Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલીમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની વ્યાજખોરો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે વ્યાજખોરોના ત્રાસના કારણે 57 વર્ષીય પ્રાગજી વસોયાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતુ. તેમનો નાનો દીકરો રવિ હોટ ફિક્સ મશીનનો ધંધો કરતો હતો. આ પણ વાંચો :- Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું મળતી માહિતી મુજબ, ધંધામાં દેવું કરીને ભાગી જતા ભાગીદારો પિતાને ધમકાવતા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે આપઘાત કર્યો હતો. જેમાં આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં પૈસા ન હોવાનું કહ્યું હતું. આ પણ વાંચો…
એસએસ રાજામૌલી: એક નજીકના મિત્રએ રાજામૌલી પર ગંભીર આરોપ લગાવ્યા, સુસાઇડ નોટમાં ‘પ્રેમ ત્રિકોણ’નો ઉલ્લેખ કર્યો
નિર્માતા ઉપ્પલાપતિ શ્રીનિવાસ રાવે ‘RRR’ અને ‘બાહુબલી’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પીઢ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે દાવો કર્યો છે કે તેના નજીકના મિત્ર રાજામૌલીએ તેની કારકિર્દી બરબાદ કરી દીધી હતી અને તેને ત્રાસ આપ્યો હતો. રાજામૌલી પર ગંભીર આરોપો :- ઉપ્પલાપતિ શ્રીનિવાસએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે આત્મહત્યા વિશે વાત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં તેણે ખુલ્લેઆમ દોષારોપણ કર્યું અને કહ્યું- ‘ભારતના નંબર વન ડિરેક્ટર, એસએસ રાજામૌલી અને રામા રાજામૌલી, મારી આત્મહત્યા માટે જવાબદાર છે.’ તમને લાગશે કે હું આ પ્રચાર માટે કરી રહ્યો છું, પણ આ મારો છેલ્લો પત્ર છે. આ દરમિયાન તેમણે એક મહિલાનો પણ ઉલ્લેખ કર્યો. આ પણ વાંચો :- બિગ બી: અમિતાભ બચ્ચને…








