વિશ્વ પુસ્તક દિવસ: શા માટે ફક્ત 23 એપ્રિલે જ ઉજવાય છે? જાણો ઈતિહાસ, મહત્વ અને ઉજવણીનો ઉદ્દેશ

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ (World Book and Copyright Day) ઉજવવામાં આવી રહ્યો છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે – વાંચનની સંસ્કૃતિનો પ્રચાર, પુસ્તકો માટેનો પ્રેમ અને કોપીરાઈટના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવી.
પણ એક સવાલ મોટાભાગના વાચકો અને વિદ્યાર્થીમિત્રોના મનમાં આવે છે: વિશ્વ પુસ્તક દિવસ ફક્ત 23 એપ્રિલે જ કેમ ઉજવાય છે?

શા માટે 23 એપ્રિલ? જાણો ઈતિહાસ પાછળની વાર્તા
1995માં યુનેસ્કોએ 23 એપ્રિલને ‘વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એ દિવસે બે વિશ્વવિખ્યાત સાહિત્યકારોનાં અવસાન થયાં હતાં (1)વિલિયમ શેક્સપિયર (મહાન અંગ્રેજી નાટકાર અને કવિ) – અવસાન: 23 એપ્રિલ 1616 (2)મિગેલ ડી સર્વાંટેસ (Don Quixoteના સ્પેનિશ લેખક) – અવસાન: 23 એપ્રિલ 1616 આજે અનેક દેશોમાં આ દિવસે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા પુસ્તકપ્રેમ પ્રગટાવવામાં આવે છે.

સ્પેનથી આવ્યો ‘વિશ્વ પુસ્તક દિવસ’ ઉજવવાનો વિચાર
વિશ્વ પુસ્તક દિવસની પ્રેરણા સ્પેનની એક અનોખી પરંપરામાંથી લેવાઈ છે. ત્યાં દર વર્ષે 23 એપ્રિલે ‘રોઝ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકો એકબીજાને રોઝ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. 1926માં સર્વાંટેસના અવસાન પછી, લોકોએ રોઝને બદલે પુસ્તકો ભેટ આપવાની પરંપરા શરૂ કરી. આ જ વિચારે દુનિયાભરમાં પ્રેરણા આપી.

કોપીરાઈટનું મહત્ત્વ પણ ઉજવાય છે
વિશ્વ પુસ્તક દિવસને ઘણી જગ્યાએ “વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. કોપીરાઈટ લેખકોના હક્કો અને સર્જનાત્મકતાની સુરક્ષા માટે અગત્યનું છે, અને આ દિવસ એ વિશે જાગૃતિ લાવવા પણ મહત્વ ધરાવે છે.

વિશ્વભરમાં કેવી રીતે ઉજવાય છે?
વિભિન્ન દેશોમાં વિશ્વ પુસ્તક દિવસનું વિશિષ્ટ રીતે ઉજવણું થાય છે:

સ્પેન:
– બે દિવસ માટે ‘વાંચન મેરેથોન’
– મિગેલ ડી સર્વાંટેસ પુરસ્કાર વિતરણ

સ્વીડન:
– શાળાઓ અને કોલેજોમાં લેખન સ્પર્ધાઓ
– વાંચન પ્રોત્સાહન માટે સાહિત્યિક કાર્યક્રમો

વિશ્વભરમાં:
– પુસ્તકોનું મફત વિતરણ
– લેખક-પાઠક મુલાકાત
– લાઈબ્રેરી અને બુક્સટોરમાં વિશેષ ડિસ્કાઉન્ટ

ભારતમાં પણ ઉજવણીનું જુસ્સો
ભારતમાં શાળાઓ, કોલેજો, પુસ્તકાલયો અને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા:
– કથાવાચન કાર્યક્રમો
– વાંચન ચેલેન્જ
– નવલેખકો સાથે ઇન્ટરએક્ટિવ સત્રો
– બાળકો માટે પુસ્તક ભેટ કાર્યક્રમો યોજાય છે.

આ દિવસનો સાચો અર્થ શું છે?
– પુસ્તક માત્ર પાના નથી એ વિચારશક્તિ, સંસ્કૃતિ અને વૈશ્વિક વારસાનું જતુંરૃપ છે.
– વિશ્વ પુસ્તક દિવસ એ યાદ અપાવે છે કે વાંચન આપણું દુનિયાનું દરવાજું ખોલે છે.

આજના દિવસે, એક પુસ્તક ભેટ આપો કે વાંચવાનું શરૂ કરો અને જ્ઞાનની આ વિશ્વયાત્રામાં જોડાઈ જાઓ. વધુ સાહિત્યિક સમાચાર માટે જોડાયેલા રહો

Related Posts

વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત…

ભારતમાં મોબાઇલ નિકાસમાં 165 ગણો જંગી ઉછાળો, આંકડો ₹2.59 લાખ કરોડ પાર Growth

મોબાઇલ નિકાસમાં ભારતનો મોટો ઉછાળો: એક દાયકામાં નિકાસ 165 ગણી વધી, ₹2.59 લાખ કરોડનો આંકડો પાર કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતની મોબાઇલ ફોન નિકાસમાં છેલ્લા એક દાયકામાં જંગી વધારો થયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *