શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!
ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ઉર્જાના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિનો ઉદય થયો છે—તે છે ‘ગ્રીન હાઈડ્રોજન’ (Green Hydrogen). ભારત સરકારે આ દિશામાં એક મહત્વાકાંક્ષી મિશન હાથ ધર્યું છે, જેનો ઉદ્દેશ્ય ભારતને આગામી દાયકાઓમાં ‘ગ્રીન હાઈડ્રોજન’ના વૈશ્વિક ઉત્પાદનનું હબ બનાવવાનો છે. ગ્રીન હાઈડ્રોજન શું છે અને તે ‘ગ્રીન’ કેમ છે? સામાન્ય રીતે હાઈડ્રોજન ઘણા સ્ત્રોતોમાંથી મળે છે, પરંતુ તેને ‘ગ્રીન’ ત્યારે જ કહેવાય છે જ્યારે તેનું ઉત્પાદન સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ રીતે થાય. ઉત્પાદન પ્રક્રિયા: ‘ઇલેક્ટ્રોલાઇઝર’ નામના મશીનનો ઉપયોગ કરીને પાણી (H₂O) માં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, જેનાથી તે…
NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.
નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક જેવી ગેરરીતિઓને રોકવા માટે, કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ભારતમાં ટેલિગ્રામ (Telegram) એપ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ ૨૨ જૂન, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. નિર્ણય પાછળનું મુખ્ય કારણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે કેટલીક અસામાજિક ટોળકીઓ ટેલિગ્રામ ચેનલોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને અને વાલીઓને છેતરવાનું કામ કરી રહી હતી. આ છેતરપિંડી કેવી રીતે થતી હતી? નકલી પેપર લીકનો ભ્રમ: ટેલિગ્રામના ‘મેસેજ એડિટ’ ફીચરનો દુરુપયોગ કરીને જૂના મેસેજમાં ફેરફાર કરી,…
ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું ભવ્ય આયોજન
ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત અનેક સ્થળોએ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરોનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી અને પારદર્શક રીતે પહોંચાડવાનો છે. તાજેતરમાં નડિયાદ, કપડવંજ અને મહેમદાવાદ તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલી શિબિરોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈને સરકારની સેવાઓનો લાભ મેળવ્યો હતો. નડિયાદ તાલુકાના આખડોલ ગામે જનકલ્યાણ શિબિર નડિયાદ તાલુકાના આખડોલ ગામે આવેલી પે સેન્ટર શાળા ખાતે આયોજિત શિબિરમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય…
રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન: 2.12 લાખ કિલો/લિટરથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીર સામે કાર્યવાહી
નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના મોટા જથ્થાની ચકાસણી કરીને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. મોટી માત્રામાં ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી તપાસ દરમિયાન કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્ય પદાર્થો પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સમાવેશ થાય છે: – ઘી: 39,787 કિલો – ખાદ્ય તેલ: 1,67,256.60 કિલો/લિટર – દૂધ અને દૂધજન્ય પદાર્થો: 675.40 કિલો – પનીર: 5,229 કિલો કરોડોના માલની ચકાસણી આ અભિયાનમાં કુલ અંદાજે ₹5.89 કરોડથી વધુ કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમાં ઘી, તેલ, દૂધ અને પનીરના વિવિધ બ્રાન્ડ તથા…
TAT 2026 પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર: હજારો ઉમેદવારો સફળ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી TAT 2026 પ્રાથમિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમો માટે એકસાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જઈ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકે છે. 1.47 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 1,47,584 ઉમેદવારોએ TAT પ્રાથમિક પરીક્ષા આપી હતી. પરિણામમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને સફળતા મળી છે અને વિવિધ સ્કોર બેન્ડ મુજબ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગુણ અનુસાર ઉમેદવારોની સંખ્યા જાહેર થયેલા આંકડા મુજબ: – 70થી વધુ ગુણ: 51,971 ઉમેદવાર – 80થી વધુ ગુણ: 34,644 ઉમેદવાર – 90થી વધુ ગુણ: 20,893 ઉમેદવાર – 100થી વધુ ગુણ: 10,876 ઉમેદવાર – 120થી વધુ ગુણ: 1,666 ઉમેદવાર મુખ્ય…
રાજ્યમાં શિક્ષકોનું આંદોલન જાહેર: 20 જૂન સુધી જિલ્લામાં ધરણા કાર્યક્રમો યોજાશે
રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાની માંગણીઓ લઈને આંદોલનના માર્ગે ઉતરવાના છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET (શિક્ષક પાત્રતા પરીક્ષા)માંથી મુક્તિ આપવાની મુખ્ય માંગ સાથે રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 20 જૂન સુધી તબક્કાવાર ધરણા કાર્યક્રમ શિક્ષક સંગઠનો દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર ધરણા યોજાશે. અલગ-અલગ તારીખે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવશે. શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ સહિતના સંગઠનો પોતાના સ્તરે અલગ-અલગ કાર્યક્રમો યોજીને આ મુદ્દે સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કરશે. TET ફરજિયાત નિર્ણયથી વધ્યો વિવાદ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત હોવાનો નિર્ણય આપ્યો છે. આ નિર્ણય બાદ વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા અંદાજે…
ACBની કાર્યવાહી: ૨૦૨૫માં ૨૧૩ ગુના, ૨૦૨૬માં જૂન સુધીમાં ૮૩ કેસ જાણો કયો વિભાગ કેટલો દૂષિત!
Special Report: પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને ઝીરો ટોલરન્સના મોટા-મોટા દાવાઓ વચ્ચે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB) દ્વારા જાહેર કરાયેલા આંકડા સરકારી બાબુઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારની વરવી વાસ્તવિકતા છતી કરે છે. ક્રમ કેસનો પ્રકાર અને વર્ષ મુખ્ય આરોપી અને હોદ્દો સરકારી વિભાગ લાંચ / અપ્રમાણસર રકમ (રૂ.) કેસની ટૂંકી વિગત / એક્શન રિપોર્ટ 1 સૌથી મોટો ટ્રેપ કેસ (વર્ષ ૨૦૨૬) મુકેશકુમાર મન બોધ્ધ કુમાર (સુપ્રિટેન્ડન્ટ, વર્ગ-૨) અને આકાશ રમેશભાઈ કલોલીયા (પ્રજાજન) કેન્દ્ર સરકાર (CGST, ડીવીઝન-૧, રાજકોટ) 20,00,000 જી.એસ.ટી. નંબર ભરવા તથા ખોટા બિલની અરજી પતાવવા ૨૫ લાખ માંગી, ૨૦ લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા. (દા.તા. ૨૯/૦૪/૨૦૨૬) 2 સૌથી મોટો ટ્રેપ કેસ (વર્ષ ૨૦૨૫) પેથાભાઈ કે. પટેલ (PI, વર્ગ-૨) અને વિપુલકુમાર દેસાઈ (કોન્સ્ટેબલ, વર્ગ-૩) ગૃહ…
નડિયાદ કોર્ટનો ચુકાદો: સગીરા પર અત્યાચાર ગુજારનાર સદામને ૨૦ વર્ષની સજા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ । યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ ॥ ( જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જ્યાં નારીનું અપમાન કે શોષણ થાય છે ત્યાં તમામ સત્કર્મો નિષ્ફળ જાય છે.) પંકજ મકવાણા – નડિયાદ: ખેડા જિલ્લાની નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે સમાજ માટે એક દાખલારૂપ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપીને એક ૧૬ વર્ષની માસૂમ સગીર દીકરીને વાલીપણામાંથી ભગાડી જઈ, તેની મરજી વિરુદ્ધ અવારનવાર નરાધમ કૃત્ય આચરનાર આરોપી સદામહુસેન યુસુફભાઈ મલેક (રહે. વરસોલા, કસબામાં, તા. મહેમદાવાદ) ને સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે તમામ ગુનાઓમાં કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. ૩૫,૦૦૦નો આકરો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર પીડિત…
કપડવંજ: અંતિસર ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન, ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
કપડવંજ: અંતિસર ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન, ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ કપડવંજ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, રાજ્યભરમાં ચાલી રહેલા ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત કપડવંજ તાલુકાના અંતિસર ગામે ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સુશાસન અને વિકાસનો સંકલ્પ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ શિબિર દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને યોજનાઓના અમલીકરણ અંગેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં જનભાગીદારી અને સુશાસન એ બંને મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વધુમાં, સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવી…
નડિયાદના આખડોલ ગામે ભવ્ય ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન: ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ
નડિયાદના આખડોલ ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન: ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ નડિયાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, નડિયાદ તાલુકાના આખડોલ ગામે આવેલી પે સેન્ટર શાળા ખાતે એક ભવ્ય ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ખાસ ઉપસ્થિતિ રહી હતી. સરકારનો મુખ્ય ઉદ્દેશ: જનકલ્યાણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારનો મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક વર્ગ સુધી વિકાસના ફળ પહોંચાડવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે આવી જનકલ્યાણ શિબિરો આ ઉદ્દેશને સિદ્ધ કરવા માટેનું એક અત્યંત અસરકારક માધ્યમ છે. તેમણે નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી. એક જ સ્થળે અનેક સુવિધાઓ આ શિબિરનો મુખ્ય…
















