અરવલ્લીના સાઠંબા કેન્દ્રને લાગ્યા ખંભાતી તાળા….

-> સાઠંબાના બંધ આંગણવાડી કેન્દ્રોમાં લોલમ લોલ…

-> નિયમોને નેવે મુકી સમયપાલન ના થતા આંગણવાડી કેન્દ્રો પર કોનો પંજો…

-> ભૂલકાઓના હક્કનો કોળિયો કોણ આરોગી જાય છે સેવિકા કે સરકારી બાબુઓ..??

-> બાયડ તાલુકાના સાઠંબામાં બંધ આંગણવાડી કેન્દ્રો પર કોનો દબદબો કે મહેરબાની…

B India અરવલ્લી : નંદ ઘર બંધ રહેતા નહિ પૂજારી નહિ કોઈ દેવા બાલમંદિરને તાળા રે જેવી સ્થિતિનું નિર્માણ…મળતી માહિતી અનુસારસાઠંબાના ત્રણ આંગણવાડી કેન્દ્રો બંધહાલતમાં જોવા મળ્યા કુપોષિત નાના ભૂલકાઓના મોઢામાંથી કોળિયો છીનવાતા સરકારી બાબુઓ ઘોર નિંદ્રામાં કે પછી મળતીયાઓ સાથે સાંઠગાંઠ કે મેળાપીપણું. સરકારની યોજનાઓ માત્ર ને માત્ર કાગળ પર કોતરેલી જ સારી લાગે તેવો મેળાપીપણા જેવો કિસ્સો બહાર આવતા વાલીઓમાં તર્ક વિતર્ક.

અરવલ્લી: વડાગામ-૧ કાર્યકર ને માનદવેતનની સેવાઓથી સમાપ્ત કરવામાં આવી - Mera Gujarat

સુ મુખ્ય સેવિકા આ બાબતથી અજાણ હશે કે પછી આંખ આડા કાન કરતા હશે કે મિલીભગત તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.મુખ્ય સેવિકા સામે પગલાં લેવાશે કે છાવરવા માં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.ત્યારે સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવતો હોય છે, પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા વહેતી નજર પડી,આંગણવાડી કેન્દ્ર બંધ રહેતા બાળકોનો સંહાર થતો હોય તેવું દેખાઈ રહ્યું છે.

સરકાર દ્વારા નાના ભૂલકાઓ માટે ફ્રૂટ થી લઈ પોષણક્ષમ આહાર આપવાની યોજનાઓ ફક્ત ચોપડે ચિતરાયાની વિગતોએ જોર પકડ્યું છે ત્યારે સરકારના નિયમનુસાર સવારે 10:30 થી બપોરના 3:30 વાગ્યાં સુધી કેન્દ્રો ચાલુ રાખવાના હોય છે ત્યારે નિયમોનું કે સમયનું પાલન ના થતા જવાબદારો સામે વહીવટી તંત્ર કાર્યવાહી કરશે કે ભીનું સંકેલશે તે જોવું રહ્યું..

સ્રોત :- રાકેશ ઝાલા

Related Posts

ગુજરાત માટે મોટા સમાચાર: મુંબઈ બાદ દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ, રાજ્યના શહેરોને મળશે મોટો લાભ

દેશમાં હાઈસ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણ તરફ કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે દિલ્હી-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર તેમજ દિલ્હી-વારાણસી-સિલીગુડી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ…

નાણાં વિભાગમાં 45 કર્મચારીઓને હિસાબ અધિકારી વર્ગ-2માં બઢતી, વિવિધ જિલ્લાઓમાં બદલીના આદેશ

રાજ્યના નાણાં વિભાગે હિસાબી કેડરના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા હિસાબનીશ વર્ગ-3ના 45 કર્મચારીઓને હિસાબ અધિકારી વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે જ તેમની રાજ્યના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *