એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે. આ એક્ઝિબિશનના માધ્યમમાંથી કંપનીઓને બિઝનેસ મળવાની સાથેસાથે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં હોટલ સહિત વિવિધ નાના-મોટા વેપારીઓને પણ ધંધામાં ફાયદો થવાની સાથે સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સાથે આ વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. તેના માધ્યમથી ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 80 થી 100 દિવસ સુધી વિવિધ પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન યોજાય છે જેના પરિણામે સ્થાનિક વેપારીઓને ખૂબ મોટો વેપાર મળી રહ્યો છે. આ એક્ઝિબિશન સેન્ટર ખાતે આવનાર કંપનીઓને વધુ સારી સુવિધા આપવાના ઉદ્દેશ સાથે આગામી સમયમાં આ સેન્ટરને વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટર તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓના સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈને AI તેમજ રોબોટ આધારિત મશિનરીની માહિતીની સાથે-સાથે ટેકનોલોજીમાં અપડેટ વિશે કંપની માલિકો પાસેથી વિગતો મેળવી સંવાદ કર્યો હતો. વધુમાં આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઈક ઈન ઈન્ડિયા’,’આત્મનિર્ભર ભારત’ અને ‘સ્વદેશી અભિયાન’ને વધુ પ્રોત્સાહન આપીને ભારતને એન્જિનિયરિંગ મશિનરી અને મેન્યુફેક્ચરિંગમાં વધુ આત્મનિર્ભર બનાવવા સૌ ઉદ્યોગપતિઓને અનુરોધ કર્યો હતો. અંદાજે 01 લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા આ એક્ઝિબિશનમાં 10,000 વધુ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું છે.એક્ઝિબિશનમાં વિવિધ ઉદ્યોગો વચ્ચે ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’ પણ યોજાશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની જેમ ખૂબ જ ખંતપૂર્વક કામગીરી કરી રહ્યા છે. જે પ્રશંસાને પાત્ર છે. નાગરિકોની સવલત માટે માન્ય રાજકીય પક્ષોના કુલ 50 હજારથી વધુ BLA પણ મતદાનયાદીની ખાસ સઘન સુધારણામાં મદદરૂપ બની રહ્યા છે. તદુપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વસ્તી જટિલતાને ધ્યાને લઈને BLOની મદદ માટે રાજ્યભરમાં 30 હજારથી વધુ સ્વયંસેવકોની પણ નિયુક્તિ કરાઈ છે. આગામી તબક્કાઓમાં BLO અને BLAની ભૂમિકા મહત્વની હોઈ, માન્ય રાજકીય પક્ષો વધુમાં વધુ BLAની નિયુક્તિ કરે તેવો અનુરોધ પણ મુખ્ય નિર્વાચન અધિકારી એ કર્યો હતો. મતદારોની મુંઝવણ અને પ્રશ્નોના સમાધાન માટે તા.15, 16, 22, 23, 29 અને 30 નવેમ્બર એમ 6 દિવસ રાજ્યભરમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ 50 લાખથી વધુ લોકોએ લીધો હતો. આગામી તબક્કાઓમાં પણ આવા કેમ્પ આયોજીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા. 16 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેમના નામ સમાવિષ્ટ ન હોય તેવા મતદારોની યાદી સમાવિષ્ટ ન થવાના કારણો સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રકાશિત કરવામાં આવશે તથા મુખ્ય નિર્વાચન અધિકારી ની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને તે કારણસર તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન આવે તેવા કિસ્સામાં તેઓ ફોર્મ નં 6 ભરી શકશે. તા.15 જાન્યુઆરી 2026 પહેલા જે મતદારનું ફોર્મ નં 6 મતદાર નોંધણી અધિકારીને મળી જશે, તેમના ફોર્મ મંજૂર થયેથી તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. તા. 15 જાન્યુઆરી 2026 પછી પણ કોઈપણ સમયે ફોર્મ 6/8 ભરી શકાશે અને તેવા મતદારોના નામનો સમાવેશ SIR બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન થઈ શકશે. બેઠકના અંત ભાગમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો હેતુ પુનઃ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓએ પણ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી પંચને સહકાર આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

રિવાબા જાડેજાએ 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ કરી મોટી ભવિષ્યવાણી; જાણો શું કહ્યું

ગુજરાત પ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું ફોકસ વધારે છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ આજે ગુજરાતને લઈ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને રિવાબા જાડેજા મેદાને ઉતાર્યા છે અને તેમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીને રિવાબાએ 2027ની ચૂંટણીને લઈને પણ જણાવ્યું કે, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમ છે. જીગ્નેશ મેવાણીના પોલીસને લઈને નિવેદન બાદ વિઓધ શરૂ થયો હતો. ત્યાર બાદ સમર્થન મામલે આવેદન પત્રો દેવાના શરૂ થયા. આ દરમિયાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે આજે રાહુલ ગાંધીએ x પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે સરકારને ઘેરી હતી. જેમનો જવાબ રિવાબાએ આપ્યો હતો. રિવાબાએ શું કરી પોસ્ટ રાહુલ ગાંધીની પોસ્ટમાં જવાબ આપતા રિવાબાએ x પર લખ્યું કે, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનો દર ફક્ત 1.48% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4 % કરતા અડધાથી પણ ઓછો છે.માતાઓ અને બહેનોની સુરક્ષાના સંદર્ભમાં ગુજરાત પહેલા નંબરે હતું, છે અને રહેશે. યાદ રાખો, 2027ની ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્ર કરશે નવી પાર્ટીની સ્થાપના ! કેમ ચર્ચાઓ થઈ શરૂ ?

ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના અવસાન બાદ તેમના સંતાનો રાજકારણમાં એન્ટ્રી કરવા માંથી રહ્યા છે. વર્ષ 2022ની ચૂંટણી પહેલા મુમતાઝ પટેલ ખૂબ જ ચર્ચામાં હતી. ત્યાર બાદ તેમના ભાઈ ફૈઝલ પટેલ પણ ચર્ચામાં આવ્યો. કોંગ્રેસ સાથેના સંબંધો બાદ પણ અન્ય પક્ષોના નેતાઓ સાથે ચર્ચાઓ થઈ. ત્યાર બાદ વર્ષ 2025ની શરૂઆતમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. અને હવે ફૈઝલ પટેલની પોસ્ટથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે કોંગ્રેસ (AP) પાર્ટી બનાવવાનો વિચાર કરતી પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે બહેન મુમતાઝ પટેલ કોંગ્રેસ (AP)માં જોડાય તેવી આશા વ્યક્ત કરી અને લોકો પાસે અભિપ્રાયો માંગ્યા છે. જુઓ બન્નેની પોસ્ટના સ્ક્રીન શૉટ શું કહ્યું મુમતાઝ પટેલે ફૈઝલ પટેલની પોસ્ટને લઈને મુમતાઝ પટેલે પણ એક પોસ્ટ શેર કરી છે. આ મારા ભાઈના વિચારો અને નિર્ણયો તેના અંગત છે. નવી પહેલ કે બીજા રાજકીય પક્ષોમાં જોડાવવાની મારી યોજના નથી. મને આ સાથે ન જોડશો. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં

ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર-ભથ્થા લેતો નહોતો. આજેપણ મને મળવાપાત્ર કોઈ જ પગાર-ભથ્થા હું સ્વીકારતો નથી. ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે. મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને GIDCમાં ચેરમેન પદ પર હતા. તે દરમિયાન પણ સરકાર પાસેથી કોઈ પણ જાતનો પગાર કે ભથ્થું લેતા ન હતા. ત્યાર બાદ તેઓ ધારાસભ્ય બન્યા અને મંત્રી બન્યા આ દરમિયાન પણ તેમણે કોઈ પગાર કે ભથ્થું લીધું ન હતું, ત્યારે હવે ફરીથી તેમણે પગાર કે ભથ્થું લેવાનો ઇનકાર કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી

ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે. ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. જાણો શું છે મામલો વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી ખાતે પહોંચ્યા હતા. આ સાથે જ ધારાસભ્ય મેવાણીએ દારૂ અને ડ્રગ ખુલ્લેઆમ વેચાતું હોવાના આક્ષેપ કર્યા હતા અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની ચીમકી આપી હતી. જેને લઈ થરાદના વેપારીઓ પોલીસના સમર્થનમાં ઉતાર્યા હતા. આ સાથે જ જીગ્નેશ મેવાણીના આ વર્તનથી નારાજગી દર્શાવી હતી અને ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જીગ્નેશ મેવાણીના આ નિવેદનથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

બિહાર: પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

બિહાર વિધાનસભા ચૂંટણીનું 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા રાષ્ટ્રીય લોકશાહી જોડાણને મજબૂત બહુમતી મળવાની આગાહી મહાગઠબંધનને મોટો ઝટકો લાગવાની શક્યતા જોવા મળી NDA ને 140થી 167 બેઠક મળવાની સંભાવાના મહાગઠબંધનને 70થી 103 બેઠકો મળવાની શક્યતા જન સૂરજ પાર્ટીને 0થી 5 બેઠક મળવાની શક્યયતા 243 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી

હવે મંત્રીઓને આ બે દિવસ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા અપાઈ સૂચના, જાણો વિગત

આ સંદર્ભે મંત્રી એ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. પ્રભારી મંત્રીઓને આપી આ સૂચના આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે. વધુમાં, બધા જ પ્રભારી મંત્રી ઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રી ને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ મુખ્યમંત્રી એ સૂચના આપી હતી. રોડની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવા તથા તેના પર જરૂરી સુપરવિઝન રખાવી તથા ક્યાંય પણ હલ્કી ગુણવત્તા જણાયતો સંબંધિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પણ તેમણે આદેશ આપ્યા છે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ માતાઓ અને બાળકોના આરોગ્ય સંભાળ સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં બાળમૃત્યુ દર અને માતા મૃત્યુદરના ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે સુસંગત રહી શકાય તે માટે વધુ સક્રિયતા સાથે કામ કરવા પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in    

ભૂપેન્દ્ર પટેલ સરકારની મંત્રીમંડળનું વિસ્તરણ સંપન્ન, આ મંત્રીઓએ ન લીધા શપથ; જાણો શું છે કારણ

ગુજરાતમાં ફરી એક વખત ડેપ્યુટી મુખ્યમંત્રી ફોર્મ્યુલા પર નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે.  આ સાથે જ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું સમગ્ર લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે.   કેબિનેટમાં નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રધુમન વાજા, રમણ સોલંકીને સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાથે જ  ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા અને પરષોત્તમ સોલંકીએ રાજીનામું આપ્યું ન હોવાથી તેમણે શપથ લીધા ન હતા. કેબિનેટ  જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડીયા ડૉ. પ્રધુમન વાજા રમણ સોલંકી કનુ દેસાઇ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો  પ્રફુલ પાનશેરીયા મનીષા વકીલ ઈશ્વરસિહ પટેલ રાજ્યકક્ષા કાંતિ અમૃતિયા કૌશિક વેકરિયા જયરામ ગામિત પ્રવીણ માળી કમલેશ પટેલ દર્શના વાઘેલા પરષોત્તમ સોલંકી ત્રિકમ છાંગા સંજયસિંહ મહીડા રીવાબા જાડેજા સ્વરૂપજી ઠાકોર પી.સી. બરંડા રમેશ કટારા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

2027 પહેલા દાદાનું જમ્બો મંત્રીમંડળ, આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં

વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીની યાદી જાહેર થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0 મંત્રીમંડળમાં 26 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ કુલ 10 પૂર્વ મંત્રીઓને પડતાં મૂકવામાં આવ્યા છે. આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં બળવંતસિંહ રાજપૂત રાઘવજી પટેલ ભાનુબેન બાબરિયા મૂળુ બેરા કુબેર ડિંડોર જગદીશ વિશ્વકર્મા મુકેશ પટેલ ભીખુસિંહ પરમાર બચુ ખાબડ કુંવરજી હળપતિ   જોકે મંત્રી મંડળમાં જયેશ રાદડિયા, અમિત ઠાકર, ઉદય કાનગડ, મહેશ કસવાળા, હાર્દિક પટેલ, સી. જે. ચાવડા અને  અલ્પેશ ઠાકોરના નામ પણ ચાલી રહ્યા હતા. પરંતુ આ કોઈ પણ નેતાઓ ને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in