LOC પર આખી રાત થયું ફાયરિંગ, ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LOC) નજીક કેટલાક સ્થળોએ ગોળીબાર શરૂ કરી દીધો છે. ભારતીય સેનાએ આનો વળતો જવાબ આપ્યો. મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી. પાકિસ્તાની સેના દ્વારા LoC પર અનેક ચોકીઓ પરથી આ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ હુમલામાં ભારતીય પક્ષે કોઈ નુકસાન થયું નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ નાના હથિયારોથી સરહદ પર હુમલો કર્યો હતો. આપણી સેનાએ યોગ્ય જવાબ આપ્યો. હાલમાં આ મામલે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. હાલમાં કોઈ નુકસાન થયું નથી. પહેલગામ હુમલા બાદ ભારત એક્શન મોડમાં ભારતે પાકિસ્તાનને પત્ર લખીને સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાણ કરી હતી. આમાં ભારતે કહ્યું હતું કે, “સમય સાથે વસ્તી બદલાઈ છે. વસ્તીમાં ફેરફાર સાથે સંધિમાં…







