શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું
રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે જ સંયુક્ત શિક્ષણ નિયામકે એક પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શિક્ષકોને આવી કોઈ પણ કામગીરી સોંપવામાં આવી નથી. મીડિયામાં આવતા સમાચારોને લઈને કમિશનર શાળાઓની કચેરીએ સત્તાવાર રીતે પત્ર જાહેર કર્યો છે કે, જિલ્લા શિક્ષણાધિકારીઓને જે આદેશો અપાયા છે તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો કે કર્મચારીઓએ કૂતરાં ગણવાની કામગીરી કરવાની રહેશે. આ સૂચનાઓ માત્ર જાહેરહિતમાં અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે આપવામાં આવી હતી, જેને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. નામદાર…







