ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું
આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…
કર્ણાટક : 4 દિવસમાં 31 કાળિયારના મોત, પ્રાણી સંગ્રહાલય કિત્તુર રાણી ચેન્નમ્મા ‘કબ્રસ્તાન’ બન્યું
કર્ણાટકના બેલાગવી જિલ્લામાં આવેલા કિત્તુર રાણી ચેન્નમ્મા પ્રાણી સંગ્રહાલયમાં ગભરાવનારી ઘટના બની છે. માત્ર ચાર દિવસમાં 31 કાળિયારનું મોત થયું છે. પ્રારંભિક તપાસમાં આ મૃત્યુનું મુખ્ય કારણ બેક્ટેરિયલ ચેપ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુની વિગતવાર વિગતો – ગુરુવારે: 8 કાળિયારનું મૃત્યુ – શનિવારે: 20 કાળિયારનું મોત – છેલ્લા બે દિવસમાં: 3 કાળિયારનું મૃત્યુ આ ઘટનાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્રાણી સંગ્રહાલયમાં હવે માત્ર સાત કાળિયાર જ બચ્યા છે, જેના કારણે સમગ્ર ટોળું લગભગ નાશ પામ્યું હોવાનું અનુમાન છે. સરકારી કાર્યવાહી અને તપાસ કર્ણાટકના વનમંત્રી ઈશ્વર ખંડ્રેે પોતે બેલાગવી પહોંચીને પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું “આ ઘટના ખૂબ જ પીડાદાયક છે. મુખ્ય કારણને સમજીને પૂરતી તપાસ કરવી અત્યંત જરૂરી છે, કે આ…







