આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર, જાણો ભાડુઆતોને પણ મફત વીજળી-પાણી ઉપરાંત બીજુ શું
આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીને લઈને તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. અરવિંદ કેજરીવાલે સોમવારે 15 ગેરંટી આપી હતી. તેમણે કહ્યું કે યુવાનોને રોજગારની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત સંજીવની યોજના હેઠળ વૃદ્ધોને મફત સારવાર આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે ભાજપે ષડયંત્ર રચીને મને જેલમાં મોકલી દીધો અને ત્યાર બાદ દિલ્હીના લોકોને ખોટા પાણીના બિલ મોકલવામાં આવ્યા. સરકાર બન્યા બાદ આ તમામ બિલ માફ કરવામાં આવશે. તેમણે કહ્યું- સરકાર બન્યા બાદ ભાડુઆતોને પણ મફત વીજળી અને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ દરમિયાન કેજરીવાલે મંચ પરથી સ્વીકાર્યું કે કોરોના અને પછી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જવાને કારણે તેઓ 2020માં કરેલા ત્રણ વચનો પૂરા કરી શક્યા નથી. આ ત્રણ વચનો હતા – દરેક ઘરમાં ચોવીસ કલાક શુદ્ધ પાણીનો…
કેજરીવાલનું મોટુ એલાન, ચૂંટણી પછી ભાડૂઆતોને પણ આપીશું મફત વીજળી અને પાણીની સુવિધા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત છે કે ભાડૂઆતો આનો લાભ લઈ શકતા નથી. આના ઘણા કારણો હોઈ શકે છે. મારું માનવું છે કે ભાડૂઆતોને પણ આનો લાભ મળવો જોઈએ.તેમણે કહ્યું, “દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી, અમે એક યોજના લઈને આવીશું જેના હેઠળ ભાડૂઆતોને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળશે. -> ભાડૂઆતોને મફત વીજળી અને પાણી યોજનાનો લાભ મળશે :- મફત વીજળી અને પાણીના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીવાસીઓને 200 યુનિટથી મફત વીજળી મળે છે. ૨૦૦ થી ૪૦૦ યુનિટ પર અડધો ચાર્જ વસૂલવામાં આવે છે. દિલ્હીમાં રહેતા ભાડૂઆતોને વિવિધ કારણોસર…








