પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારનો એક્શન મોડ: આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં મંગળવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો, જેમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનાને પગલે કેન્દ્ર સરકાર તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. 24 એપ્રિલે સર્વપક્ષીય બેઠક આ મુદ્દે કેન્દ્ર સરકારે આવતીકાલે, એટલે કે 24 એપ્રિલે દિલ્હીમાં સર્વપક્ષीय બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ કરશે. સરકારી સૂત્રો અનુસાર, આ બેઠકમાં હાલની સુરક્ષા પરિસ્થિતિ, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને કાશ્મીર વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો અંગે ચર્ચા થઈ શકે છે. જો કે, હજુ સુધી આ બેઠક અંગે કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં…
પહેલગામ આતંકી હુમલા અંગે કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, સરકાર પાસે કરી આ માંગ
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને તેને “ક્રૂર” અને “કાયર” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવા એ અત્યંત પીડાદાયક અને આઘાતજનક છે. તેમણે આ હિંસાને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો અને કહ્યું કે આખા દેશે એક થઈને આવી શક્તિઓ સામે ઉભા રહેવું પડશે. સોનિયા ગાંધીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ એવા પરિવારોનું દુઃખ સમજે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી. સોનિયા ગાંધીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે આતંકવાદ સામે લડવા માટે ફક્ત કડક શબ્દો કરતાં વધુ વ્યૂહાત્મક પગલાં લેવાની જરૂર છે. તેમણે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જમ્મુ અને કાશ્મીરમાં…
વિશ્વ પુસ્તક દિવસ: શા માટે ફક્ત 23 એપ્રિલે જ ઉજવાય છે? જાણો ઈતિહાસ, મહત્વ અને ઉજવણીનો ઉદ્દેશ
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ (World Book and Copyright Day) ઉજવવામાં આવી રહ્યો છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે – વાંચનની સંસ્કૃતિનો પ્રચાર, પુસ્તકો માટેનો પ્રેમ અને કોપીરાઈટના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવી. પણ એક સવાલ મોટાભાગના વાચકો અને વિદ્યાર્થીમિત્રોના મનમાં આવે છે: વિશ્વ પુસ્તક દિવસ ફક્ત 23 એપ્રિલે જ કેમ ઉજવાય છે? શા માટે 23 એપ્રિલ? જાણો ઈતિહાસ પાછળની વાર્તા 1995માં યુનેસ્કોએ 23 એપ્રિલને ‘વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એ દિવસે બે વિશ્વવિખ્યાત સાહિત્યકારોનાં અવસાન થયાં હતાં (1)વિલિયમ શેક્સપિયર (મહાન અંગ્રેજી નાટકાર અને કવિ) – અવસાન: 23 એપ્રિલ 1616 (2)મિગેલ ડી સર્વાંટેસ (Don Quixoteના સ્પેનિશ લેખક) – અવસાન: 23…
અંક જ્યોતિષ/23 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/223એપ્રિલ 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો. ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ, કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે, તમને જે જોઈએ છે તેનાથી વિરૂદ્ધ બાબતને તેઓ આકર્ષે છે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે…
પહેલગામ આતંકી હુમલો: પ્રવાસીઓને ધર્મના આધારે ટારગેટ, 26નાં મોત, TRFએ જવાબદારી લીધી, NIA તપાસ કરશે
જમ્મુ-કાશ્મીરના સૌંદર્યમય તટસ્થ અને શાંતિપ્રિય વિસ્તારોમાંથી ગણાતા પહેલગામના બ્યાસરણ ખીણમાં મંગળવારના રોજ થયો આતંકવાદી હુમલો દેશભરમાં ભય અને શોકનો માહોલ પેદા કરી ગયો છે. પ્રવાસીઓ પર ધર્મના આધારે નિશાન સાધી થયેલા ગોળીબારમાં 26 લોકોનાં મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા પછીનો સૌથી મોટો નાગરિકોને ટારગેટ કરેલો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. ઘટનાની વિગતવાર સમજાવટ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ ઘટી હતી, જ્યારે ઘણા પ્રવાસીઓ બ્યાસરણ ખીણમાં ઘોડાસવારી, પિકનિક અથવા ખાવાની જગ્યાઓ પાસે સમય વિતાવી રહ્યા હતા. અચાનક સૈન્યના વસ્ત્રોમાં સજ્જ સશસ્ત્ર આતંકીઓ ઘાસના મેદાનમાં ઘૂસ્યા. તેઓએ લોકોને તેમની ઓળખ બતાવવા માટે કહ્યું અને ધર્મ પુછ્યો. ઓળખ ચકાસ્યા બાદ, પસંદગીના આધારે કેટલાક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કર્યો.…
IPL 2025: કેએલ રાહુલના રેકોર્ડ બ્રેક ઈનિંગ સાથે દિલ્હી કેપિટલ્સનો છઠ્ઠો વિજય
IPL 2025ની એક વધુ રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવી દીધું છે. આ સાથે દિલ્હીએ આ સિઝનમાં પહેલી આઠ મેચમાંથી છ વિજય મેળવી લીધા છે, જે અગાઉ 2009, 2012, 2020 અને 2021માં પણ થઇ ચૂક્યું છે — અને હંમેશાં ટીમે પ્લેઓફ સુધી યાત્રા કરી છે. મેચની ખાસ વાતો: લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા એડન માર્કરામની 52 રનની અડધી સદી, મિશેલ માર્શના 45 રન દિલ્હી તરફથી મુકેશ કુમારના 4 વિકેટ લખનૌના બોલર્સ સામે દિલ્હીએ માત્ર 17.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું કેએલ રાહુલની ઇતિહાસ રચતી બેટિંગ: કેએલ રાહુલે 42 બોલમાં 57 રન સાથે IPLમાં સૌથી ઝડપથી 5000 રન પૂરા કર્યા. તેણે માત્ર 130 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે,…
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada
નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો મહિલાનો દુશ્મન.? નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmadahttps://t.co/E9KRjG1IPd#narmada #gujarat #FIR #crime #gujarat #gujaratpolice @gujaratpolice #trendingnews #BREAKING_NEWS #Bindia #Exclusive pic.twitter.com/ABdX15EVXo — B India (@buletin_india) April 22, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ, જાણો શું કહ્યું FBI ડિરેક્ટરે
યુએસ ગુપ્તચર એજન્સી FBI અને એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ (ERO) એ ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ કરી છે. ધરપકડ 17 એપ્રિલ, 2025 ના રોજ કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં કરવામાં આવી હતી. FBIએ જણાવ્યું હતું કે પાસિયા બે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલી હતી અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. FBIના ડિરેક્ટર કાશ પટેલનું નિવેદન ધરપકડ પર પ્રતિક્રિયા આપતા, FBI ડિરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે હરપ્રીત સિંહ એક વિદેશી આતંકવાદી ગેંગનો ભાગ હતો જે અમેરિકા અને ભારતમાં પોલીસ સ્ટેશનો પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેમણે કહ્યું કે આ ધરપકડ માટે, FBI સેક્રામેન્ટોની ટીમે ભારત અને સ્થાનિક એજન્સીઓ સાથે ખૂબ જ સારી રીતે સંકલન કર્યું. ભારતમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં…















