જયરાજસિંહ જાડેજાએ કેમ કહ્યું, ‘તો… મારી જાહેર જીવન છોડવાની તૈયારી !’, જાણો શું છે મામલો

આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે જમીન પચાવવાના આરોપને લઈને કહ્યું હતું કે, એકપણ પાટીદારની જમીન તેમણે પડાવી નથી અને જો પડાવી હોય તો મારી જાહેર જીવન છોડવાની તૈયારી છે. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઇને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહિને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ…

આનંદ મહિન્દ્રાની કંપનીએ કરી મોટી ડીલ, આ કંપનીનો ખરીદી રહી છે મોટો હિસ્સો

દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ એક મોટો સોદો કર્યો છે, જેના હેઠળ કંપનીએ SML ઇસુઝુમાં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ પછી, ભારે વાહન સેગમેન્ટમાં એક મોટું નામ, SML ઇસુઝુ લિમિટેડ, મહિન્દ્રા ગ્રુપના પોર્ટફોલિયોમાં સામેલ થશે. અહેવાલો અનુસાર, મહિન્દ્રાએ આ મોટો સોદો રૂ. 555 કરોડમાં કર્યો છે. અહેવાલો અનુસાર, આ સોદો 58.96% હિસ્સા માટે હતો , જે પ્રતિ શેર રૂ. 650 ના ભાવે હતો, જેમાં બજાર નિયમનકાર સેબીના ટેકઓવર નિયમો હેઠળ ફરજિયાત ઓપન ઓફરનો પણ સમાવેશ થતો હતો. આ અંતર્ગત, કંપની SML ઇસુઝુમાં 58.96% હિસ્સો હસ્તગત કરશે. આ સંપાદન મહિન્દ્રા દ્વારા ૩.૫ ટન+ વાણિજ્યિક વાહન સેગમેન્ટમાં તેની હાજરીને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું છે. જ્યાં હાલમાં…

અંક જ્યોતિષ/27 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/26 એપ્રિલ 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. આજે ઘરે કોઈપણ પાર્ટી ને…

અમદાવાદ: હવે મેટ્રો માર્ગ સચિવાલય સુધી વિસ્તર્યો, મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે

ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે અમદાવાદ:- અમદાવાદથી ગાંધીનગર જનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને જેઓ સચિવાલયમાં જાય છે. કારણ કે હવે 27 એપ્રિલથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સચિવાલય સુધી દોડશે. એટલું જ નહીં. અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સચિવાલય સુધીના સાત નવા સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે આ સાત સ્થળોએ મુસાફરો મેટ્રોમાં ઉતરી શકશે અને ચડી શકશે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10A અને ગાંધીનગર સચિવાલય સ્ટેશનનો સમાવેશ થાય છે. રવિવારથી મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાયેલ સમય રવિવારથી વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. અત્યાર સુધી મેટ્રો અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સેક્ટર-1 સુધી ચાલતી હતી.…

અંક જ્યોતિષ/26 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/26 એપ્રિલ 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો. જે લોકો ઘણા સમય થી નાણાકીય મુશ્કેલી માં થી પસાર થયી રહ્યા હતા તેમને આજે ક્યાંક થી ધન પ્રાપ્ત થયી શકે છે જેથી જીવન માં ઘણી મુશ્કેલીઓ દૂર થયી જશે. જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા…

US: માહિતી લીક મામલે પામ બોન્ડીનું નિવેદન, પત્રકારો માટે બનાવાયા નવા કડક નિયમો

યુનાઇટેડ સ્ટેટ્સ ન્યાય વિભાગે હવે માહિતી લીક સામે વધુ આક્રમક અને કડક વલણ અપનાવ્યું છે. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ નવા નિયમોની ઘોષણા કરી છે, જેનાથી પત્રકારો અને મીડિયા સંસ્થાઓ પર વધુ જવાબદારી મૂકાઈ છે. નવા નિયમો મુજબ, સરકારથી સંકળાયેલી ગુપ્ત માહિતી લીક થવાના મામલાઓમાં હવે પત્રકારોને સમન્સ, પૂછપરછ અને શક્ય તેટલી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. શું છે નવા નિયમોમાં ખાસ? – હવે જો માહિતી લીક થઈ હોય તો પત્રકારોને તેમની જાણકારીઓ (સોર્સ) અંગે પૂછપરછ કરવામાં આવશે. – સમાચાર સંસ્થાઓને સમન્સ કે સર્ચ વોરંટ મળવાની શક્યતા રહેશે. – ખાસ વાત એ છે કે તપાસ પહેલાં પત્રકારોને જાણ કરી શકાશે, જેથી તેમના કાર્યમાં ઓછામાં ઓછી વિઘ્ન આવે. – જરૂર પડ્યે કોર્ટમાં હાજરી આપી જુબાની…

Rajkot: પાકિસ્તા એર સ્પેસ બંધ કરતાં દિલ્લી-દુબઇ ફ્લાઇટનું સ્ટોપઓવર હવે રાજકોટમાં

જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા ગંભીર આતંકી હુમલાના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતીય સરકારના કડક નિર્ણયોની સામે પ્રતિસાદ આપતાં પાકિસ્તાને પોતાના એર સ્પેસ (હવાઈ માર્ગ) ભારત માટે બંધ કરી દીધો છે. પરિણામે દિલ્લીથી દુબઇ જતા ફ્લાઈટ્સને બદલાયેલ રૂટ હેઠળ હવે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ટોપઓવર કરવાની વ્યવસ્થા કરાઈ છે. પાકિસ્તાની પગલાં બાદ ભારતની તત્કાલ પ્રતિસાદી કામગીરી પહલગામ હુમલા બાદ કેબિનેટ કમિટીએ પાકિસ્તાન વિરુદ્ધ મહત્વના નિર્ણયો લીધા છે જેમાં ભારતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને પરત મોકલવાનો તથા તેમના વિઝા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. પાકિસ્તાને આ વચ્ચે ભારત સામે “એક્ટ ઓફ વોર” જેવી ધમકી આપી છે અને ભારત માટે પોતાનું હવાઈ માર્ગ બંધ કરી દીધો છે. રાજકોટ બનશે સ્ટ્રેટેજિક સ્ટોપઓવર પોઈન્ટ દિલ્લી-દુબઇ વચ્ચેની ફ્લાઈટ્સ માટે…

અમદાવાદ: એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની 12 દુકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે, ખાસ કરીને એસજી હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં. આ સમસ્યાને દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે કર્ણાવતી ક્લબ સામે આવેલી 12 દુકાનોને સીલ કરી દેવાની કાર્યવાહી કરી છે. ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના અભાવને કારણે પગલાં એસજી હાઈવે પર આવેલી આ દુકાનો પાસે યોગ્ય પાર્કિંગની સુવિધા ન હોવાથી દુકાન પર આવતા ગ્રાહકો રસ્તા પર જ વાહન પાર્ક કરતા હતા. પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો વધતા AMCએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. રાત્રિના સમયે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દુકાનોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી AMCએ અગાઉથી આ દુકાનદારોને લેખિત અને મૌખિક રીતે પાર્કિંગની વ્યવસ્થા…