રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનના અધ્યક્ષની નિમણૂકને લઇ રાહુલ ગાંધી-ખડગેએ અસંમતિનો પત્ર આપ્યો
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ NHRC અધ્યક્ષની નિમણૂકને લઈને બેઠકમાં અસંમતિનો પત્ર આપ્યો છે. બંને દિગ્ગજ નેતાઓએ નિમણૂક પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવ્યા છે. બંને નેતાઓએ જણાવ્યું હતું કે બેઠકમાં નામો નક્કી થઈ ગયા હતા અને પ્રક્રિયાનું પાલન થયું ન હતું. બંને નેતાઓએ અધ્યક્ષ પદ માટે જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન અને જસ્ટિસ કેએમ જોસેફના નામ સૂચવ્યા હતા, જેને ફગાવી દેવામાં આવ્યા હતા. -> આ આક્ષેપ અસહમતિ પત્રમાં કરવામાં આવ્યો હતો :- જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ અકીલ અબ્દુલ હમીદ કુરેશીના નામ NHRCના સભ્યો તરીકે સૂચવવામાં આવ્યા હતા. બંને નેતાઓએ તેમના અસંમતિ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે નિમણૂક સમિતિમાં બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો અને સર્વસંમતિના આધારે નહીં. નિમણૂક સમિતિની બેઠક 18 ડિસેમ્બરે મળી હતી. બેઠક…







