સુનીલ ગાવસ્કર વિરુદ્ધ ગયો રોહિત શર્મા, BCCIને કરી ફરિયાદ, ભારતીય ક્રિકેટમાં મચાવ્યો હંગામો

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ BCCIએ ખેલાડીઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, ત્યારે હવે કેપ્ટન રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરની ફરિયાદ BCCIને કરી છે. વાસ્તવમાં, રોહિતે BCCIને ગાવસ્કરની ફરિયાદ કરી છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ગાવસ્કરના નિવેદનથી રોહિત દુખી છે. રોહિતનું માનવું છે કે, ગાવસ્કરે ભારતીય ટીમના ખેલાડીઓની ખૂબ ટીકા કરી છે, જેના કારણે તેના ફોર્મ પર અસર પડી છે. રોહિતે તેની ફરિયાદમાં કહ્યું છે કે “બાહ્ય દબાણને કારણે તેના પ્રદર્શનને અસર થઈ છે. આપને જણાવી દઈએ કે, BGT 2024-25 (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) દરમિયાન શર્માએ પોતાની ત્રણ ટેસ્ટ મેચમાં 6.00ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા હતા, જેના કારણે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત…