ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ એમ ત્રણ મજબૂત હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. તેના પ્રભાવથી 2 અને 3 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રવિવાર (28 જૂન)થી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ ફેંકી હોવાનું પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ CISF, એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. લેન્ડિંગના અંતિમ તબક્કામાં પાઇલટે આપ્યો એલર્ટ માહિતી અનુસાર, 27 જૂન 2026ની રાત્રે લગભગ 9:56 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6511 સુરત એરપોર્ટ પર લેન્ડિંગ માટે અંતિમ તબક્કામાં હતી. તે સમયે પાઇલટે રનવે નજીકથી વિમાન તરફ સતત ગ્રીન લેઝર લાઇટ ફેંકાતી હોવાની નોંધ લીધી અને તરત જ ATCને જાણ કરી. પ્રાથમિક માહિતી મુજબ, લેઝર લાઇટ રનવે થ્રેશોલ્ડથી અંદાજે 7 નોટિકલ માઇલ દૂર અને સેન્ટર…

ફ્રાંસમાં સ્કાઈડાઈવર્સને લઈ જતું નાનું વિમાન ક્રેશ, 11 લોકોના મોતની આશંકા

ફ્રાંસના પૂર્વીય વિસ્તારમાં રવિવારે એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ છે. નાન્સી શહેર નજીક આવેલા ટોમ્બ્લેન વિસ્તારમાં સ્કાઈડાઈવિંગ માટે મુસાફરોને લઈ જતું એક નાનું વિમાન ટેકઓફ બાદ થોડા જ સમયમાં ક્રેશ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અંદાજે 11 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેકઓફ બાદ થોડા સમયમાં જ થયું અકસ્માત અહેવાલો મુજબ, વિમાનમાં સ્કાઈડાઈવિંગ માટે જઈ રહેલા લોકોનું એક જૂથ સવાર હતું. ટેકઓફ કર્યા બાદ થોડા જ સમયમાં વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી જમીન પર તૂટી પડ્યું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને ઇમરજન્સી મેડિકલ ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં…

રાશિફળ/29 જૂન 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારૂં અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે. કંઈપણ કરતા પહેલા તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો. શક્ય હોય તો તમારો મૂડ બદલવા ક્યાક બહાર જતા રહો. જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જાયી રહ્યા હો તો પૈસા સોચી વિચારી ને ખર્ચ કરો નહીંતર ધન હાનિ થયી શકે છે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે…

અંક જ્યોતિષ/29 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /29 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પૂર્ણિમા (પૂનમ) પૂર્ણ રાત્રિ નક્ષત્ર મૂળ +04:04 AM કરણ વિષ્ટિ ભદ્ર 04:19 PM પક્ષ શુક્લ યોગ શુક્લ 02:25 PM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:25 AM ચંદ્રોદય 07:11 PM ચંદ્ર રાશિ ધનુ સૂર્યાસ્ત 07:22 PM ચંદ્રાસ્ત +05:18 AM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ 01:57 PM વિક્રમ…

યુદ્ધ દરમિયાન ઈરાને વધારી સૈન્ય તાકાત! નવા ડ્રોન અને અપગ્રેડેડ મિસાઈલ સિસ્ટમ તૈયાર હોવાનો દાવો

અમેરિકા અને ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને માત્ર જવાબી હુમલાઓ જ નહીં કર્યા, પરંતુ પોતાની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે પણ સતત કામગીરી ચાલુ રાખી હતી. ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ દાવો કર્યો છે કે યુદ્ધ દરમિયાન જ નવી પેઢીના ડ્રોન અને અપગ્રેડેડ મિસાઈલ સિસ્ટમ વિકસાવીને સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, ઈરાને આ સંઘર્ષને માત્ર રક્ષણાત્મક યુદ્ધ તરીકે નહીં, પરંતુ સૈન્ય ટેક્નોલોજીને વધુ આધુનિક બનાવવાની તક તરીકે પણ ઉપયોગ કર્યો. યુદ્ધ દરમિયાન પણ ચાલુ રહ્યું રિસર્ચ બ્રિગેડિયર જનરલ અકરામિનિયાએ જણાવ્યું કે યુદ્ધ દરમિયાન ઈરાને સેના અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા ઉપયોગમાં લેવાતી મિસાઈલ સિસ્ટમમાં સુધારા કર્યા હતા. તેમણે કહ્યું કે જૂના હથિયારોનો ઉપયોગ ચાલુ રાખવાની સાથે સંશોધન અને…

