India: ત્રણેય સેનાદળોમાં મોટા ફેરફાર, નવા CISC અને નોર્ધન કમાન્ડને પણ મળશે નવા અધ્યક્ષ

ભારતીય સેનાઓ માટે 1 મે 2025 એક મહત્વપૂર્ણ તારીખ સાબિત થવાની છે. ત્રણેય દળોમાં (સેના, નૌસેના અને વાયુસેના) મહત્વપૂર્ણ પદો પર નવા અધિકારીઓની નિમણૂક થશે. વાયુસેનાને નવા નાયબ વડા મળશે, ત્રણેય દળોને મળશે નવો CISC, અને આર્મીના નોર્ધન કમાન્ડને પણ નવા ચીફ મળશે. 30 એપ્રિલે અનેક વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થશે, જે પછી નવી જવાબદારીઓ સોંપાશે.

એર માર્શલ નર્મદેશ્વર તિવારી બનશે વાયુસેનાના નવા ઉપાધ્યક્ષ
એર માર્શલ નર્મદેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા નાયબ વડા તરીકે 1 મેના રોજ પદભાર સંભાળશે. તેઓ વર્તમાન નાયબ વડા એસપી ધારકરનું સ્થાન લેશે, જે 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યાં છે. ધારકરએ 40 વર્ષથી વધુ સમય સેવામાં આપ્યાં છે. તિવારી હાલમાં ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના વડા છે. તેમની જગ્યા પર હવે તાલીમ કમાન્ડના વડાને નિયુક્ત કરવામાં આવશે.

એર માર્શલ આશુતોષ દીક્ષિતને મળશે ત્રણેય દળોના CISC પદનો કાર્યભાર
એર માર્શલ આશુતોષ દીક્ષિતને Chief of Integrated Defence Staff to the Chairman, Chiefs of Staff Committee (CISC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુનું સ્થાન લેશે, જે પણ 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે. CISC એ ત્રણેય સેનાદળો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરે છે અને Chief of Defence Staff (CDS) ની ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે. દીક્ષિત હાલ પ્રયાગરાજ ખાતે સેન્ટ્રલ એર કમાન્ડના વડા તરીકે ફરજ બજાવે છે અને તેઓ મિરાજ 2000 ફાઈટર જેટના અનુભવી પાયલટ છે. 1 મેના રોજ તેઓ નવી જવાબદારી સંભાળશે.

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા બનશે નોર્ધન કમાન્ડના નવા વડા
લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને ભારતીય સેનાની ઉત્તરીય કમાન્ડનું નેતૃત્વ સોંપાશે, જે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રમાં ચીન તથા પાકિસ્તાનની સરહદોની રક્ષા માટે જવાબદાર છે. તેઓ લેફ્ટનન્ટ જનરલ એમવી સુચેન્દ્ર કુમારનું સ્થાન લેશે. શર્મા હાલમાં આર્મી હેડક્વાર્ટર ખાતે Deputy Chief of Army Staff પદ પર છે. અગાઉ તેઓ મહાનિર્દેશક – લશ્કરી કામગીરી (DGMO) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તાજેતરમાં પેહલગામ હુમલાના પ્રકરણ બાદ તેઓ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે શ્રીનગરની મુલાકાતે ગયા હતા, જેનાથી તેમની ભૂમિકા ને વધુ મહત્વ મળ્યું છે.

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *