ગુજરાતમાં ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’નો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સરપંચોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા આહ્વાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચો માટે લીધો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં યોજાશે વિશેષ તાલીમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન આપવા અને પંચાયત વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના તમામ સરપંચોને ‘ગ્રામ શક્તિ’ અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે, જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિધાનસભા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. તાલીમમાં શું શીખવવામાં આવશે? આ એક દિવસીય તાલીમમાં સરપંચોને ગ્રામ શક્તિ યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્યમંત્રીના મતે, સરપંચો ગામના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે, અને તેમને યોગ્ય તાલીમ મળવાથી આત્મનિર્ભરતા અને પારદર્શક વહીવટને પ્રોત્સાહન મળશે. 2666 ગામોમાં પોતીકા ગ્રામ પંચાયત ઘર મુખ્યમંત્રી દ્વારા રાજ્યના 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટમાં રૂ. 663 કરોડનો ખર્ચ થશે અને પરિણામે ગ્રામ્ય નાગરિકોને સ્થાનિક સ્તરે…








