ગુજરાતમાં દિવાળી પહેલા જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ? જાણો કોને લાગી શકે છે લોટરી અને કોને મુકાશે પડતાં

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે શુકવારે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે.

ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટ આવતીકાલે મળી શકે છે. આ સાથે જ મંત્રીમંડળની વિસ્તરરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. રાજયપાલનો શુક્રવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આવતીકાલે રાજયપાલ દિલ્હીથી ગુજરાત આવશે.

આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન
અમિત ઠાકર
મહેશ કસવાળા / કૌશિક વેકરીયા
જીતુ વાઘાણી
રિવાબા જાડેજા
જયેશ રાદડિયા
ઉદય કાંગડ
સંજય કોરડીયા
પ્રધયુમન વાજા
અર્જુન મોઢવાડીયા
દર્શિતા શાહ
સંગીતા પાટિલ

આ નેતાના કપાઈ શકે છે પત્તા
કુબેર ડીંડોર
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
બચુ ખાબડ
જગદીશ વિશ્વકર્મા

આ સમિકરણ પર નજર
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે જોવાનું રહ્યું કે, ભાવનગર જિલ્લાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પરષોત્તમ સોલંકીની જો મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવે છે તો તેમના ભાઈ અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની મંત્રીમંડળમાં એન્ટ્રી થશે. બીજી તરફ કુંવરજી બાવળિયાના નામને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે, મંત્રીમંડળ માંથી બાદબાકી થઈ શકે છે. આ સાથે જ હર્ષ સંઘવી અને પ્રફુલ પાનશેરીયાનું પણ પ્રમોશન થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

‘ઇમ્યુનિટી’ના નામે ભ્રામક દાવા પર FSSAIની કડક નજર, સેલેબ્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે ચેતવણી

સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવ વચ્ચે FSSAIમાં ફૂડ અને હેલ્થ પ્રોડક્ટ્સની જાહેરાતો પણ ઝડપથી વધી રહી છે. હેલ્થ ડ્રિંક્સ, પ્રોટીન પ્રોડક્ટ્સ, નાસ્તા, સપ્લિમેન્ટ્સ અને પેક્ડ ફૂડને લઈને સેલેબ્રિટીઝ તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ દ્વારા કરવામાં આવતા દાવાઓ હવે નિયમનકારી સંસ્થાની નજર હેઠળ છે. ખાસ કરીને કોઈ ખાદ્ય ઉત્પાદન ‘ઈમ્યુનિટી વધારે છે’, ‘સ્વાસ્થ્ય સુધારે છે’ અથવા ચોક્કસ પોષક લાભ આપે છે જેવા દાવા પૂરતા વૈજ્ઞાનિક આધાર વગર કરવામાં આવે તો ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. FSSAI ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI)ના નિયમો મુજબ ખાદ્ય પદાર્થોની જાહેરાત અને હેલ્થ ક્લેમ સત્ય, સ્પષ્ટ, અર્થપૂર્ણ અને ગ્રાહકને ગેરમાર્ગે ન દોરનારા હોવા જોઈએ. FSSAIના હાલના નિયમનકારી માળખામાં Food Safety and Standards (Advertising and Claims) Regulations, 2018નો સમાવેશ…

અબજો ડોલરના યુદ્ધજહાજો અને સબમરીન બચાવવા રશિયાનું ‘Mad Max’ કવચ

રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોનનો વધતો ઉપયોગ હવે માત્ર જમીન પરના યુદ્ધને જ નહીં, પરંતુ સમુદ્રી યુદ્ધની વ્યૂહરચનાને પણ બદલી રહ્યો છે. યુક્રેન તરફથી રશિયન નૌકાદળ અને કાળા સમુદ્રમાં આવેલા લશ્કરી તથા વ્યૂહાત્મક ઠેકાણાઓ સામે ડ્રોન હુમલાઓ વધતા રશિયાએ પોતાના કિંમતી નૌકાદળના સાધનોને બચાવવા માટે અસામાન્ય પ્રકારનું રક્ષણાત્મક કવચ તૈયાર કર્યું છે. રશિયન સબમરીન અને પેટ્રોલ બોટ પર લગાવવામાં આવેલી ધાતુની જાળી અને કેજ જેવી રચનાઓને કારણે તેમના દેખાવને કેટલાક સંરક્ષણ વિશ્લેષકો અને મીડિયાએ હોલીવુડની પોસ્ટ-એપોકેલિપ્ટિક ફિલ્મ ‘Mad Max’ સાથે સરખાવ્યો છે. જોકે આ માત્ર દેખાવનો મામલો નથી; આ ફેરફાર આધુનિક યુદ્ધમાં ડ્રોનથી ઊભા થયેલા નવા જોખમ સામે રશિયાની તાત્કાલિક અનુકૂલન વ્યૂહરચના દર્શાવે છે. સબમરીન પર પણ ‘કેજ’નું કવચ જુલાઈ 2026માં સામે આવેલી સેટેલાઇટ તસવીરોમાં રશિયાના બ્લેક સી…