સેશેલ્સમાં PM મોદીની મોરીશિયસના વડાપ્રધાન સાથે મુલાકાત, દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય સેશેલ્સ પ્રવાસ દરમિયાન રવિવારે મોરીશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા તેમજ દરિયાઈ સુરક્ષા, વેપાર, વિકાસ સહકાર અને લોકો વચ્ચેના સંબંધોને વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા બંને નેતાઓએ દરિયાઈ સુરક્ષા, ક્ષમતા નિર્માણ, વેપાર, વિકાસ સહકાર અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં ભારત અને મોરીશિયસ વચ્ચે ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ફરી મળવાનો અવસર મળ્યાનો PM મોદીનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું કે વર્ષના પ્રારંભમાં યોજાયેલી AI સમિટ બાદ હવે ફરી સેશેલ્સમાં મોરીશિયસના…

યુક્રેનનો રશિયા પર મોટો ડ્રોન હુમલો, ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ; અલગ-અલગ ઘટનાઓમાં 3ના મોત

રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રવિવારે યુક્રેને રશિયાના અનેક વિસ્તારોમાં લાંબા અંતરના ડ્રોન હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં દક્ષિણ રશિયાની એક મોટી ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી હતી. વિવિધ હુમલા અને સંબંધિત ઘટનાઓમાં કુલ ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. સ્લાવ્યાંસ્ક ઓઈલ રિફાઈનરીમાં લાગી આગ રશિયાના ક્રાસ્નોડાર ક્ષેત્રના ગવર્નરના જણાવ્યા અનુસાર, સ્લાવ્યાંસ્ક-ના-કુબાન શહેરમાં આવેલી ઓઈલ રિફાઈનરી પર યુક્રેની ડ્રોનનો કાટમાળ પડતા આગ ભભૂકી ઊઠી હતી. આ રિફાઈનરી દર વર્ષે અંદાજે 40 લાખ ટન ક્રૂડ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. આગ બાદ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. બીજી રિફાઈનરીને પણ બનાવાઈ નિશાન અહેવાલો અનુસાર, યુક્રેને રશિયાના યારોસ્લાવ વિસ્તારમાં આવેલી બીજી…

અમદાવાદમાં આવતીકાલે જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા, 108 કળશથી જળાભિષેક બાદ ગજવેશના થશે દર્શન

અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે અમદાવાદના જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાં આવતીકાલે (29 જૂન) પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગને લઈને મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં યોજાનારી આ જળયાત્રા દરમિયાન સાબરમતી નદીમાંથી પવિત્ર જળ લાવી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનો જળાભિષેક કરવામાં આવશે. સાબરમતીમાંથી ભરાશે 108 પવિત્ર કળશ જળયાત્રા નિજમંદિરથી પ્રસ્થાન કરીને સાબરમતી નદીના ભુદરના તટ સુધી પહોંચશે. અહીં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીતળના 108 કળશમાં પવિત્ર જળ ભરવાની વિધિ સંપન્ન થશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓ માથા પર કળશ ધારણ કરીને ભજન-કીર્તન, ઢોલ-નગારાં અને ગજરાજોની આગેવાનીમાં ભવ્ય શોભાયાત્રા સાથે મંદિર પરત ફરશે. સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠશે. 108 કળશથી ભગવાનનો થશે શાહી જળાભિષેક મંદિરમાં પહોંચ્યા બાદ…