India: ત્રણેય સેનાદળોમાં મોટા ફેરફાર, નવા CISC અને નોર્ધન કમાન્ડને પણ મળશે નવા અધ્યક્ષ
ભારતીય સેનાઓ માટે 1 મે 2025 એક મહત્વપૂર્ણ તારીખ સાબિત થવાની છે. ત્રણેય દળોમાં (સેના, નૌસેના અને વાયુસેના) મહત્વપૂર્ણ પદો પર નવા અધિકારીઓની નિમણૂક થશે. વાયુસેનાને નવા નાયબ વડા મળશે, ત્રણેય દળોને મળશે નવો CISC, અને આર્મીના નોર્ધન કમાન્ડને પણ નવા ચીફ મળશે. 30 એપ્રિલે અનેક વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થશે, જે પછી નવી જવાબદારીઓ સોંપાશે. એર માર્શલ નર્મદેશ્વર તિવારી બનશે વાયુસેનાના નવા ઉપાધ્યક્ષ એર માર્શલ નર્મદેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા નાયબ વડા તરીકે 1 મેના રોજ પદભાર સંભાળશે. તેઓ વર્તમાન નાયબ વડા એસપી ધારકરનું સ્થાન લેશે, જે 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યાં છે. ધારકરએ 40 વર્ષથી વધુ સમય સેવામાં આપ્યાં છે. તિવારી હાલમાં ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના વડા છે. તેમની જગ્યા પર હવે તાલીમ…
તમારી તિજોરી રૂપિયાથી છલકાશે! ઘરની ઉત્તર દિશામાં રાખો આ 5 વસ્તુઓ અને જુઓ ધન વૃદ્ધિ
દરેક વ્યક્તિ ધનવાન બનવાની ઇચ્છા રાખે છે, પરંતુ ઘણીવાર પ્રયાસો છતાં પણ આર્થિક વૃદ્ધિ થતી નથી. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરના ચોક્કસ દિશાઓમાં કેટલીક વિશિષ્ટ વસ્તુઓ રાખવાથી ધનલાભના દરવાજા ખુલી શકે છે. ખાસ કરીને ઉત્તર દિશા, જેને ધનના દેવતા કુબેરદેવની દિશા પણ કહેવામાં આવે છે, ત્યાં કેટલીક વસ્તુઓ મૂકી ને તમે પણ ધન અને સમૃદ્ધિ પામી શકો છો. ઉત્તર દિશાનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં – ઉત્તર દિશા સકારાત્મક ઊર્જા અને ધનની અવિરત આવકનું પ્રતિક છે. – આ દિશા ધનના સંચાલક દેવતા કુબેર સાથે સંકળાયેલી છે. – ઘરની ઉત્તર દિશા શુદ્ધ, સ્વચ્છ અને ખુલ્લી હોવી જોઈએ, જેથી આર્થિક વૃદ્ધિમાં કોઈ અડચણ ન આવે. ઘરની ઉત્તર દિશામાં મૂકો આ પાંચ ખાસ વસ્તુઓ: વોટર ફાઉન્ટેન અથવા વહેતું પાણી સતત વહેતું પાણી ધનની…
IPL 2025: 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક પરાક્રમ, યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
IPL 2025ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સના માટે રમતા 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઘણાં રેકોર્ડ તોડ્યાં અને પોતાનું નામ ક્રિકેટ ઇતિહાસમાં ઉમેર્યું. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતાં 209 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ અને યશસ્વી જયસ્વાલે આ ટાર્ગેટ ફક્ત 16 ઓવરમાં જ હાંસલ કરી લીધો. ભારતીય T20 અને IPL ઈતિહાસમાં આ સૌથી ઝડપથી ચેઝ થયેલા લક્ષ્યાંકોમાંના એક છે. વૈભવે પોતાની અડધી સદી ફક્ત 17 બોલમાં પૂરી કરી અને ત્યારબાદ માત્ર 18 વધુ બોલોમાં સદી ફટકારી. 38 બોલમાં 101 રન ફટકારતા વૈભવે 265.78ના સ્ટ્રાઇક રેટ સાથે રમત રમી. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાઓનો સમાવેશ થાય છે.…
પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ
પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનને આડેહાથ લીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે, જ્યારે મધ્યમ સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું, ‘આ ડર સારો છે!’ यह डर अच्छा है!! Top Pakistani army officers fleeing country, middle-level officers resigning en masse due to fear. — Harsh Sanghavi (@sanghaviharsh) April 27,…
28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે
દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે સલામત અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો અને કર્મચારીઓના જીવન અને આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાની. કેમ ઉજવાય છે આ દિવસ? આ દિવસ એ યાદ અપાવે છે કે દરેક વ્યક્તિને એવી કામકાજની જગ્યા મળવી જોઈએ જ્યાં તે નિર્ભય રીતે કામ કરી શકે અને જ્યાં સલામતીના પૂરતા ઉપાયો હોય. ઘણી વખત, નાની બેદરકારી જીવલેણ બની શકે છે. આ દિવસ એ સમજાવે છે કે “સલામતીમાં કોઈ પણ સમાધાન ચાલશે નહીં.” ઇતિહાસ આ દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી. જોકે, 28 એપ્રિલની તારીખ પસંદ કરવાનું…
અંક જ્યોતિષ/28 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/28 એપ્રિલ 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકો ને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવા ની શક્યતા છે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો.…
ઉનાળાની ગરમીમાં પણ રહો ઠંડા અને સ્ટાઇલિશ!, જાણો શું પહેરવું અને શું નહીં
ઉનાળાની ઋતુ તીવ્ર તાપમાન, લૂ અને પરસેવાથી ભરેલી હોય છે. પરંતુ યોગ્ય આઉટફિટની પસંદગીથી તમે આ ગરમીને પણ શૈલી અને આરામથી હાવી કરી શકો છો. થોડી સમજદારીથી તમે ન માત્ર પર્સનલ કમ્ફર્ટ જ રાખી શકો છો પણ સુંદર પણ લાગી શકો છો. ઉનાળામાં આવા કપડાં પહેરો 1. કૉટન, લિનન અને ખાદી ફેબ્રિક પસંદ કરો કૉટન જેવા કુદરતી ફેબ્રિક્સ ત્વચાને શ્વાસ લેવાની જગ્યા આપે છે. પરસેવો સરળતાથી શોષી લે છે, જેથી તાજગી અને ઠંડક રહે. 2. ફ્લોરલ પ્રિન્ટ અને પેસ્ટલ શેડ્સ પસંદ કરો આછા રંગો ગરમીને દૂર રાખે છે. ફ્લોરલ ડિઝાઇન લાઈટ ફીલિંગ આપે છે અને ફેશન ફ્રેન્ડલી પણ હોય છે. સફેદ, લાઈટ બ્લુ, પિંક, પિચ જેવા રંગો પસંદ કરો. 3. લૂઝ ફિટેડ કપડા પહેરો ઢીલા કપડાં…
પૂર્વ પાકિસ્તાની અધિકારીએ આ સિંગર પર ઉઠાવ્યા સવાલ, સિંગરે આપ્યો જડબાતોડ જવાબ
ગાયક અદનાન સામી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી વચ્ચે મૌખિક પગમારણ પરિસ્થિતિ સામે આવી છે. નવપ્રાપ્ત માહિતી મુજબ, ફવાદ ચૌધરીએ X (પૂર્વેનું ટ્વિટર) પર, તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાના નિર્દેશોને લઈને અદનાન સામીની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. ફવાદ ચૌધરીના આ પ્રશ્નના જવાબમાં અદનાન સામીએ એટલું કહ્યું હતું: “આ અભણ મૂર્ખને કોણ કહેશે!” અને આ સાથે તેમણે એક હસતો ઇમોજી પણ શેર કર્યો. આ સમયે, ગાયકની આ તાકાતદાર અને સ્પષ્ટ પ્રતિક્રિયાએ સોશિયલ મિડિયાની ચર્ચા તીવ્ર કરી દીધી છે. અદનાન સામીની આ પ્રતિક્રિયા એ તેની જાતિ અને નાગરિકતા વિષે ઉઠાવેલા પ્રશ્નો પર તરત જ એક જડબાતોડ જવાબ હતો. મશહૂર ગાયક અદનાન સામીએ 2015…
















