વાટાઘાટો નિષ્ફળ! પાક-અફઘાન તણાવ ચરમસીમાએ, ખ્વાજા આસિફના યુદ્ધ સંકેતથી ચકચાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો આખરે નિષ્ફળ નીવડી છે. બંને દેશોના સરકારી માધ્યમોએ વાટાઘાટો તૂટી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ, કાબુલ સરકારે પાકિસ્તાનની “કાયદેસર માંગણીઓ” સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે વાટાઘાટો અટકી ગઈ છે. પાકિસ્તાનની મુખ્ય માંગણીઓ પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે સ્પષ્ટ ખાતરી માંગી હતી કે તેની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી હુમલાઓ માટે નહીં કરવામાં આવે. પાકિસ્તાની રક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં રહેલી તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ની પ્રવૃત્તિઓ સતત વધતી જઈ રહી છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં અશાંતિ વધી રહી છે. અફઘાનિસ્તાને તેના પ્રતિભાવમાં જણાવ્યું કે તેની ટીમ રચનાત્મક વાટાઘાટો માટે પ્રતિબદ્ધ હતી, પરંતુ પાકિસ્તાની પક્ષે હઠીલો વલણ અપનાવ્યું. ખ્વાજા આસિફનું વિવાદાસ્પદ નિવેદન વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ…
કતરના અમીરે ભારતમાં 83 હજાર કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત
આરબ દેશોના સંગઠન ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ (GCC) ના વધુ એક સભ્યએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ ભારતમાં ૧૦ બિલિયન ડોલર એટલે કે ૮૩ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ ટેકનોલોજી, માળખાગત સુવિધા અને ઉત્પાદનના ક્ષેત્રોમાં કરવામાં આવશે. કતારના અમીરની આ મુલાકાત બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા અને સાંસ્કૃતિક સહયોગ વધારવામાં મદદ કરશે. મંગળવારે શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર અને ઊર્જા સંબંધિત અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. -> વર્ષ 2030 સુધીમાં, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ભારતમાં પણ પોતાનું કાર્યાલય ખોલશે :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાની વચ્ચે વિસ્તૃત વાતચીત થઈ. આ દરમિયાન,…









