બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતાએ ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ખાલિદા ઝિયાના પક્ષ, બીએનપી, એ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, બીએનપીએ જણાવ્યું હતું કે ડોકટરોએ તેમને થોડા સમય પહેલા મૃત જાહેર કર્યા હતા. ખાલિદા ઝિયાએ સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બીએનપીની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, પૂર્વ વડા પ્રધાન ખાલિદાની તબિયત 29-30 ડિસેમ્બરની રાત્રે બગડી ગઈ હતી. તેમની તબિયત વધુ ખરાબ થતાં, તેમને સારવાર માટે વિદેશ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. કતારથી એક…

હું બાંગ્લાદેશનો મામલો વડાપ્રધાન મોદીના હાથમાં છોડી દઉં છું: ટ્રમ્પ

અમેરિકાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. આ મુલાકાત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને એક મોટી વાત કહી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, “અમેરિકન ડીપ સ્ટેટની બાંગ્લાદેશમાં કોઈ ભૂમિકા નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફક્ત વડા પ્રધાન મોદી જ બાંગ્લાદેશ મામલે નિર્ણય લેશે. -> રાષ્ટ્રપતિ ટ્રમ્પને બાંગ્લાદેશ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો :- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન એક પત્રકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અંગે પ્રશ્ન પૂછ્યો. પત્રકારે ટ્રમ્પને પૂછ્યું, “તમે બાંગ્લાદેશ વિશે શું કહેવા માંગો છો?” આપણે…