સોનમ વાંગચુકની મુક્તિ પર કેન્દ્રની ‘બ્રેક’: સુપ્રીમ કોર્ટમાં સરકારે રિહાઈનો કર્યો સખત વિરોધ

લદ્દાખના પર્યાવરણવિદ અને ‘રીયલ લાઈફ ફૂનસુખ વાંગડુ’ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકની અટકાયતનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકને સ્વાસ્થ્યના આધારે મુક્ત કરી શકાય તેમ નથી, કારણ કે તેઓ મેડિકલ દ્રષ્ટિએ સંપૂર્ણપણે સ્વસ્થ છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમના પતિનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે, તેથી તેમને જામીન આપવામાં આવે. જોકે, કેન્દ્ર સરકાર વતી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે, “અટકાયત દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ વખત વાંગચુકની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તમામ રિપોર્ટ્સ મુજબ તેઓ શારીરિક રીતે સક્ષમ છે અને તેમને કોઈ ગંભીર બીમારી નથી.” લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ…

સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”

લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર…

સોનમ વાંગચુકની ધરપકડ મામલે તેમની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો શું કહ્યું

લદ્દાખમાં ઝેન- ઝી વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ તાજેતરમાં ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગ્મોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે વાંગચુકની ધરપકડને પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે. ગીતાંજલી આંગ્મોએ ધરપકડને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે . તેમણે એમ પણ કહ્યું કે તેમને હજુ સુધી અટકાયતના આદેશની નકલ મળી નથી, જે નિયમોનું ઉલ્લંઘન છે. ગીતાંજલિ આંગ્મોએ વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં વાંગચુકની તાત્કાલિક મુક્તિનો સમાવેશ થાય છે. આ અરજી તેમના પતિની અટકાયત બાદ દાખલ કરવામાં આવી હતી. ઉઠાવ્યો ગંભીર મુદ્દો ગીતાંજલી આંગ્મોએ પોતાની…