ગુજરાત સરકારે દિવાળી પર જાહેર કરી વધુ એક રજા, સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે વધારાની રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તહેવારની ઉજવણી માટે વધુ લાંબો સમય મળી શકે છે.

કઈ તારીખે રહેશે રજા?
સરકારના આદેશ અનુસાર, રાજ્યની તમામ સરકારી કચેરીઓ, જેમાં પંચાયત કચેરીઓ અને રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનોનો સમાવેશ થાય છે, ૨૧ ઓક્ટોબર અને ૨૪ ઓક્ટોબરના રોજ બંધ રહેશે. આ રજાઓના કારણે કર્મચારીઓ દીપાવલી દરમિયાન વધુ આરામદાયક સમય વિતાવી શકશે.

વધારાની રજાઓ માટે શરતો
આ વધારાની બે રજાઓ બદલામાં સરકારી કર્મચારીઓને બે બીજા શનિવારે (સેકન્ડ સેટરડે) કામ કરવા ફરજ પડશે.
જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવાયું છે કે:

8 નવેમ્બર, 2025 (નવેમ્બરનો બીજો શનિવાર)
13 ડિસેમ્બર, 2025 (ડિસેમ્બરનો બીજો શનિવાર)

આ બંને તારીખે સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે અને કાર્યસંચાલન ચાલુ રહેશે. સામાન્ય રીતે મહિનાના બીજા શનિવારે સરકારી કચેરીઓમાં રજા હોય છે, પરંતુ દિવાળી રજાઓને સમતુલ્ય રાખવા માટે આ શનિવારો કાર્યદિવસ રાખવામાં આવ્યો છે.

સરકારનો ઉદ્દેશ્ય
આ નિર્ણયથી રાજ્યના હજારો સરકારી કર્મચારીઓને તહેવાર દરમિયાન પૂરતો સમય મળે તેવી સુવિધા મળે તેમ છે, અને સાથે જ વહીવટી કામગીરીમાં વિક્ષેપ ન આવે તે માટે કાર્યસંચાલન સુનિશ્ચિત કરાશે.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *