દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે મોડી રાત્રે નિયંત્રિત વિસ્ફોટ (Controlled Blast) કરીને તેને નષ્ટ કરી દીધું છે.

લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટમાં 13નાં મોત
11 નવેમ્બરની રાત્રે દિલ્હીના લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસ મુજબ, કાર ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો અને તે જ વિસ્ફોટકોથી ભરેલી કાર ફાટવાથી ઘટનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તપાસ દરમિયાન વિસ્ફોટ સ્થળ પરથી મળેલા ડીએનએ સેમ્પલ ઉમરની માતાના ડીએનએ સાથે મેચ થયા બાદ તેની ઓળખ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ.

ઉમર નબીના ઉગ્રવાદી કનેક્શનનો પર્દાફાશ
તપાસકર્તાઓએ જણાવ્યું છે કે ડૉ. ઉમર નબી છેલ્લા બે વર્ષથી ઝડપથી કટ્ટરપંથી તરફ વળી રહ્યો હતો. તે સોશિયલ મીડિયા પર અનેક એક્સ્ટ્રીમિસ્ટ મેસેજિંગ જૂથો સાથે જોડાયેલો હતો અને ક્રિયાશીલ પણ હતો.

ત્રણ ડૉક્ટર સહિત 8 લોકોની ધરપકડ — ઇન્ટરપોલનો સંપર્ક
જમ્મુ અને કાશ્મીર પોલીસે આ કેસમાં અત્યાર સુધી 8 લોકોને ધરપકડ કરી છે, જેમાં 3 ડૉક્ટર સમાવેશ થાય છે. એક ડૉક્ટર ડૉ. અદીલનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સાગરીતોમાંનો એક ડૉ. મુઝફ્ફર દેશ છોડીને ફરાર છે. પોલીસે તેના વિરુદ્ધ ઇન્ટરપોલને રેડ કાર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી છે. માહિતી મુજબ, મુઝફ્ફર ઓગસ્ટમાં ભારત છોડીને દુબઈ ગયો હતો અને હાલમાં અફઘાનિસ્તાનમાં હોવાની આશંકા છે.

2021માં તુર્કી પ્રવાસ — સંદિગ્ધ નેટવર્કનો ખુલાસો
તપાસમાં જાણવા મળ્યું છે કે 2021માં ઉમર નબી, મુઝમ્મિલ ગણાઈ અને મુઝફ્ફર સહિત ડૉક્ટરોની ટીમ તુર્કી પ્રવાસે ગઈ હતી. તપાસ એજન્સીઓ માને છે કે ત્યાંથી જ તેમના સંપર્ક ઉગ્રવાદી નેટવર્ક સાથે જોડાયા હોઈ શકે છે.

અલ ફલાહ યુનિવર્સિટીની ફોરેન્સિક તપાસનો આદેશ
દિલ્હી બ્લાસ્ટ કેસ બાદ કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત અલ ફલાહ યુનિવર્સિટીના તમામ રેકોર્ડનું ફોરેન્સિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. ED અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓને યુનિવર્સિટીના ફંડ ટ્રેલ અને સંભવિત આતંકી નાણાકીય નેટવર્કની તપાસ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. 10 નવેમ્બરે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

AIUએ સસ્પેન્ડ કર્યું સભ્યપદ
“અલ ફલાહ યુનિવર્સિટી”ની સંડોવણીને લઈને Association of Indian Universities (AIU)એ તેનું સભ્યપદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. AIU સેક્રેટરી જનરલ પંકજ મિત્તલે જણાવ્યું “બાયલો અનુસાર, માત્ર સારી સ્થિતિવાળી યુનિવર્સિટીઓને જ સભ્ય ગણવામાં આવે છે.”

સમગ્ર કેસમાં ઝડપી કાર્યવાહી
દિલ્હી બ્લાસ્ટ હુમલો હવે મલ્ટી-સ્ટેટ અને મલ્ટી-લેવલ ટેરર નેટવર્ક તરફ સંકેત આપે છે. NIA, Delhi Police Special Cell, J&K Police અને કેન્દ્રિય એજન્સીઓ મળીને આખા મૉડ્યુલને નષ્ટ કરવા માટે કામગીરી કરી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

‘વારંવાર રજૂઆત છતાં કોઈ મારી વાત નહોતું સાંભળતું’, હરભજન સિંહે AAP છોડવાનું કારણ જણાવ્યું

પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા પાછળના કારણો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હરભજન સિંહે દાવો કર્યો છે કે AAPમાં રહીને તેમણે પંજાબના રમતગમત ક્ષેત્ર માટે અનેક સૂચનો અને રજૂઆતો કરી હતી, પરંતુ તેમના વિચારો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ, તેઓ રાજકારણ કરતાં રમતગમતના વિકાસ માટે કામ કરવાની આશા સાથે AAPમાં જોડાયા હતા. હરભજન સિંહે એપ્રિલ 2026માં AAP છોડીને BJPનો ખેસ ધારણ કર્યો હતો. તેઓ રાઘવ ચઢ્ઢા સહિત AAPના અન્ય છ રાજ્યસભા સાંસદો સાથે BJPમાં જોડાયા હતા. તેમના રાજકીય પક્ષપલટા બાદ પંજાબના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. હરભજન સિંહ રમતગમતના વિકાસ માટે રાજકારણમાં આવ્યા હતા હરભજન સિંહના જણાવ્યા પ્રમાણે,…

ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું

આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…