ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને કર્યું આહવાન, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન કરીને વરસાદી પાણીના વધુને વધુ સંચય તથા સંગ્રહથી જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેકટરોને આહવાન કર્યું છે. રાજ્યમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એ આ આહવાન કર્યું હતું કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વિભાગના સચિવ કાન્તારાવ તથા કેન્દ્ર સરકારના અન્ય અધિકારીઓ દિલ્હીથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ અને વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેકટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેકટરોએ પોતાના ક્ષેત્રોમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો…

સુરેન્દ્રનગરમાં ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ, જાણો વિગત

સુરેન્દ્રનગર જિલ્લાના ટોકરાળા ગામ નજીકથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ વ્યક્ત થઈ રહી છે. કેનાલની દીવાલમાં તિરાડો પડી જતા અને માળખું નબળું થવાને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદાની મુખ્ય કેનાલની દીવાલ તૂટી પડવાની ભીતિ ટોકરાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલનો એક ભાગ અત્યંત નબળો પડી ગયો છે. દીવાલમાં સ્પષ્ટ તિરાડો દેખાઈ રહી છે અને આખું માળખું જર્જરિત અવસ્થામાં છે. જો તાત્કાલિક સમારકામ નહીં થાય તો કેનાલની દીવાલ કોઈપણ સમયે તૂટી શકે છે. જો આવું બનશે તો લાખો લીટર નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફાટી નીકળશે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થશે અને ખેતરો બેટ (Flood Zone)માં ફેરવાઈ જશે. આ ઉપરાંત આસપાસની…