ થયું છે. મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( GST ) ની આવક 8.8 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલની આવક 13.56 ટકા વધીને રૂ. 46,919 કરોડ થઈ છે. માર્ચ દરમિયાન GSTનું કુલ રિફંડમાં બમ્પર વધારો થયો છે. રીફંડમાં કુલ 41 ટકા વધીને રૂ. 19,615 કરોડ થયું છે. જયારે માર્ચ 2025 માં રિફંડની ચોખ્ખી GST આવક રૂ. 1.76 લાખ કરોડથી વધુ રહી, જે એક વર્ષ પહેલાના સમાન મહિનાની તુલનામાં 7.3 ટકા વધુ છે. ગયા મહીને ફેબ્રુઆરી માસમાં GST વસૂલાત 9.1% વધીને…











