ગુજરાતમાં દિવાળી પહેલા જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ? જાણો કોને લાગી શકે છે લોટરી અને કોને મુકાશે પડતાં

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે શુકવારે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે.

ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટ આવતીકાલે મળી શકે છે. આ સાથે જ મંત્રીમંડળની વિસ્તરરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. રાજયપાલનો શુક્રવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આવતીકાલે રાજયપાલ દિલ્હીથી ગુજરાત આવશે.

આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન
અમિત ઠાકર
મહેશ કસવાળા / કૌશિક વેકરીયા
જીતુ વાઘાણી
રિવાબા જાડેજા
જયેશ રાદડિયા
ઉદય કાંગડ
સંજય કોરડીયા
પ્રધયુમન વાજા
અર્જુન મોઢવાડીયા
દર્શિતા શાહ
સંગીતા પાટિલ

આ નેતાના કપાઈ શકે છે પત્તા
કુબેર ડીંડોર
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
બચુ ખાબડ
જગદીશ વિશ્વકર્મા

આ સમિકરણ પર નજર
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે જોવાનું રહ્યું કે, ભાવનગર જિલ્લાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પરષોત્તમ સોલંકીની જો મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવે છે તો તેમના ભાઈ અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની મંત્રીમંડળમાં એન્ટ્રી થશે. બીજી તરફ કુંવરજી બાવળિયાના નામને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે, મંત્રીમંડળ માંથી બાદબાકી થઈ શકે છે. આ સાથે જ હર્ષ સંઘવી અને પ્રફુલ પાનશેરીયાનું પણ પ્રમોશન થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

80th Independence Day Celebration Inspiring Leadership: લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરકાવ્યો તિરંગો

Independence Day નવી દિલ્હી: ભારત આજે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો Independence Day દેશભરમાં ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવીને દેશને સંબોધન કર્યું. આ સાથે તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ વધુ મજબૂત રીતે રજૂ કર્યો. આ વર્ષના Independence Dayની ઉજવણીમાં **‘Yuva Shakti for Viksit Bharat@2047’**ને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. Independence Dayએટલે કે આગામી વર્ષોમાં ભારતના વિકાસની ગતિ વધારવામાં દેશના યુવાનોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પણ યુવાનો, નવીનતા, ટેક્નોલોજી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારીને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો…

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ, 15 ઓગસ્ટે 15 જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં ચોમાસું હાલ સક્રિય સ્થિતિમાં છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. 15 ઓગસ્ટે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના 14 ઓગસ્ટના અપડેટ મુજબ ગુજરાત રિજન માટે 14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદ તેમજ ગાજવીજની ચેતવણી છે, જ્યારે ત્યારબાદના દિવસોમાં કોઈ ભારે વરસાદની વિશેષ ચેતવણી દર્શાવવામાં આવી નથી. 15 ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા આગામી 15 ઓગસ્ટે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ…