વિશ્વ પુસ્તક દિવસ: શા માટે ફક્ત 23 એપ્રિલે જ ઉજવાય છે? જાણો ઈતિહાસ, મહત્વ અને ઉજવણીનો ઉદ્દેશ

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ (World Book and Copyright Day) ઉજવવામાં આવી રહ્યો છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે – વાંચનની સંસ્કૃતિનો પ્રચાર, પુસ્તકો માટેનો પ્રેમ અને કોપીરાઈટના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવી.
પણ એક સવાલ મોટાભાગના વાચકો અને વિદ્યાર્થીમિત્રોના મનમાં આવે છે: વિશ્વ પુસ્તક દિવસ ફક્ત 23 એપ્રિલે જ કેમ ઉજવાય છે?

શા માટે 23 એપ્રિલ? જાણો ઈતિહાસ પાછળની વાર્તા
1995માં યુનેસ્કોએ 23 એપ્રિલને ‘વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એ દિવસે બે વિશ્વવિખ્યાત સાહિત્યકારોનાં અવસાન થયાં હતાં (1)વિલિયમ શેક્સપિયર (મહાન અંગ્રેજી નાટકાર અને કવિ) – અવસાન: 23 એપ્રિલ 1616 (2)મિગેલ ડી સર્વાંટેસ (Don Quixoteના સ્પેનિશ લેખક) – અવસાન: 23 એપ્રિલ 1616 આજે અનેક દેશોમાં આ દિવસે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા પુસ્તકપ્રેમ પ્રગટાવવામાં આવે છે.

સ્પેનથી આવ્યો ‘વિશ્વ પુસ્તક દિવસ’ ઉજવવાનો વિચાર
વિશ્વ પુસ્તક દિવસની પ્રેરણા સ્પેનની એક અનોખી પરંપરામાંથી લેવાઈ છે. ત્યાં દર વર્ષે 23 એપ્રિલે ‘રોઝ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકો એકબીજાને રોઝ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. 1926માં સર્વાંટેસના અવસાન પછી, લોકોએ રોઝને બદલે પુસ્તકો ભેટ આપવાની પરંપરા શરૂ કરી. આ જ વિચારે દુનિયાભરમાં પ્રેરણા આપી.

કોપીરાઈટનું મહત્ત્વ પણ ઉજવાય છે
વિશ્વ પુસ્તક દિવસને ઘણી જગ્યાએ “વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. કોપીરાઈટ લેખકોના હક્કો અને સર્જનાત્મકતાની સુરક્ષા માટે અગત્યનું છે, અને આ દિવસ એ વિશે જાગૃતિ લાવવા પણ મહત્વ ધરાવે છે.

વિશ્વભરમાં કેવી રીતે ઉજવાય છે?
વિભિન્ન દેશોમાં વિશ્વ પુસ્તક દિવસનું વિશિષ્ટ રીતે ઉજવણું થાય છે:

સ્પેન:
– બે દિવસ માટે ‘વાંચન મેરેથોન’
– મિગેલ ડી સર્વાંટેસ પુરસ્કાર વિતરણ

સ્વીડન:
– શાળાઓ અને કોલેજોમાં લેખન સ્પર્ધાઓ
– વાંચન પ્રોત્સાહન માટે સાહિત્યિક કાર્યક્રમો

વિશ્વભરમાં:
– પુસ્તકોનું મફત વિતરણ
– લેખક-પાઠક મુલાકાત
– લાઈબ્રેરી અને બુક્સટોરમાં વિશેષ ડિસ્કાઉન્ટ

ભારતમાં પણ ઉજવણીનું જુસ્સો
ભારતમાં શાળાઓ, કોલેજો, પુસ્તકાલયો અને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા:
– કથાવાચન કાર્યક્રમો
– વાંચન ચેલેન્જ
– નવલેખકો સાથે ઇન્ટરએક્ટિવ સત્રો
– બાળકો માટે પુસ્તક ભેટ કાર્યક્રમો યોજાય છે.

આ દિવસનો સાચો અર્થ શું છે?
– પુસ્તક માત્ર પાના નથી એ વિચારશક્તિ, સંસ્કૃતિ અને વૈશ્વિક વારસાનું જતુંરૃપ છે.
– વિશ્વ પુસ્તક દિવસ એ યાદ અપાવે છે કે વાંચન આપણું દુનિયાનું દરવાજું ખોલે છે.

આજના દિવસે, એક પુસ્તક ભેટ આપો કે વાંચવાનું શરૂ કરો અને જ્ઞાનની આ વિશ્વયાત્રામાં જોડાઈ જાઓ. વધુ સાહિત્યિક સમાચાર માટે જોડાયેલા રહો

Related Posts

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *