Summer Special: નાળિયેર પાણી કે તરબૂચનો રસ કયો વધુ લાભકારક?
ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ, થાક અને ડિહાઈડ્રેશન સામાન્ય બની જાય છે. આવા સમયમાં તાજું અને પૌષ્ટિક પીણું શરીરને તાજગી આપે છે અને ઊર્જાવાન બનાવે છે. આમ તો ગરમીમાં લોકો તડબૂચ, નાળિયેર પાણી, છાશ, મોસંબીનો રસ અને શેરડીના રસનો વધુ ઉપભોગ કરે છે, પરંતુ એક સામાન્ય પ્રશ્ન લોકોને રહેતો હોય છે નાળિયેર પાણી પીવું સારું કે તરબૂચનો રસ? ચાલો જાણીએ બંનેના ફાયદા અને ગેરફાયદાઓ વિગતે… તરબૂચના રસના ફાયદા શરીરને ઠંડક આપે: તડબૂચમાં 90%થી વધુ પાણી હોય છે, જે શરીરમાંથી વધારાની ગરમી દૂર કરે છે. ડિહાઈડ્રેશનથી બચાવે: ગરમીમાં વધુ પસીનાથી ઘટતું પાણી તરબૂચના રસથી પુનઃપ્રાપ્ત થાય છે. ત્વચા માટે ફાયદાકારક: વિટામિન A, C અને એન્ટી-ઑક્સિડન્ટ્સ ત્વચાને ચમકદાર અને હાઈડ્રેટેડ રાખે છે. પાચન માટે લાભદાયક:…
અથાણાના તેલનો ઉપયોગ કરી ભોજન બનાવો વધુ ચટાકેદાર અને મસાલેદાર
ઘણા વખતેઅથાણું ખતમ થયા પછી તેની બોટલમાં તેલ બચી જાય છે. મોટાભાગે લોકો આ બચેલા તેલને ફેંકી દે છે, પણ શું તમે જાણો છો કે આ તેલનો ઉપયોગ તમે તમારી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે કરી શકો છો? આજે આપણે જાણીએ છે કે અથાણાના તેલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો અને શું સાવચેતીઓ રાખવી જોઈએ. અથાણાના તેલનો ઉપયોગ કેવી રીતે કરશો? 1. મસાલા તરીકે ઉપયોગ કરો અથાણાંના તેલમાં પહેલાથી જ મસાલા મિશ્રિત હોય છે, જે ખોરાકમાં એક ખાસ તીખાશ અને ખુશબૂ ઉમેરે છે. દાળ, કઢી, શાકભાજી વગેરેમાં થોડું તેલ ઉમેરીને તમે તેમાંથી નવેસરથી સ્વાદ ઉમેરી શકો છો. 2. પરાઠા કે પુરીના લોટમાં ઉમેરો લોટ બાંધતી વખતે થોડું અથાણાનું તેલ ઉમેરો – તેનો સ્વાદ વધુ મજેદાર બનશે…
ઉનાળામાં ત્વચાને બનાવો ચમકદાર અને તાજી, માત્ર આ 4 જ્યુસથી મળશે કુદરતી તેજ
ઉનાળાની આકરો તાપમાન અને ગરમ પવનોના કારણે ત્વચા ઉપર તાત્કાલિક અને ખોટી અસર પડે છે. ચહેરા પર નિસ્તેજ દેખાવ, ડાઘ-ધબ્બા, સુકાશ અને ચમકમાં ઘટાડો ઉનાળાની સામાન્ય ત્વચા સમસ્યાઓ છે. ઘણીવાર લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને ક્રીમોનો ઉપયોગ કરે છે, પરંતુ ચોક્કસ પરિણામ મળતું નથી. ખાસ કરીને જ્યારે ત્વચાને અંદરથી પોષણ મળતું ન હોય ત્યારે બહારથી કરેલી મહેનત ફળીભૂત થતી નથી. તો ચાલો જાણી લઈએ આવા 4 કુદરતી અને તાજા પીણાં વિશે જે તમારા દૈનિક આહારમાં સામેલ કરીને તમે ત્વચાને અંદરથી પોષણ આપી શકો છો અને ઉનાળાની અસર સામે રક્ષણ મેળવી શકો છો. 1. ગાજર અને બીટરૂટનો રસ લાભ: ગાજરમાં રહેલા બીટા-કેરોટીન ત્વચાને સુધારવામાં મદદ કરે છે અને ડાઘ ધટાવે છે. બીટરૂટ લોહી શુદ્ધ કરે છે અને…
ઉનાળામાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, જાણો તેના વૈજ્ઞાનિક ફાયદા
રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલું છે અને તાપમાન 45°Cને પાર કર્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો ચક્કર આવવું, બેભાન થવું, લૂ લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તજજ્ઞોનું કહેવું છે કે આવા સમયે ઘરેલુ અને કુદરતી ઉપાય ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને કાચી ડુંગળીનું સેવન ગરમીથી બચાવવામાં ખૂબ લાભદાયી છે. શું છે કાચી ડુંગળીના આરોગ્યલાભ? 1. હીટસ્ટ્રોકથી રક્ષણ: ડુંગળી શરીરને અંદરથી ઠંડક આપે છે અને તાપમાન સહન કરવાની ક્ષમતા વધારે છે. ખાસ કરીને બપોરના ભોજનમાં તેનો ઉપયોગ લૂથી રક્ષણ આપે છે. 2. શરીરમાં પાણીની ઉણપ દૂર કરે: ડુંગળીમાં કુદરતી રીતે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે. ઉનાળામાં શરીરમાં પ્રવાહી નીકળી જાય છે ત્યારે ડુંગળી તેની પૂર્તિ કરે છે. 3. પાચનશક્તિ…
એક વાર ડાયટમાં એડ કરીને જુઓ આ લીલા પાન, શરીર રહેશે હેલ્ધી એન્ડ મજબૂત, જાણો ફાયદા
ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવી અને સ્વસ્થ રહેવું સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આવા સમયમાં કુદરતી રીતે લાભદાયક અને ઠંડક આપનારા પદાર્થોની માંગ વધી જાય છે. તેમા, ફુદીનો (Mint) એ એક એવો હરિત તત્વ છે જે માત્ર સ્વાદ અને સુગંધ પૂરતો સીમિત નથી, પણ આરોગ્ય માટે અનેક રીતે લાભદાયક સાબિત થાય છે. ફુદીનાના મુખ્ય ફાયદાઓ: બ્લડ પ્રેશર કંટ્રોલમાં મદદરૂપ ફુદીનામાં હાજર મેન્થોલ તત્વ રક્તપ્રવાહને નિયમિત કરવામાં મદદ કરે છે. અભ્યાસો પ્રમાણે, ફુદીનો 24 કલાકમાં સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર બંનેને ઘટાડવામાં અસરકારક સાબિત થયો છે. પાચનતંત્ર સુધારે અને અપચો દૂર કરે ફુદીનોમાં રહેલા નેચરલ તેલ અને એન્ઝાઇમ પાચનક્રિયાને તેજ બનાવે છે. તે પેટના દુઃખાવા, ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. શરદી અને…
કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા
લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા કેન્સર વિરોધી ઉપચારાત્મક તત્વ તરીકે માન્યતાપાત્ર બની ચૂક્યું છે. શું છે એલિસિન? એલિસિન એ લસણમાં રહેલું એક પ્રાકૃતિક ઓર્ગેનોસલ્ફર સંયોજન છે, જે લસણને ક્રશ કરવાથી અથવા ચપટી દેવાથી સક્રિય થાય છે. રિસર્ચ ગેટ અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો પ્રમાણે, એલિસિનમાં એવી ક્ષમતા હોય છે કે જે શરીરમાં કેન્સરજાત કોષોની વૃદ્ધિને અવરોધી શકે છે. તેથી લસણને પ્રાકૃતિક “એન્ટી-કેન્સર એજન્ટ” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. લસણના મુખ્ય ફાયદાઓ: 1. કેન્સર સામે રક્ષણ એલિસિન સહિતના ઓર્ગેનોસલ્ફર તત્વો કેન્સર કોષોની વૃદ્ધિને અટકાવે છે.…
2 May, World Asthma Day: શા માટે ઉજવાય છે આજનો દિવસ, ચાલો જાણીએ આજના દિવસ વિષે
દર વર્ષે 2 મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) ઉજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ, ડૉક્ટરો અને આરોગ્ય વિશેષજ્ઞો શ્વાસ સંબંધિત ગંભીર રોગ અસ્થમા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. આ દિવસ શ્વાસની સમસ્યાઓના કારણે જીવનની ગુણવત્તા પર પડતા પ્રભાવ અને તેનાથી બચવાના માર્ગો અંગે સમજ આપવાનો ઉદ્દેશ ધરાવે છે. અસ્થમાની વૈશ્વિક સ્થિતિ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, આજના સમયમાં વિશ્વભરમાં આશરે 30 કરોડ લોકો અસ્થમાથી પીડાતા છે. વર્ષ 2005માં અંદાજે 2,55,000 લોકોના મૃત્યુ અસ્થમા સામેની યોગ્ય સારવાર ન મળવાથી થયા હતા. અસ્થમાના કેસ ખાસ કરીને મધ્યમ અને નીચી આવક ધરાવતા દેશોમાં વધુ જોવા મળે છે, જ્યાં આરોગ્યસુવિધાઓ મર્યાદિત હોય છે. અસ્થમાના સામાન્ય લક્ષણો – સતત ઉધરસ (ખાસ કરીને રાત્રે)…
આંબાના પાન છે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, કરો આ રીતે ઉપયોગ
ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જુએ છે. આ પીળું રસદાર ફળ ખાવામાં એટલું સ્વાદિષ્ટ છે કે લોકો તેનાથી અનેક પ્રકારની વાનગીઓ બનાવે છે અને ખાય છે અને પીવે છે. મોટાભાગના લોકો કેરીના સ્વાદ અને ફાયદાઓથી વાકેફ છે, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર કેરીની સાથે તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ માનવામાં આવે છે. કેરીના પાનમાં વિટામિન એ, સી અને બી જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ પાંદડાઓમાં હાજર એન્ટીઑકિસડન્ટ અને ઔષધીય ગુણધર્મો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. કેરીના પાન ખાવાથી વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ સુધીની સમસ્યાઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે . ડાયાબિટીસ કેરીના પાનમાં હાજર એન્ટી-ડાયાબિટીક ગુણો બ્લડ સુગર લેવલને…
પ્રોટીન મેળવવા માટે હવે નોનવેજની જરૂર નથી: આ 5 વેજ ફૂડ ખાવાનું કરો શરૂ, મળશે ભરપૂર પ્રોટીન
હવે ફિટ અને હેલ્ધી રહેવા માટે નોનવેજ ખાવાની જરૂર નથી. આજે વધુ ને વધુ લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે અને સ્નાયુઓના વિકાસ માટે જરૂરી પ્રોટીન શાકાહારી આહારમાંથી મેળવવાના વિકલ્પોની શોધમાં છે. ખાસ કરીને જેમનો જીમ કરવો રૂટીનનો ભાગ છે, તે લોકો માટે સાચા પોષક તત્વોનો સમાવેશ જીવનશૈલીમાં કરવો અત્યંત જરૂરી છે. શોધ અને આહાર નિષ્ણાતોનું કહેવું છે કે ખૂબસૂરતીથી પસંદ કરાયેલ વેજિટેરિયન ફૂડ્સથી પણ પુરતું અને ગુણવત્તાવાળું પ્રોટીન મેળવી શકાય છે. અહીં એવા પાંચ શ્રેષ્ઠ વેજ ફૂડ્સ વિશે જણાવવામાં આવે છે જે જીમ પછી ખાવા માટે પરફેક્ટ છે અને તે નોનવેજના શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે: 1. મસૂર (લાલ દાળ) મસૂર પ્રોટીનથી ભરપૂર છે. એક કપ મસૂરમાં આશરે 19 ગ્રામ પ્રોટીન અને 15 ગ્રામ ફાઇબર…
મન ફાવે ત્યારે Dolo 650 લેતા હો તો ચેતજો! સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર
ભારતમાં Dolo 650 નામની ટેબ્લેટ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. તાવ કે શરીરના દુખાવા સમયે લોકો તેનું સેવન એટલી સહેલાઈથી કરે છે કે જાણે કે તે કોઈ સામાન્ય કૅન્ડી હોય. પણ શું તમે જાણો છો કે ડૉક્ટરની સલાહ વિના લેવાયેલી Dolo 650 તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે? Dolo 650 શું છે? Dolo 650 એ પેરાસીટામોલ આધારિત દવા છે, જે તાવ અને સામાન્ય દુખાવા માટે આપવામાં આવે છે. પણ એક નિશ્ચિત માત્રામાં અને ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ જ તેનું સેવન કરવું જોઈએ. Dolo 650ની આડઅસરો 1. અંતરડાને નુકસાન: જાતે જ દવા લેતા આંતરડાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 2. થાક અને નબળાઈ: કેટલાક…
















