બાંદીપોરામાં લશ્કર હુમલાની સાજિશનો પર્દાફાશ, 4 આતંકી ઝડપાયા, હથિયાર કરાયા જપ્ત
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટી આતંકવાદી સાજિશનો પર્દાફાશ કર્યો છે. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ચાર આતંકવાદી સહયોગીઓ (ઓવરગ્રાઉન્ડ વર્કર્સ)ને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમને સુરક્ષા દળો અને બિન-સ્થાનિક નાગરિકો પર હુમલો કરવાની યોજના સાથે પકડવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ હથિયાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન 4 શંકાસ્પદોની ધરપકડ બાંદીપોરા પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફ દ્વારા ચલાવવામાં આવેલ સંયુક્ત ઓપરેશનમાં કાનીપોરા નાયદખાઈ વિસ્તારમાં ચેકપોસ્ટ દરમિયાન બે શંકાસ્પદોની અટક કરવામાં આવી. તપાસ દરમ્યાન તેમના કબજેથી બે ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ, એક 7.62 મીમી મેગેઝિન અને 30 કારતૂસ મળી આવ્યા હતા. પકડાયેલા શખ્સોની ઓળખ વટલપીરા મોહલ્લાના રહેવાસી મોહમ્મદ રફીક ખાંડે અને બાનપોરાના મુખ્તાર અહેમદ ડાર તરીકે થઈ છે. તે ઉપરાંત, સાદુનારા…
Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ
પહેલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામા 28 લોકોનામોત થયા હતા. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત હત્યા હતા. જેમના મૃતદેહોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના શૈલેષ કળથિયાનું પણ મોત થયું હતું. જેમની અંતિમ યાત્રા આજે સવારે સુરત ખાતે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. શૈલેષ કળથિયાને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા હતા. મૃતકના પત્નીએ પાટીલને અનેક રજૂઆત કરી હતી અને પાટીલે તમામ રજૂઆત સાંભળી હતી. આતંકી હુમલામાં મૃતઉ પામેલ સુરતના શૈલેષ કળથિયાનો મૃતદેહ ગઇકાલે સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને શહીદ જેવું સન્માન આપવામાં આવ્યું હતું. આજે સવારે મૃતદેહ ઘરે પહોંચતા પરિજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે શૈલેષ કળથિયા અંતિમ…
આજે 24 April : દેશમાં ઉજવાઈ રહ્યો છે “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ”
દર વર્ષે 24 એપ્રિલના દિવસે ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (National Panchayati Raj Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના લોકશાહી સિસ્ટમના એક મહત્વપૂર્ણ અંગ પંચાયતી રાજ સંસ્થાઓના રોલ અને યોગદાનને માન્યતા આપતો અને ઉજવતો દિવસ છે. ઇતિહાસ અને શરૂઆત: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની શરૂઆત વર્ષ 2010માં કરવામાં આવી હતી જ્યારે તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખની પસંદગી એ કારણે કરવામાં આવી કારણ કે 73મા બંધારણ સંશોધન અધિનિયમ અંતર્ગત પંચાયતોને બંધારણીય માન્યતા આપવાનો અમલ 24 એપ્રિલ, 1993થી થયો હતો. પંચાયતી રાજના પાયાવિહોણા: 1957માં રચાયેલી બળવંતરાય મહેતા સમિતિ દ્વારા ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ની ભલામણો આપ્યા પછી ભારતે તબક્કાવાર રીતે ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અપનાવી હતી: – ગ્રામ પંચાયત (ગામ…
અંક જ્યોતિષ/24 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/24 એપ્રિલ 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. શું તમે એવું…
Pahalgam: કાનપુરના શુભમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે, મુખ્યમંત્રી શ્રદ્ધાંજલિ આપશે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા કાનપુર શહેરના મહારાજપુર વિસ્તારમાં રહેતા શુભમ દ્વિવેદીના અંતિમ સંસ્કાર આજે ગુરુવારે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સમગ્ર શહેરમાં શોક અને રોષનો માહોલ છે, જ્યારે લોકોની એક જ માંગણી છે – “શહીદનું બદલું લો!” શ્રદ્ધાંજલિ આપવા હાથીપુર પહોંચશે મુખ્યમંત્રી યોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે 9:30 કલાકે કાનપુરના હાથીપુર ખાતે આવેલ શુભમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. તેમના સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને પ્રભારી મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીએ શહીદ પરિવારના વિસર્જન માટે રાજ્ય સરકાર તરફથી તમામ વ્યવસ્થાઓના નિર્દેશ આપ્યા છે. દેવરી ઘાટે થશે અગ્નિસંસ્કાર શુભમના પાર્થિવ દેહને રાજ્ય સન્માન સાથે દેવરી ઘાટ પર વિદાય આપવામાં આવશે. પોલીસ સલામી સાથે શહીદને અંતિમ વિદાય આપવામાં આવશે. બુધવારે મોડી…
બોટાદ: IPOની આડમાં 2.54 લાખની છેતરપિંડી, 2 ભેજાબાજો ઝડપાયા
તાજેતરમાં બોટાદ જિલ્લાના એક યુવક સાથે IPOમાં રોકાણના લોભમાં બોગસ એપ્લિકેશન મારફતે ₹2.54 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે હરિયાણાના બે આરોપીઓને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. બોગસ એપ ‘Ad-bir capable’ મારફતે છેતરપિંડી આ બનાવમાં મળતી માહિતી પ્રમાણે, “Ad-bir capable” નામની એપ્લિકેશન દ્વારા બે યુવકો અનિલ જય કિશન રંગા (25) અને ઘનશ્યામ સુમન બહાદુર વર્મા (21)એ બોટાદના એક યુવકને IPOમાં રોકાણ કરવા માટે ઉશ્કેર્યા હતા. યુવકે અને તેના મિત્રે મળીને કુલ ₹1.35 લાખનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ બાદમાં નકલી પ્રોફિટ બતાવી ફરિયાદીને ₹10,00,893 મળ્યા છે એવું જણાવ્યું અને વધુ પૈસા ટ્રાન્સફર કરાવ્યા. આખરે આરોપીઓએ કુલ ₹2,54,922ની છેતરપિંડી કરી હતી. પોલીસે ઝડપ્યા આરોપીઓ ફરિયાદ મળ્યા બાદ બોટાદ પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી…
પહેલગાવ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પિતા પુત્રના પાર્થિવદેહ ભાવનગર મોકલાયા
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે,જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે, એવું તેમણે…
પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આતંકી હુમલા અંગે નિવેદન આપતા રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમાર તેમજ સુરત શહેરના વરાછાના વતની અને હાલ મુંબઈ રહેતા શૈલેશભાઈ કળથિયાના દુઃખદ અવસાનની ખબરથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ખેદજનક અને માનવતા વિરોધી ઘટનાની સમગ્ર વિશ્વના લોકો તરફથી તીવ્ર નિંદા કરવામાં આવે છે. સુરત અને ભાવનગર સાથે રાજ્યના લોકો શહીદ થયેલા પરિવારજનો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી સાથે સાંત્વના પાઠવે છે. વધુમાં રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, શહીદ શૈલેષભાઈના મૃતદેહ અને તેમના…
















