ભાગેડુ મેહુલ ચોક્સીને મોટો આંચકો, બેલ્જિયમ કોર્ટમાં ભારત પ્રત્યાર્પણ માર્ગ ખુલ્લો
ભાગેડુ ભારતીય હીરા વેપારી મેહુલ ચોક્સી માટે મોટી ખવરદારી આવી છે, કારણ કે બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે તેની ભારત પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી દીધી છે. આ નિર્ણયથી ભારતની એજન્સીઓને આશા છે કે ટૂંક સમયમાં મેહુલ ચોક્સીને ભારતીય કાયદા મુજબ લાવવામાં આવશે, જે ₹13,000 કરોડના પંજાબ નેશનલ બેંક કૌભાંડ સંબંધિત છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય: બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, કોર્ટ ઓફ કેસેશે મંગળવારે પોતાનો ચુકાદો જાહેર કર્યો. પીટીઆઈના અહેવાલ મુજબ, એણે મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણને પડકારતી અરજીને ફગાવી દેતા કોર્ટ ઓફ અપીલના નિર્ણય અમલમાં રહેશે. કોર્ટના અધિકારી હેનરી વાન્ડરલિન્ડે જણાવ્યું કે આ નિર્ણય બાદ, ચોક્સીનો ભારત પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્લો થયો છે. અપિલની પૃષ્ઠભૂમિ: અગાઉ એન્ટવર્પમાં આવેલ અપીલ કોર્ટે ભારતની વિનંતીને સમર્થન આપ્યું હતું. 29 નવેમ્બર, 2024ના પ્રી-ટ્રાયલ સુનાવણીમાં પણ આ…
મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ માર્ગ ખુલ્યો, બેલ્જિયમની કોર્ટે ભારતની વિનંતી મંજુર કરી
બેલ્જિયમની કોર્ટ દ્વારા પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ આદેશ જારી કરાયો છે. આ નિર્ણયથી ભારત માટે ચોક્સીને પાછો લાવવાનો માર્ગ સાફ થયો છે. PNB કૌભાંડમાં મેહુલ ચોક્સીનો મોટો ભાગ મેહુલ ચોક્સી પીએમબીના ₹13,000 કરોડના ગેરકાયદેસર લોન કૌભાંડમાં મુખ્ય આરોપી છે. આ કૌભાંડમાં તેના ભત્રીજા નીરવ મોદી પણ સંડોવાયેલ છે. 2018 પછી મેહુલ ચોક્સી વિદેશમાં ફરાર છે અને Antigua નાગરિકત્વ લીધા બાદ પલાયન છે. બેલ્જિયમ કોર્ટની ફરમાઈશ બેલ્જિયમની કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને માન્ય રાખી, પ્રાથમિક રીતે ચોક્સીની ધરપકડ અને પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય પછી હવે બેલ્જિયમની કોર્ટ વધુ સુનાવણીઓ કરી, અંતિમ નિર્ણય કરશે. ભારતની માનવ અધિકાર ખાતરી ભારત સરકારે બેલ્જિયમ કોર્ટને ખાતરી આપી છે…
મુંબઇ હુમલાના ઓરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકન કોર્ટે આપી મંજુરી
૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે. યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુરની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે ભારત પ્રત્યાર્પણના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી. તેણે દલીલ કરી હતી કે જો તેનુ ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો ત્યાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી શકે છે. તહવ્વુરની ચાલ નિષ્ફળ ગઈ :- અગાઉ, તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે એક નવી યુક્તિ અપનાવી હતી. રાણાએ પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે યુએસ સુપ્રીમ કોર્ટમાં ઇમરજન્સી અરજી દાખલ કરી હતી. આ પણ વાંચો :- ઉત્તરાખંડમાં કોઈ ઑફ-સીઝન ન હોવી જોઈએ. અહીં પર્યટન હંમેશા ચાલુ રહેવું જોઈએઃ વડાપ્રધાન મોદી ‘ભારતમાં પાકિસ્તાની મૂળના મુસ્લિમોને હેરાન કરવામાં આવશે’ :- અરજીમાં તેણે દાવો…
મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને યુએસ સુપ્રીમ કોર્ટની મંજૂરી
યુએસ સુપ્રીમ કોર્ટે શનિવારે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું. તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકી હુમલાના કેસમાં વોન્ટેડ છે. નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી, તહવ્વુર રાણાએ ભારતને પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. -> તહવ્વુર રાણા પાસે આ છેલ્લી તક હતી :- તહવ્વુર રાણાએ છેલ્લીવાર નીચલી અદાલતો અને ઘણી ફેડરલ અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી સાન ફ્રાન્સિસ્કોમાં ઉત્તરીય સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સનો સંપર્ક કર્યો હતો. પ્રત્યાર્પણ ટાળવા માટે રાણાની આ છેલ્લી કાનૂની તક હતી. -> આ ગંભીર આરોપો છે :- ઉલ્લેખનીય છે કે રાણા પર મુંબઇ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ હેડલીને…
શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?
તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશની બાગડોર સંભાળી રહી છે. દરમિયાન બાંગ્લાદેશ સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.હાલમાં ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યાર્પણપાત્ર ફોજદારી કેસો અંગે થયેલી સંધિને જોતા ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી શકે છે. શેખ હસીના બાંગ્લાદેશ જશે તો તેમનું શું થશે? આ અંગે બાંગ્લાદેશના કાયદા શું છે? ચાલો તમને જણાવીએ. -> શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો કાર્યવાહીનો સામનો કરવો પડી…











