સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પસાર કર્યા અનેક મહત્વપૂર્ણ બિલ, FCRA સુધારા વિધેયક પર સૌની નજર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત હોબાળા અને વિરોધ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાના વિધાયી એજન્ડાને ઝડપથી આગળ ધપાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના વિરોધ છતાં સરકારે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના વિધેયકો પર વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી અને ગૃહમાં હંગામા વચ્ચે જ તેમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારનું આગામી લક્ષ્ય વિદેશી ફાળો નિયમન કાયદા (FCRA)માં સુધારા માટેનું વિધેયક માનવામાં આવી રહ્યું છે. સતત હોબાળાથી પ્રભાવિત થઈ રહી છે સંસદની કાર્યવાહી ચોમાસુ સત્રના શરૂઆતના દિવસથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર થતાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળની કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી…

ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણ’ના નવા યુગનો પ્રારંભ, આગામી સમયમાં સમગ્ર દેશમાં લાગુ થશે આ સિસ્ટમ

ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી એ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ કરારથી ફરિયાદોના નિવારણ…

રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં મચ્યો હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા

સોમવારે સંસદના બજેટ સત્રમાં ભારે હોબાળો થયો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી હોબાળો થયો. રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો, જેનાથી ગૃહમાં હોબાળો મચી ગયો. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ગૃહમાં પ્રકાશિત મેગેઝિનનો ઉલ્લેખ કરવા પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વાંધો ઉઠાવ્યો હતો, જે ગૃહના નિયમોની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનો સ્ત્રોત અધિકૃત છે અને તેમાં ભૂતપૂર્વ આર્મી જનરલ (એમએમ નરવણે) ના અપ્રકાશિત સંસ્મરણોના અવતરણોનો સમાવેશ થાય છે. પુસ્તક અંગે રાજનાથસિંહે શું કહ્યું ? સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું, “હું ઇચ્છું છું…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાયું આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદ ખાતે ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત અને પ્રખર વિદ્વાન ગૌતમભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘આદિ શંકર સમગ્ર’ (૧૫ ગ્રંથોની શ્રેણી)નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિમાં આદિ શંકરાચાર્યના પ્રદાન અને સસ્તું સાહિત્ય સંસ્થાના પુનરુત્થાન અંગે મહત્ત્વપૂર્ણ વિગતો આપતા કેન્દ્રીય ગૃ હમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાઓ માટે આંગળીના ટેરવે મળતું થયું છે, સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે. અમિત શાહે જણાવ્યું હતું કે, 117 વર્ષ જૂની સ્વામી અખંડાનંદની સંસ્થા ‘સસ્તું સાહિત્ય’ ફરી બેઠી થઈ છે. આગામી 50 વર્ષ સુધી ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસતી રહેશે. આ માટે ગૌતમભાઈ પટેલે આદિ…

અમિત શાહના હસ્તે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો કરાયો શિલાન્યાસ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધ એલ્કેમી ઑફ ક્યોર’ કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ કરાયું હતું. આ સમારંભમાં IPAના પ્રમુખ અને ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શાર્વિલ પટેલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું, જ્યારે ડૉ. રેડ્ડીના ચેરમેન સતીષ રેડ્ડીએ સ્વાગત પ્રવચન અને લુપિનના એમડી નીલેશ ગુપ્તાએ આભારવિધિ કરી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબનો શિલાન્યાસ; જાણો વિગત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ- 4” સુવિધાને ભારત સરકારની “BioE3 નીતિ” અંતર્ગત ‘નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી’ તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) એનાયત કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ…

ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા

ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાશે. જેમાં ગુજરાત ભાજપના સંગઠનને લઈને ચર્ચા થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આજે દિલ્હી ખાતેની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમની જાહેરાત થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ નવી ટીમમાં 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી સહિત 20 થી 25 હોદેદારો અને ચારે ઝોન માંથી એક એક પ્રદેશ મહામંત્રીની નિમણૂકની ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હીથી મંજૂરીની મહોર બાદ કમુરતા પહેલા નામ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત…

રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા શરૂ, જાણો શું કહ્યું અમિત શાહે

મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ચર્ચા યોજાઈ રહી છે. આ ચર્ચાની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું, “આ મહાન ગૃહમાં વંદે માતરમની ભાવના, તેની પ્રશંસા અને તેને અમર બનાવવા અંગે ચર્ચા થવી જોઈએ. આ ચર્ચા દ્વારા આપણા દેશના બાળકો, કિશોરો અને યુવાનોએ આવનારી પેઢીઓ માટે સ્વતંત્રતામાં વંદે માતરમના યોગદાનને યાદ રાખવું જોઈએ. વંદે માતરમની રચનામાં રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના, ભાવિ ભારતના નિર્માણમાં તેનું યોગદાન, આપણી ભાવિ પેઢીઓ પણ આ બધી બાબતોથી પ્રભાવિત થાય. તેથી, હું દરેકને અભિનંદન આપું છું કે આજે ગૃહમાં આ ચર્ચા થઈ રહી છે.” જ્યારે વંદે માતરમ પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે ગઈકાલે લોકસભામાં કેટલાક સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આજે વંદે…

ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ત્રણ વખત હુમલાઓની ઘટના બની છે અને મોદીજીએ ત્રણેય આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આજે અમિત શાહન ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ છે. જેમાં ગાંધીનગરમાં અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું. અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આજે પાકિસ્તાન ભારતથી ડરે છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 9 એવા સ્થળોનો નાશ કર્યો જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા. આપણી…

Pahalgam Terror Attack: આતંકી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. અમારે આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે દરેક સ્વરૂપમાં આતંકવાદની નિંદા કરીએ છીએ. આ પણ વાંચો: pahalgam attack: જમ્મુ-કાશ્મીર : ઉરી સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા તેમણે કહ્યું કે પહેલગામ ઘટના સાથે અમારો કોઈ સંબંધ નથી. આ ઘટના હોમગ્રોન છે. ફક્ત એક નહીં પણ ડઝનબંધ બળવા થયા છે. નાગાલેન્ડથી કાશ્મીર સુધી અને છત્તીસગઢથી મણિપુર સુધી, દિલ્હીના શાસન સામે બળવો થયો છે. આ ઘટના સ્થાનિક સ્તરે બની હતી. લોકો…