ભૂપેન્દ્ર પટેલ સરકારની મંત્રીમંડળનું વિસ્તરણ સંપન્ન, આ મંત્રીઓએ ન લીધા શપથ; જાણો શું છે કારણ
ગુજરાતમાં ફરી એક વખત ડેપ્યુટી મુખ્યમંત્રી ફોર્મ્યુલા પર નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું સમગ્ર લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. કેબિનેટમાં નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રધુમન વાજા, રમણ સોલંકીને સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા અને પરષોત્તમ સોલંકીએ રાજીનામું આપ્યું ન હોવાથી તેમણે શપથ લીધા ન હતા. કેબિનેટ જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડીયા ડૉ. પ્રધુમન વાજા રમણ સોલંકી કનુ દેસાઇ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો પ્રફુલ પાનશેરીયા મનીષા વકીલ ઈશ્વરસિહ પટેલ રાજ્યકક્ષા કાંતિ અમૃતિયા કૌશિક વેકરિયા જયરામ ગામિત પ્રવીણ…
2027 પહેલા દાદાનું જમ્બો મંત્રીમંડળ, આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં
વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીની યાદી જાહેર થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0 મંત્રીમંડળમાં 26 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ કુલ 10 પૂર્વ મંત્રીઓને પડતાં મૂકવામાં આવ્યા છે. આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં બળવંતસિંહ રાજપૂત રાઘવજી પટેલ ભાનુબેન બાબરિયા મૂળુ બેરા કુબેર ડિંડોર જગદીશ વિશ્વકર્મા મુકેશ પટેલ ભીખુસિંહ પરમાર બચુ ખાબડ કુંવરજી હળપતિ જોકે મંત્રી મંડળમાં જયેશ રાદડિયા, અમિત ઠાકર, ઉદય કાનગડ, મહેશ કસવાળા, હાર્દિક પટેલ, સી. જે. ચાવડા અને અલ્પેશ ઠાકોરના નામ પણ ચાલી રહ્યા હતા. પરંતુ આ કોઈ પણ નેતાઓ ને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:…
આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો સંભવિત મંત્રીઓનું લિસ્ટ
છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ખાતે પદમાનિત મંત્રીઓની શપથ વિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. આ સાથે જ નવા મંત્રીઓના નામને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ અનેક વર્તમાન મંત્રીઓના પત્તા કપાઇ શકે છે આ સાથે જ અમુક રાજ્યકક્ષાના મંત્રીઓનું પ્રમોશન પણ થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. મંત્રીઓને ગાંધીનગર ન છોડવા સૂચના ! આજે રેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 9 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે. આ સાથે…
મંત્રીમંડળનું થશે વિસ્તરણ !કોની સુધરશે દિવાળી ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
ગુજરાતના રાજકારણમાં કોઇ મોટાં ઓપરેશનની સંભાવના દિલ્હીમાં યોજાયેલી એક બેઠક પછી તેજ બની છે. સોમવારે અચાનક જ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ સી. આર પાટીલ વચ્ચે છ કલાકથી વધુ સમય માટે બેઠક ચાલી હતી. રાત્રે 11 વાગ્યા બાદ પણ આ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વધુ વેગ મળ્યો છે અને આ બેઠક બાદ એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે, હવે સરકારમાં ખૂબ મોટા બદલાવો આવી શકે તેમ છે. વર્તમાન મંત્રીમંડળમાં કયા ચહેરા રહેશે અને કયા કપાશે તેને લઇને હવે તર્ક કરવા કે…
ગુજરાતમાં દિવાળી પહેલા જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ? જાણો કોને લાગી શકે છે લોટરી અને કોને મુકાશે પડતાં
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે શુકવારે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે. ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટ આવતીકાલે મળી શકે છે. આ સાથે જ મંત્રીમંડળની વિસ્તરરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. રાજયપાલનો શુક્રવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આવતીકાલે રાજયપાલ દિલ્હીથી ગુજરાત આવશે. આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન અમિત ઠાકર મહેશ કસવાળા / કૌશિક વેકરીયા જીતુ વાઘાણી રિવાબા જાડેજા જયેશ રાદડિયા ઉદય કાંગડ સંજય કોરડીયા પ્રધયુમન વાજા અર્જુન…
આસામમાં ભાજપને લાગ્યો મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધરી દીધું રાજીનામું
આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે 17 અન્ય સભ્યો પણ જોડાયા છે. રાજેન ગોહૈને રાજ્ય ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાને લખેલા પત્રમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદ અને પાર્ટીની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામું આપનારા મોટાભાગના સભ્યો ઉપલા અને મધ્ય આસામના છે. પત્રકારો સાથે વાત કરતા, રાજેન ગોહૈને કહ્યું કે ભાજપ આસામના લોકોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગઈ અને સ્થાનિક સમુદાયો સાથે દગો કર્યો, જ્યારે બહારના લોકોને રાજ્યમાં સ્થાયી થવા દીધા.” ગોહૈનનું જાણો રાજકીય કરિયર રાજેન ગોહૈન…
ગુજરાત સરકારે દિવાળી પર જાહેર કરી વધુ એક રજા, સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે વધારાની રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તહેવારની ઉજવણી માટે વધુ લાંબો સમય મળી શકે છે. કઈ તારીખે રહેશે રજા? સરકારના આદેશ અનુસાર, રાજ્યની તમામ સરકારી કચેરીઓ, જેમાં પંચાયત કચેરીઓ અને રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનોનો સમાવેશ થાય છે, ૨૧ ઓક્ટોબર અને ૨૪ ઓક્ટોબરના રોજ બંધ રહેશે. આ રજાઓના કારણે કર્મચારીઓ દીપાવલી દરમિયાન વધુ આરામદાયક સમય વિતાવી શકશે. વધારાની રજાઓ માટે શરતો આ વધારાની બે રજાઓ બદલામાં સરકારી કર્મચારીઓને બે બીજા શનિવારે (સેકન્ડ સેટરડે) કામ કરવા ફરજ પડશે. જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવાયું છે કે: 8 નવેમ્બર, 2025 (નવેમ્બરનો બીજો શનિવાર) 13 ડિસેમ્બર, 2025 (ડિસેમ્બરનો બીજો શનિવાર) આ બંને તારીખે સરકારી…
તાઇવાનના રાષ્ટ્રપતિનો દાવો: ‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ’
તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ એવો અનોખો દાવો કર્યો છે. તેમનું માનવું છે કે જો ટ્રમ્પ ચીને તાઇવાન વિરુદ્ધ લશ્કરી બળનો ઉપયોગ ન કરવા માટે મનાવી શકે, તો તે આ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવાર બની શકે છે. ટ્રમ્પ અને તાઇવાન મુદ્દો તાઇવાનના રાષ્ટ્રપતિએ અમેરિકન રેડિયો શો અને પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, “જો ટ્રમ્પ શી જિનપિંગને તાઇવાન પર કોઈપણ લશ્કરી આક્રમણ ન કરવાની દિશામાં સ્થિર કરી શકે, તો તે નિઃસંદેહ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવે.” તેઓએ ઉમેર્યું કે, હાલમાં ચીન તાઇવાન પર દબાણ વધારી રહ્યો છે અને આ ફક્ત તાઇવાન માટે જ નહીં, પણ સમગ્ર આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પણ જોખમરૂપ છે. તેમ છતાં, તાઇવાનનો સૌથી મોટો સમર્થક…
ગુજરાત કોંગ્રેસને દિલ્હીનું તેડું, બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે યોજાશે બેઠક
ગુજરાત પર એક તરફ કોંગ્રેસનું ફોકસ છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાને દિલ્હીથી તેડું આવ્યું છે અને આજે બોપોરે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર હોદ્દેદારોની કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાશે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ પોતાના સોગઠાં ગોઠવી રહી છે. સંગઠન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ , વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષ નેતા તથા ઉપનેતા સહિતના સિનિયર હોદ્દેદારો આજે દિલ્હી પહોંચ્યા છે. આ સાથે આ તમામ નેતાઓ બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે બેઠકમાં હાજરી આપશે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનો ગ્રાફ એકદમ નીચે જઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું…
ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર
જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની…
















