ગુજરાત ATSએ પકડ્યું મોટું આતંકવાદી નેટવર્ક, ISIS-સંબંધી સંગઠન દ્વારા ભારે હુમલાની યોજના
ગુજરાત ATS (Anti-Terrorism Squad) દ્વારા થયેલી તાજેતરની તપાસમાં અત્યંત ચોંકાવનારા નિર્દેશો મળ્યા છે. એક સગીન ગુરુહ રચી રહી હતી જે સમગ્ર ગુજરાતને નષ્ટ કરવાની તેની યોજના પર કાર્યરત હતી. મુખ્ય આરોપી અહેમદ સૈયદની આગેવાનીમાં, કટરવાદી વિચાર ધરાવતા યુવાનોને ISIS / ISKP જેવી આંતરરાષ્ટ્રીય આતંકવાદી માળખાઓમાં જોડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તપાસમાં શું મળ્યુ છે? – આરોગ્યજનક ગોરખધંધા ATS સૂચવે છે કે અહેમદ સૈયદે રાજ્યોમાં પોતાની વ્યાપક કામગીરી બનાવી હતી, જ્યાં તેણે વિવિધ વિસ્તારોમાં સંપર્ક સ્થાપ્યા હતા અને યુવાનોને રેડિકલાઇઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે ત્રણ યુવકોને બાયા — સાત્યપલનાની શપથ — લઈ શપથબદ્ધ કર્યું અને તેમને ગુરુહની આતંકી પ્રવૃત્તિમાં સામેલ કર્યા. – ઘાતક આયોજન ભલામણો અનુસાર, ગુરુહ આતંકી હુમલા કરવાની તૈયારીઓ…
અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના રડાર પર છે. તપાસ એજન્સીઓએ એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ યુનિવર્સિટીના સ્ટાફના લોકર અને બહાર રહેતા વિદ્યાર્થીઓના રૂમની પણ તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તપાસના મુખ્ય મુદ્દા – યુનિવર્સિટીની અંદર કોઈ હેન્ડલર હાજર હતો કે નહીં તે શોધી રહી છે. – આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર ઉન નબીને વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી. – યુનિવર્સિટીમાં રહેતા અન્ય સાત લોકો સાથે ઉમરના સંબંધો અંગે પણ તપાસ ચાલી રહી છે. – નૂહમાં ડૉ. ઉમર ઉન નબીને રૂમ…
દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો
દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટએ ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસની NIA કસ્ટડી મંજૂર કરી છે, જેથી તેમને વધુ પૂછપરછ કરી શકાય. હુમલાના આયોજનમાં મુખ્ય ભૂમિકા NIA તપાસ મુજબ, આ ચારેય આરોપીઓએ લાલ કિલ્લા કાર વિસ્ફોટની યોજનામાંથી લઈને અમલ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતાં, જેના કારણે દેશવ્યાપી ચિંતા ફેલાઈ હતી. એજન્સીએ અગાઉ અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને પણ ધરપકડ કરી હતી.…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે મોડી રાત્રે નિયંત્રિત વિસ્ફોટ (Controlled Blast) કરીને તેને નષ્ટ કરી દીધું છે. લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટમાં 13નાં મોત 11 નવેમ્બરની રાત્રે દિલ્હીના લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસ મુજબ, કાર ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો અને તે જ વિસ્ફોટકોથી ભરેલી કાર ફાટવાથી ઘટનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તપાસ દરમિયાન વિસ્ફોટ સ્થળ પરથી મળેલા ડીએનએ સેમ્પલ ઉમરની માતાના ડીએનએ સાથે મેચ થયા બાદ તેની ઓળખ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ. ઉમર…











