દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 3,745 લોકોનું રેસ્ક્યૂ, 1,201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 3,745 લોકોનું રેસ્ક્યૂ, 9,929 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,201 રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 15 ડેમ હાઇ ઍલર્ટ પર છે. NDRF, SDRF અને આર્મીની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. ગુજરાતમાં ચોમાસાએ આ વર્ષે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. નવસારી, વલસાડ, સુરત અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે અનેક ગામો અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે માર્ગ, રેલવે અને જાહેર પરિવહન સેવાઓ પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી…
Pune-Mumbai એક્સપ્રેસવે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો ફસાયા
મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સમસ્યા 24 કલાકથી વધુ સમયથી જારી છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ નજીક મંગળવારે સાંજે આશરે 5 વાગ્યે કેમિકલ ભરેલું ગેસ ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીક થઈને સમગ્ર વિસ્તાર જોખમી સ્થિતિમાં આવી ગયો છે. 20 થી 22 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફના ટ્રાફિકને સુરક્ષાના કારણે પુરી રીતે બંધ કરવામાં આવ્યું છે. અસર બંને દિશામાં જોવા મળી રહી છે. એક્સપ્રેસવે પર લગભગ 20 થી 22 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈનો ઉભી થઈ છે. ડ્રોન દ્વારા લીધેલા દ્રશ્યોમાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. મુસાફરોને મળી રહી છે મોટી મુશ્કેલી ઘણા લોકો સવારના 4 વાગ્યાથી એક જ જગ્યાએ અટકાયેલા છે. આ ભારે ટ્રાફિકજામના કારણે ઘણા…
અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ સૂચવાયા
અમદાવાદના વ્યસ્ત સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અચાનક બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા, AMCની ટીમે સુરક્ષાને પગલે તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તાત્કાલિક પગલાં અને ટ્રાફિક પર અસર – બ્રિજ બંધ થતાં નારણઘાટ, સુભાષબ્રિજ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં વાહનોની લાઈનો કિલોમીટર્સ સુધી લાગી ગઈ. – ટ્રાફિક પોલીસ અને AMCના સ્ટાફ તાત્કાલિક માર્ગ પર ઉતરીને વાહનચાલકોને માર્ગદર્શન આપી રહ્યા છે. – ઘણા વાહનચાલકોને રસ્તા ફેરવવા અને વિકલ્પ માર્ગો અપનાવવા માટે મંજુર થવું પડ્યું. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે જણાવ્યું કે તિરાડની પ્રાથમિક તપાસમાં બ્રિજના મધ્ય ભાગમાં સ્પાન નીચે સરકવાનો ખતરનાક સંકેત જોવા મળ્યો. આ સ્થિતિને કારણે સાંજે છ વાગ્યે બ્રિજ સંપૂર્ણપણે…
ફિલ્મફેર એવોર્ડ 2025: અમદાવાદના આ રસ્તા આવતીકાલે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ
અમદાવાદમાં 11 ઓક્ટોબરના રોજ થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈને શહેરના ટ્રાફિક અને AMTS બસ રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે 28 AMTS રૂટની 183 બસો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. ટ્રાફિક પ્રતિબંધ સમય – તારીખ: 11 ઓક્ટોબર – સમય: બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 2:00 વાગ્યા સુધી – બસો વૈકલ્પિક માર્ગે: બપોરે 12:00 વાગ્યાથી કયા રસ્તા બંધ રહેશે? – રાયપુર ચાર રસ્તા થી પારસી અગિયારી રોડ – વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ – કાંકરિયા ગેટ નં. 3 થી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો માર્ગ નોંધ: ઉપરોક્ત માર્ગો પર નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. ખુલ્લા માર્ગ અને વૈકલ્પિક રસ્તા – વાણિજ્ય ભવનથી મણીનગર અને ખોખરા સુધીનો માર્ગ ચાલુ રહેશે…












