સુનીલ ગાવસ્કર વિરુદ્ધ ગયો રોહિત શર્મા, BCCIને કરી ફરિયાદ, ભારતીય ક્રિકેટમાં મચાવ્યો હંગામો

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ BCCIએ ખેલાડીઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, ત્યારે હવે કેપ્ટન રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરની ફરિયાદ BCCIને કરી છે. વાસ્તવમાં, રોહિતે BCCIને ગાવસ્કરની ફરિયાદ કરી છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ગાવસ્કરના નિવેદનથી રોહિત દુખી છે. રોહિતનું માનવું છે કે, ગાવસ્કરે ભારતીય ટીમના ખેલાડીઓની ખૂબ ટીકા કરી છે, જેના કારણે તેના ફોર્મ પર અસર પડી છે.

રોહિતે તેની ફરિયાદમાં કહ્યું છે કે “બાહ્ય દબાણને કારણે તેના પ્રદર્શનને અસર થઈ છે. આપને જણાવી દઈએ કે, BGT 2024-25 (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) દરમિયાન શર્માએ પોતાની ત્રણ ટેસ્ટ મેચમાં 6.00ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા હતા, જેના કારણે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની ઘણી ટીકા થઈ હતી. ગાવસ્કરે રોહિતના સ્થાન પર સવાલ ઉઠાવ્યા હતા.

-> રોહિત રણજી ટ્રોફીમાં ફ્લોપ રહ્યો હતો :- રોહિત પણ રણજી ટ્રોફીમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં રોહિતે પ્રથમ દાવમાં 19 બોલમાં 3 રન અને બીજા દાવમાં 35 બોલમાં 28 રન બનાવ્યા હતા. હવે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે. ભારતીય ટીમ વનડે શ્રેણીમાં ત્રણ વનડે મેચ રમશે તો બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. રોહિત માટે ચેમ્પિયન્સ ટ્રોફી ઘણી મહત્વની બની રહી છે. આપને જણાવી દઈએ કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *