અન્ના હજારેની ચેતવણીની અસર ! મહારાષ્ટ્ર સરકારે લીસહો મોટો નિર્ણય

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ગુરુવારે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં નહીં આવે, તો તેઓ જાન્યુઆરી 2026 માં આમરણાંત ઉપવાસ શરૂ કરશે. તેમણે અગાઉ યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન એક આંદોલનનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વધુમાં, આ આંદોલન એટલું વ્યાપક બન્યું કે તેમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટીએ દિલ્હીની ચૂંટણી જીતી લીધી. આ પાર્ટી હાલમાં પંજાબમાં સત્તામાં છે. અન્ના હજારેએ લોકાયુક્ત કાયદા અંગે ચેતવણી આપી હતી અને બીજા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ કાયદા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિધાનસભાએ આ કાયદા હેઠળ IAS અધિકારીઓનો સમાવેશ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી. આમ, મહારાષ્ટ્રમાં લોકાયુક્ત અધિનિયમ, 2023 માં સુધારો કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે કે આનાથી રાજ્યની વહીવટી…

વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે માતરમમાં ઉજાગર થતી માતૃભૂમિની ભાવના : અમિત શાહ સૈનિકોના બલિદાનમાં ગુંજે છે વંદે માતરમ : અમિત શાહ સરકાર દેશની વાસ્તવિકતા છુપાવવા માંગે છે : પ્રિયંકા વંદે માતરમ એ સ્વતંત્રતા માટે યુવાનોનો મંત્ર હતો : PM કોંગ્રેસ મુસ્લિમ લીગ સામે ઘુંટણીયે પડી : PM Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ…

મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની…

રિવાબા જાડેજાએ 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ કરી મોટી ભવિષ્યવાણી; જાણો શું કહ્યું

ગુજરાત પ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું ફોકસ વધારે છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ આજે ગુજરાતને લઈ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને રિવાબા જાડેજા મેદાને ઉતાર્યા છે અને તેમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીને રિવાબાએ 2027ની ચૂંટણીને લઈને પણ જણાવ્યું કે, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમ છે. જીગ્નેશ મેવાણીના પોલીસને લઈને નિવેદન બાદ વિઓધ શરૂ થયો હતો. ત્યાર બાદ સમર્થન મામલે આવેદન પત્રો દેવાના શરૂ થયા. આ દરમિયાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે આજે રાહુલ ગાંધીએ x પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે સરકારને ઘેરી હતી. જેમનો જવાબ રિવાબાએ આપ્યો હતો. રિવાબાએ શું કરી પોસ્ટ રાહુલ ગાંધીની પોસ્ટમાં જવાબ આપતા રિવાબાએ…

કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્ર કરશે નવી પાર્ટીની સ્થાપના ! કેમ ચર્ચાઓ થઈ શરૂ ?

ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના અવસાન બાદ તેમના સંતાનો રાજકારણમાં એન્ટ્રી કરવા માંથી રહ્યા છે. વર્ષ 2022ની ચૂંટણી પહેલા મુમતાઝ પટેલ ખૂબ જ ચર્ચામાં હતી. ત્યાર બાદ તેમના ભાઈ ફૈઝલ પટેલ પણ ચર્ચામાં આવ્યો. કોંગ્રેસ સાથેના સંબંધો બાદ પણ અન્ય પક્ષોના નેતાઓ સાથે ચર્ચાઓ થઈ. ત્યાર બાદ વર્ષ 2025ની શરૂઆતમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. અને હવે ફૈઝલ પટેલની પોસ્ટથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે કોંગ્રેસ (AP) પાર્ટી બનાવવાનો વિચાર કરતી પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે બહેન મુમતાઝ પટેલ કોંગ્રેસ (AP)માં જોડાય તેવી આશા વ્યક્ત કરી અને લોકો પાસે અભિપ્રાયો માંગ્યા છે. જુઓ બન્નેની…

ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં

ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર-ભથ્થા લેતો નહોતો. આજેપણ મને મળવાપાત્ર કોઈ જ પગાર-ભથ્થા હું સ્વીકારતો નથી. ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે. મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને…

કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી

ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે. ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. જાણો શું છે મામલો વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી…

બિહાર: પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

બિહાર વિધાનસભા ચૂંટણીનું 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા રાષ્ટ્રીય લોકશાહી જોડાણને મજબૂત બહુમતી મળવાની આગાહી મહાગઠબંધનને મોટો ઝટકો લાગવાની શક્યતા જોવા મળી NDA ને 140થી 167 બેઠક મળવાની સંભાવાના મહાગઠબંધનને 70થી 103 બેઠકો મળવાની શક્યતા જન સૂરજ પાર્ટીને 0થી 5 બેઠક મળવાની શક્યયતા 243 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી

હવે મંત્રીઓને આ બે દિવસ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા અપાઈ સૂચના, જાણો વિગત

આ સંદર્ભે મંત્રી એ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. પ્રભારી મંત્રીઓને આપી આ સૂચના આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે. વધુમાં, બધા જ પ્રભારી મંત્રી ઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રી ને સ્થળ-સ્થિતિનો…