ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ઘેરાવો, આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પર લો-પ્રેશર એરિયા યથાવત છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ઉપરના વાતાવરણ સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ સાથે મોન્સૂન ટ્રફ પણ જોડાયેલી હોવાથી મધ્ય અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિને વેગ મળી શકે છે. 10થી 12 ઓગસ્ટ વચ્ચે વરસાદનું…

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદ માહોલ યથાવત, હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. 23 જુલાઈએ અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જુલાઈએ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે નાગરિકોને ધ્યાન રાખવા સૂચના આપી

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના ઊભી થઈ છે. IMD દ્વારા ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. આગામી દિવસોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ માટે જવાબદાર પ્રણાલીઓ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે. ખેડૂતો માટે સલાહ આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખેડૂત વર્ગને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં સતત બદલાવ જોવા…

સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આઅ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે અવિ છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી છે. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકોની હાલત નાજુક છે. વડાલી ગામમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા પીતા હડકંપ મચ્યો છે. ઇડરમાં પ્રાથમિક સારવાર બાદ, બધાને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. પરિવારના મોભીનું મોત એવું કહેવાય છે કે વડાલી શહેરના સાગરવાડા વિસ્તારમાં વિનુભાઈ સાગર તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. શરૂઆતની માહિતી મુજબ, આર્થિક મુશ્કેલીઓથી…

Sabarkantha : સાબરકાંઠામાં લાંચિયો ઉપ સરપંચ ઝડપાયો, ધરોદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચે 16 હજારની માગી હતી લાંચ

સાબરકાંઠાના વડાલીના ધરોદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ લક્ષ્મણભાઇ લાંચ લેતા ઝડપાયો છે. ઉપ સરપંચ રૂપિયા 16 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છ. ગ્રામ પંચાયક તરફથી પાણીનો ટાંકો અને મજૂર કલ્યાણ કેન્દ્રના મકાનનું બાંધકામ કરવાનું અને મજૂરીકામ કરવાને લઈ લાંચ માગી હતી. આ પણ વાંચો :- Amreli : અમરેલીનાં ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ આ કામના ફરિયાદીને ગ્રામ પંચાયત તરફથી પાણીનો ટાંકો અને મજુર કલ્યાણ કેન્દ્રના મકાનનું બાંધકામ કરવાનુ મજુરીકામ આપવામાં આવેલી છે. ફરિયાદીએ ઉપરોક્ત બંને કામો પુરા કરતાં તેનુ મજુરી તથા મટેરીયલ્સનું બીલ મંજુર થયેલ. આ રકમ પૈકી મટેરીયલ્સના બીલ જે તે વેપારીના ખાતામાં તથા મજુરી અને રેતી, કપચી, ઇંટોના મટેરીયલ્સના પૈસા ફરિયાદીના ખાતામાં જમા થયેલ છે. આ પણ વાંચો…

અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 20 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી

GUJARAT ACCIDENT NEWS B INDIA : અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ હતી, એમાં સવાર આશરે 20 મુસાફરને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે 4થી 5 લોકોને ગંભીર ઇજા થતાં જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા.   અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને અકસ્માત નડ્યો દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી આશરે 20 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા   એ દરમિયાન દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે 15થી 30 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક આવેલા ઓવરબ્રીજની બાજુમાં આવેલી…

અરવલ્લીના સાઠંબા કેન્દ્રને લાગ્યા ખંભાતી તાળા….

-> સાઠંબાના બંધ આંગણવાડી કેન્દ્રોમાં લોલમ લોલ… -> નિયમોને નેવે મુકી સમયપાલન ના થતા આંગણવાડી કેન્દ્રો પર કોનો પંજો… -> ભૂલકાઓના હક્કનો કોળિયો કોણ આરોગી જાય છે સેવિકા કે સરકારી બાબુઓ..?? -> બાયડ તાલુકાના સાઠંબામાં બંધ આંગણવાડી કેન્દ્રો પર કોનો દબદબો કે મહેરબાની… B India અરવલ્લી : નંદ ઘર બંધ રહેતા નહિ પૂજારી નહિ કોઈ દેવા બાલમંદિરને તાળા રે જેવી સ્થિતિનું નિર્માણ…મળતી માહિતી અનુસારસાઠંબાના ત્રણ આંગણવાડી કેન્દ્રો બંધહાલતમાં જોવા મળ્યા કુપોષિત નાના ભૂલકાઓના મોઢામાંથી કોળિયો છીનવાતા સરકારી બાબુઓ ઘોર નિંદ્રામાં કે પછી મળતીયાઓ સાથે સાંઠગાંઠ કે મેળાપીપણું. સરકારની યોજનાઓ માત્ર ને માત્ર કાગળ પર કોતરેલી જ સારી લાગે તેવો મેળાપીપણા જેવો કિસ્સો બહાર આવતા વાલીઓમાં તર્ક વિતર્ક. સુ મુખ્ય સેવિકા આ બાબતથી અજાણ હશે કે પછી…