સંધ્યા થિયેટરમાં નાસભાગનો ભોગ બનનાર પીડિત પરિવારને અપાશે 2 કરોડ, અલ્લુ અર્જુનના પિતાની જાહેરાત
‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુનના ફિલ્મ નિર્માતા પિતા અલ્લુ અરવિંદે મોટી જાહેરાત કરી છે. તેમણે નાસભાગનો ભોગ બનેલા 8 વર્ષના બાળકને 2 કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે. અગાઉ, ફિલ્મના નિર્દેશક સુકુમાર અને તેમની પત્નીએ પીડિત પરિવારને 5 લાખ રૂપિયા આપ્યા હતા અને મેકર્સ દ્વારા 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કલાકારોથી લઈને ફિલ્મની ટીમ સુધી, સૌએ પીડિત પરિવાર તરફ મદદનો હાથ લંબાવ્યો છે.. 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં 8 વર્ષનો શ્રેતેજ ગંભીર રીતે ઘાયલ થયો છે, અને હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની માતા રેવતીનું અવસાન થયું છે.. આ કેસમાં અલ્લુ અર્જુનની પણ બેદરકારીનો આરોપ લગાવીને ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા કલાકોમાં જ તેને છોડી દેવામાં આવ્યો હતો. -> અલ્લુ અર્જુનના…







