અંક જ્યોતિષ/03 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/03 મે 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. ઘર ના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આના થી તમે ભવિષ્ય ની ઘણી પરેશાનીઓ થી બચી જશો. પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. આજે જો તમે…
એક વાર ડાયટમાં એડ કરીને જુઓ આ લીલા પાન, શરીર રહેશે હેલ્ધી એન્ડ મજબૂત, જાણો ફાયદા
ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવી અને સ્વસ્થ રહેવું સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આવા સમયમાં કુદરતી રીતે લાભદાયક અને ઠંડક આપનારા પદાર્થોની માંગ વધી જાય છે. તેમા, ફુદીનો (Mint) એ એક એવો હરિત તત્વ છે જે માત્ર સ્વાદ અને સુગંધ પૂરતો સીમિત નથી, પણ આરોગ્ય માટે અનેક રીતે લાભદાયક સાબિત થાય છે. ફુદીનાના મુખ્ય ફાયદાઓ: બ્લડ પ્રેશર કંટ્રોલમાં મદદરૂપ ફુદીનામાં હાજર મેન્થોલ તત્વ રક્તપ્રવાહને નિયમિત કરવામાં મદદ કરે છે. અભ્યાસો પ્રમાણે, ફુદીનો 24 કલાકમાં સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર બંનેને ઘટાડવામાં અસરકારક સાબિત થયો છે. પાચનતંત્ર સુધારે અને અપચો દૂર કરે ફુદીનોમાં રહેલા નેચરલ તેલ અને એન્ઝાઇમ પાચનક્રિયાને તેજ બનાવે છે. તે પેટના દુઃખાવા, ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. શરદી અને…
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, પાકિસ્તાનએ UNSC બેઠક બોલાવવાનો સંકેત આપ્યો
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ફરી એક વાર ઊંડું બન્યું છે. આ ઘટનાના પગલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક બોલાવવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેને તે માટે સંપૂર્ણ અધિકાર છે. જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના કડક વલણથી ગભરાયેલા પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે જો તણાવ વધુ વધશે તો તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠક બોલાવવાનો સંપૂર્ણ અધિકાર છે. આ વાત સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદે કહી હતી. પાકિસ્તાની રાજદૂત અહેમદનો દાવો સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદએ જણાવ્યું કે, “અમે UNSCના સભ્યો…
IPL 2025: ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રને હરાવ્યું, SRH માત્ર 186 રન જ બનાવી શકી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના વધુ એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ (GT) એ શાનદાર દેખાવ રજૂ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 38 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતી GT એ શાનદાર શરૂઆત સાથે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 224 રનનો પહાડ સમો સ્કોર ઉભો કર્યો. જવાબમાં SRH માત્ર 186 રન જ બનાવી શકી. GTનું શક્તિશાળી બેટિંગ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનોએ આક્રમક શરૂઆત કરી અને સતત બોલરોને દબાણમાં રાખ્યા. તેમના મિડલ ઓર્ડરે પણ ધીમી ન પડતાં ટીમને 224 રન સુધી પહોંચાડ્યા, જે ટાર્ગેટ SRH માટે બહુ મોટો સાબિત થયો. SRHનો પીછો અને અભિષેક શર્માની અડધી સદી લક્ષ્યનો પીછો કરતાં SRH એ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની સાથીદારીથી સારી શરૂઆત કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી. હેડ…
“હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર!”, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ વચ્ચે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. સેનાને “દિવ્ય શક્તિઓ”થી મદદ કરવાનું સંકેત સોશિયલ મીડિયામાં હાલ ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે “હવે માત્ર સૈન્ય શક્તિથી નહીં, પણ બાલાજીની દિવ્ય શક્તિથી પણ દેશની રક્ષા થવી જોઈએ.” તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ સેનાને ગુપ્ત જાણકારી પ્રદાન કરી શકે છે, જે દેવશક્તિના આધારે તેમને મળતી હોય છે. શાસ્ત્રીનો વીડિયો: “સેનાને સાથે આપીશું સહયોગ” વીડિયો પ્રમાણે, શાસ્ત્રી કહે છે કે તેઓ ભણેલા નથી…
Rajkot: પરબધામના મહંતને આવ્યો હાર્ટએટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને આજે અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાત્કાલિક સારવાર માટે તેમને રાજકોટની જાણીતી સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી ગઈ છે. કમ્પ્લીટ હાર્ટ બ્લોકનું નિદાન સીનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, કરસનદાસ બાપુને Complete Heart Block થયું છે. વધુમાં જણાવાયું કે તેમનાં પલ્સ પણ ઘટી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. જોકે, સારવારમાં તત્કાળ પગલાં લેવામાં આવ્યા છે અને હાલ તેમની તબિયતમાં સુધારાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભક્તોમાં ચિંતાનું મોજું આ સમાચાર મળતા જ પરબધામ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમના ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કરસનદાસ બાપુના આશીર્વાદ અને પ્રવચનોનો લાભ લેવા માટે હજારો ભક્તો…
આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, ચીલીમાં સુનામીની જાહેર કરાઈ ચેતવણી
દક્ષિણ અમેરિકા આજ શુક્રવારે એક ભયાનક કુદરતી આપત્તિથી પ્રભાવિત થયું છે, જયારે અર્જેન્ટિનાના તટથી 219 કિ.મી. દક્ષિણ દિશામાં, દરિયાઈ વિસ્તારમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. આ માહિતી અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ (USGS) દ્વારા આપવામાં આવી છે. ભૂકંપના આંચકા ખાસ કરીને ચીલી અને અર્જેન્ટિનાના તટીય વિસ્તારોમાં અનુભવાયા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર લગભગ 10 કિ.મી. ઊંડાણે હતું. ચીલીમાં તાત્કાલિક સુનામી ચેતવણી ભૂકંપના તરત બાદ ચીલીની સરકારએ તાત્કાલિક પગલા લૈ લીધા અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી (SENAPRED) દ્વારા મેગેલન અને એન્ટાર્કટિક પ્રદેશના દરિયાકાંઠા વિસ્તારને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો. દરિયાઈ તોફાન અને ઊંચી તરંગોની શક્યતા દર્શાવતા, સુરક્ષા માટે સ્થળ ખાલી કરાવવાનું શરૂ કરવામાં આવ્યું. આર્જેન્ટિનામાં સુનામી ચેતવણી નહિ હાલ સુધી, આર્જેન્ટિનાની તરફથી કોઈ…
કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા
લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા કેન્સર વિરોધી ઉપચારાત્મક તત્વ તરીકે માન્યતાપાત્ર બની ચૂક્યું છે. શું છે એલિસિન? એલિસિન એ લસણમાં રહેલું એક પ્રાકૃતિક ઓર્ગેનોસલ્ફર સંયોજન છે, જે લસણને ક્રશ કરવાથી અથવા ચપટી દેવાથી સક્રિય થાય છે. રિસર્ચ ગેટ અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો પ્રમાણે, એલિસિનમાં એવી ક્ષમતા હોય છે કે જે શરીરમાં કેન્સરજાત કોષોની વૃદ્ધિને અવરોધી શકે છે. તેથી લસણને પ્રાકૃતિક “એન્ટી-કેન્સર એજન્ટ” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. લસણના મુખ્ય ફાયદાઓ: 1. કેન્સર સામે રક્ષણ એલિસિન સહિતના ઓર્ગેનોસલ્ફર તત્વો કેન્સર કોષોની વૃદ્ધિને અટકાવે છે.…
2 May, World Asthma Day: શા માટે ઉજવાય છે આજનો દિવસ, ચાલો જાણીએ આજના દિવસ વિષે
દર વર્ષે 2 મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) ઉજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ, ડૉક્ટરો અને આરોગ્ય વિશેષજ્ઞો શ્વાસ સંબંધિત ગંભીર રોગ અસ્થમા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. આ દિવસ શ્વાસની સમસ્યાઓના કારણે જીવનની ગુણવત્તા પર પડતા પ્રભાવ અને તેનાથી બચવાના માર્ગો અંગે સમજ આપવાનો ઉદ્દેશ ધરાવે છે. અસ્થમાની વૈશ્વિક સ્થિતિ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, આજના સમયમાં વિશ્વભરમાં આશરે 30 કરોડ લોકો અસ્થમાથી પીડાતા છે. વર્ષ 2005માં અંદાજે 2,55,000 લોકોના મૃત્યુ અસ્થમા સામેની યોગ્ય સારવાર ન મળવાથી થયા હતા. અસ્થમાના કેસ ખાસ કરીને મધ્યમ અને નીચી આવક ધરાવતા દેશોમાં વધુ જોવા મળે છે, જ્યાં આરોગ્યસુવિધાઓ મર્યાદિત હોય છે. અસ્થમાના સામાન્ય લક્ષણો – સતત ઉધરસ (ખાસ કરીને રાત્રે)…
















