ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સત્તાવાર જાહેર, જાણો આ નેતાની રાજકીય કારકિર્દી

જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપની કમાન સંભાળશે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે આજે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થયું છે. જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને તે સરકાર અને સંગઠન પર મજબૂત પકડ ધરાવે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન મોદીની ગૂડબૂકમાં પણ નામ ધરાવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. અ સાથે જ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. જગદીશ વિશ્વકર્માના જો વ્યવસાયની વાત કારવમાં આવે તો તે ટેક્સટાઈલ મશીનરી…

જગદીશ વિશ્વકર્માએ BJP પ્રદેશ પ્રમુખ માટે ભર્યું ફોર્મ, કાલે ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ

ગઇકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી જગદીશ પંચાલે આજે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ અન્ય બીજા કોઈ નેતાએ ફોર્મ ભર્યું નથી. ત્યારે આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થશે. જગદીશ વિશ્વકર્મા ભુપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તેમણે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. અન્ય વ્યક્તિએ ફોર્મ નથી ભર્યું ત્યારે હવે ગુજરાત ભાજપની કમાન જગદીશ વિશ્વકર્માના હાથે જશે અને તે પાટિલના ઉતરાધિકારી બનશે એ નિશ્ચિત છે. ગુજરાત ભાજપને મળશે 11માં પ્રદેશ અધ્યક્ષ આ વર્ષે ગુજરાતમાં પાલિકા અને પંચાયત યોજાશે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ…

આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ ! આ નેતાનું નામ લગભગ ફાઇનલ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલુઇ રહી છે. આ દરમિયાન હવે ગઇકાલે ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ ભાજપ આજે OBC નેતા જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા લગભગ ફાઇનલ માનવામાં આવે છે. હાલ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તે ફોર્મ ભરશે. બીજી તરફ આવતી કાલે મતદાન થશે. પરંતુ જો આજે કોઈ અન્ય વ્યક્તિ ફોર્મ ન ભરે તો આજે જ પ્રદેશ અધ્યક્ષના નામની થઈ શકે છે જાહેરાત. આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે બપોરે 12.39 કલાકે 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે. બીજી તરફ હવે એવી પણ…

વિજયાદશમીના દિવસે RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ | જનતા માગે જવાબ

RSS શતાબ્દી વર્ષની ઉજવણી ગુજરાતથી બુક વિમોચનથી શરૂ વિજયાદશમીના દિવસે RSS સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ 1925માં નાગપુરથી RSSની શરૂઆત 1926માં પ્રથમ શાખાની સ્થાપના, 20 યુવાનો સાથે સંઘનો આરંભ પ્રચારક પ્રથા દ્વારા હિન્દુ સમાજના સંગઠનનો સંદેશ મહારાષ્ટ્રના યુવાનો દ્વારા સંઘના સંદેશને દેશભરમાં ફેલાવ્યો મોહન ભાગવતના વિવાદાસ્પદ નિવેદનોથી સંઘની છબી પર અસર સંઘના નૈતિક મૂલ્યો અને મૂળ સિદ્ધાંતો પર પ્રશ્નચિહ્ન શું આરએસએસ ‘રાજકીય સેવા સંસ્થા’ બની રહી છે? 100 વર્ષ બાદ RSSના માર્ગ અને મિશન પર પુનર્વિચાર જરૂરી શતાબ્દી વર્ષમાં RSSના ભવિષ્ય માટે નવી દિશા જરૂરી શતાબ્દી ઉજવણીમાં હેગડેવરજીની મૂળ વિચારધારાનો અભાવ 1989ની જન્મ શતાબ્દી ઉજવણી સામે 2025ની શતાબ્દી ઉજવણી ફીકી કેમ? સંઘના નૈતિક અધપતન પર સેવકોમાં ઉદ્વેગ અને આત્મમંથન રાજકીય નેતાઓની નજીકતા RSSના મૂળ સિદ્ધાંતો સામે પડકાર…

અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ, પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

અમરેલી/ ગઈકાલે મોડી રાત્રે અમરેલીની સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર ધારીના દુધાળા નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતાપ દુધાતે અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો કર્યા છે. કોંગી નેતા પ્રતાપ દુધાત પર ગત રાત્રે ધારીના દૂધાળા નજીક હુમલાના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવેલો હતો જે મામલે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા ને અમરેલી એસ.પી.ને સમગ્ર ઘટના અંગે માહિતીઓ અને વિડિયો બતાવ્યા હતા રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે પ્રતાપ દુધાતે અમરેલી એસપી સંજય ખરાત ને મળ્યા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી ને અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ…

ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ત્રણ વખત હુમલાઓની ઘટના બની છે અને મોદીજીએ ત્રણેય આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આજે અમિત શાહન ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ છે. જેમાં ગાંધીનગરમાં અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું. અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આજે પાકિસ્તાન ભારતથી ડરે છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 9 એવા સ્થળોનો નાશ કર્યો જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા. આપણી…

ગોષ્ઠિ ગુજરાતની

પંકજ મકવાણા,અમદાવાદ/ સંવેદનશીલ સમયે હાર્દિકનો અવિચારી પ્રયોગ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે રવિવારે એક એવા સંવેદનશીલ સમયે કોંગ્રેસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંજોગો ચાલી રહ્યાં છે. મોટા ભાગના નેતાઓ સંયમ પાળીને શાંતિ જાળવી રહ્યા છે ત્યારે હાર્દિકે તત્કાલ ભૂતકાળના આતંકવાદી હુમલાઓ કોંગ્રેસના શાસનકાળ સાથે જોડીને એક જુનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની આ પોસ્ટને જનતાએ ઉત્તર આપ્યો નહિ. વળી, ઘણી જાતની ટીકા અને મિમ બનાવવામાં આવ્યા. કેટલાક લોકોએ 1971ના યુદ્ધ સમયે ઇન્દિરા ગાંધીની સખત નેતાગીરી યાદ અપાવી, જેના જવાબમાં હાર્દિકે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં, તેમના આ વલણથી ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ અસંતોષમાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે દુર્ઘટનાઓ અને તણાવભર્યા મુદ્દાઓ પર રાજકારણ…

રાજકોટ ભાજપના કોર્પોરેટરે તણાવભર્યા વાતાવરણમાં પણ જોયો રાજકીય લાભ ! કરી આ પોસ્ટ અને મામલો પહોંચ્યો પ્રદેશ કક્ષાએ…

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા વાતાવરણને લઈ સમગ્ર દેશ એક થઈ અને પાકિસ્તાન સામે જાણે મોરચો માંડ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બીજી તરફ હવે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. આ દરમિયાન રાજકોટ ભાજપના એક કોર્પોરેટરની પોસ્ટથી વિવાદ સામે આવ્યો છે. RAJKOT BJP નામના ગ્રૂપમાં કોર્પોરેટર ચેતન સુરેજાએ પોસ્ટ મૂકી હતી કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે…(જો આ પાછું નવું આવ્યું).’ RAJKOT BJP નામના વોટ્સએપ ગ્રૂપમાં વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટે રાજકોટ શહેર ભાજપના ટોચના હોદ્દેદારોને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ભાજપના આ ગ્રૂપમાં 462 જેટલા સભ્ય છે જેમાં રાજકોટના ચારેય ધારાસભ્ય, તમામ કોર્પોરેટર ઉપરાંત…

ખડગેનો મોટો દાવો, કહ્યું- PM મોદીને હતા આતંકી હુમલાના ઈનપુટ

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’ ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા, કોંગ્રેસ વડા ખડગેએ સરકારને સવાલ કરતાં કહ્યું કે, આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે…

ગુજરાતના આ ધારાસભ્યએ સમૂહલગ્નમાં ફર્યા ફેરા, કુરિવાજો સામે માંડ્યો મોરચો

સામાન રીતે ધારાસભ્ય ઠાઠ માઠથી રહેતા હોય છે. અમૂક ધારાસભ્યોને બાદ કરતાં તમામની રહેણી કહેણી વૈભવી હોય છે. અને પોતાના ઘરના પ્રસંગો ખૂબ ખર્ચ સાથે અને દેખાડા સાથે કરતાં હોય છે. આ દરમિયાન દાહોદના ધારાસભ્યએ સમૂહ લગ્નમાં ફેરા ફર્યા અને દાખલો બેસાડયો છે. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી લગ્નના તાંતણે બંધાયા છે. અને આ લગ્ન હવે ચર્ચાનો વિષે બન્યો છે. કારણકે ધારાસભ્યએ પોતાના લગ્ન અન્ય ત્રણ જરૂરિયાતમંદ યુગલો સાથે સમૂહ લગ્ન સમારોહમાં યોજીને સમાજને કુપ્રથાઓ સામે શક્તિશાળી સંદેશ આપ્યો છે. મહત્વની વાત એ છે કે ધારસભ્યના લગ્નમાં મુખ્યમંત્રીએ પણ હાજરી આપી હતી. આ પણ વાંચો: ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું બિરસામુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ પંચમહાલ- દાહોદ- મહીસાગર…