ગૌહત્યાના કેસમાં આરોપીને સજા, હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષાને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમે ગૌ રક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી. પરંતુ ગૌ રક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણપણે ચરિતાર્થ પણ કરીએ છીએ. આજે સોશિયલ મીડિયામાં મૂકેલ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ શેખ મોશિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે.’ –> હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર:- ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા માટેનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને કાયદાનો અમલ અમારી સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે. અમારી સરકારે…
UAE અને સાઉદી અરબમાં ભારતીયોને ફાંસની સજાના આંકડા ચિંતાજનક, કાનુની સહાય મોટેભાગે નિષ્ફળ
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં તાજેતરમાં બે ભારતીય નાગરિકોને અલગ અલગ હત્યાના કેસમાં ફાંસી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે આ વ્યક્તિઓની ઓળખ મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલ તરીકે થઈ છે. તે મૂળ કેરળનો હતો. આ ઘટના વિદેશમાં, ખાસ કરીને યુએઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકોની ચિંતાજનક સ્થિતિ તરફ ધ્યાન દોરે છે. કેરળના મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને અનુક્રમે એક અમીરાતી નાગરિક અને એક ભારતીય નાગરિકની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.યુએઈની સર્વોચ્ચ અદાલત (કોર્ટ ઓફ કેસેશન) એ તેમની સજાને સમર્થન આપ્યું અને તેમને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ ફાંસી આપવામાં આવી. આ પણ વાંચો :- મસ્કને ઝટકો, લોન્ચીંગની થોડી જ ક્ષણોમાં સ્પેસએક્સ સ્ટારશિપ…
શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?
તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશની બાગડોર સંભાળી રહી છે. દરમિયાન બાંગ્લાદેશ સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.હાલમાં ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યાર્પણપાત્ર ફોજદારી કેસો અંગે થયેલી સંધિને જોતા ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી શકે છે. શેખ હસીના બાંગ્લાદેશ જશે તો તેમનું શું થશે? આ અંગે બાંગ્લાદેશના કાયદા શું છે? ચાલો તમને જણાવીએ. -> શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો કાર્યવાહીનો સામનો કરવો પડી…









