રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનના અધ્યક્ષની નિમણૂકને લઇ રાહુલ ગાંધી-ખડગેએ અસંમતિનો પત્ર આપ્યો

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ NHRC અધ્યક્ષની નિમણૂકને લઈને બેઠકમાં અસંમતિનો પત્ર આપ્યો છે. બંને દિગ્ગજ નેતાઓએ નિમણૂક પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવ્યા છે. બંને નેતાઓએ જણાવ્યું હતું કે બેઠકમાં નામો નક્કી થઈ ગયા હતા અને પ્રક્રિયાનું પાલન થયું ન હતું. બંને નેતાઓએ અધ્યક્ષ પદ માટે જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન અને જસ્ટિસ કેએમ જોસેફના નામ સૂચવ્યા હતા, જેને ફગાવી દેવામાં આવ્યા હતા.

-> આ આક્ષેપ અસહમતિ પત્રમાં કરવામાં આવ્યો હતો :- જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ અકીલ અબ્દુલ હમીદ કુરેશીના નામ NHRCના સભ્યો તરીકે સૂચવવામાં આવ્યા હતા. બંને નેતાઓએ તેમના અસંમતિ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે નિમણૂક સમિતિમાં બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો અને સર્વસંમતિના આધારે નહીં. નિમણૂક સમિતિની બેઠક 18 ડિસેમ્બરે મળી હતી. બેઠક બાદ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી રામાસુબ્રમણ્યનને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ સમિતિમાં પીએમ, લોકસભાના સ્પીકર, ગૃહમંત્રી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ ઉપરાંત લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદમાં વિપક્ષના નેતાઓ તરીકે, વડા પ્રધાનની આગેવાની હેઠળની સમિતિના સભ્યો છે.

Related Posts

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: વડાપ્રધાન મોદીએ આજે દેશને આપ્યો વિકાસનો મંત્ર!

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: રાષ્ટ્રના નવનિર્માણ અને જનભાગીદારીનું પર્વ! આજે ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૫મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓને સંબોધિત…

આત્મનિર્ભર ગુજરાત તરફ વધુ એક ડગલું! અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નું ભવ્ય લોન્ચિંગ.

ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ: અમિત શાહે લોન્ચ કરી ‘ભારત ટેક્સી’ સેવા, ડ્રાઇવરો બનશે માલિક! અમદાવાદ: ગુજરાતના પરિવહન અને રોજગાર ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *