ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અશ્વિનની ભારતીય કેપ્ટનને સલાહ, ‘રોહિતે ટીકાકારોને ચૂપ કરવા પડશે’

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને કહ્યું કે આઉટ ઓફ ફોર્મ રોહિત શર્મા માટે આ મુશ્કેલ સમય છે અને ભારતીય કેપ્ટને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પોતાની બેટિંગથી સારું પ્રદર્શન કરીને પોતાના ટીકાકારોને ચૂપ કરવાનો પ્રયાસ કરવો પડશે. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સ્પિનર ​​કહે છે કે રોહિત શર્મા હવે પોતાના ફોર્મને બચાવવાની સ્થિતિમાં નથી. -> ‘રોહિતના દૃષ્ટિકોણથી નિરાશાજનક’ :- રોહિતે ખરાબ ફોર્મને કારણે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટમાંથી પોતાને બહાર કરી દીધા હતા. એક મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરતા, તેણે ઇંગ્લેન્ડ સામે નાગપુર વનડેમાં ફક્ત બે રન બનાવ્યા. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘તે સરળ નથી.’ જો તમે રોહિતના દૃષ્ટિકોણથી જુઓ તો તે તેના માટે નિરાશાજનક છે. તે શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવા…

ડિપોર્ટેડ ભારતીયો સાથે પ્લેનમાં અમાનવીય વર્તન, ટોયલેટ જવા માટે પણ નહોતી ખોલી હથકડી

અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જાહેર કરાયેલા 104 ભારતીયોનું પહેલું જૂથ ભારત પરત ફર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં આ વાતની પુષ્ટિ કરી. તે બધા પંજાબના અમૃતસરમાં ઉતર્યા, જેમાં 72 પુરુષો, 19 મહિલાઓ અને 13 બાળકોનો સમાવેશ થાય છે. જોકે, અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ભારતીયો સાથે કરાયેલા અમાનવીય વર્તનની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. ઘણા મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવ્યો, અને અપમાનજનક સ્થિતિમાં દેશનિકાલ કરવામાં આવ્યો.. પરત ફરતા મુસાફરોએ મીડિયાને જણાવ્યું કે આખી મુસાફરી દરમિયાન તેમને હાથકડી અને બેડીઓથી બાંધવામાં આવ્યા હતા. લવપ્રીત કૌર જે તેના 10 વર્ષના પુત્ર સાથે પાછી આવી છે. તેમણે કહ્યું કે આખી મુસાફરી દરમિયાન અમને અમારા સ્થળેથી ખસવાની મંજૂરી નહોતી. જ્યારે મુસાફરોએ શૌચાલય જવાની પરવાનગી…

27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 28 બેઠકો પર આગળ છે.આ પહેલા 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સમયે ભાજપે 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બનાવ્યા હતા.દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીમાં AAPના પ્રદર્શન પર કટાક્ષ કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું- હજુ લડો અંદરો-અંદર… કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.. તો સીએમ આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસનો ફરીએકવાર દિલ્હીમાં ભારે રકાસ થયો છે.. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના પુત્ર સંદિપ દિક્ષિતે કહ્યું હતું કે અમે મુદ્દા ઉઠાવ્યા પરંતુ જનતાએ અમારા પર…

ખેડૂતો આનંદો! અરવલ્લીમાં શિયાળુ પાકને લઈ સિંચાઈ માટે પાણી છોડાયું

અરવલ્લીમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. જેમાં ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી છોડાયું અને ખેડૂતોને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે. માલપુર અને બાયડના ખેડૂતોને ફાયદો થશે. સાથે સાથે હાલમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકનું વાવેતર કરી રહ્યાં છે.ત્યારે જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.અરવલ્લીના ખેડૂતોની ઘણા સમયથી માગ હતી કે, શિયાળુ પાકને લઈ પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોની આ માગ પૂર્ણ થઈ છે. ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે જેમાં માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતા વધુ જમીનને ફાયદો થશે. ખેડૂતોના ઘઉં,ચણા, જીરું વરિયાળી અને દિવેલાના પાકમાં ફાયદો થશે. તો બીજી તરફ માલપુર અને બાયડ તાલુકાના 50 થી વધુ…

મહેસાણામાં વિદ્યાર્થિનીનો આપઘાત, શાળાએથી ઘરે આવ્યા બાદ લીધું અંતિમ પગલું

B INDIA મહેસાણા : મહેસાણાના ઉંટવામાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળાએથી ઘરે આવી અને રૂમમાં જઈ બારણું બાંધ કરી ગળે ફાંસો ખાધો હતો. 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી હતી. પોલીસ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. -> વિદ્યાર્થિનીનો આપઘાત :- ઉંટવા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય વિદ્યાર્થિની શાળાએથી ઘરે પરત આવ્યા બાદ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ હતી. દીકરીએ રૂમ બંધ કરતાં માતાને લાગ્યું કે દીકરી થાકી હોવાથી થોડીવાર આરામ કરવા દઉં. પણ માતાને ખબર જ ના રહી કે દીકરી થોડીવાર નહીં પરતું કાયમ માટે આરામના સફર પર નીકળી હતી. વારંવાર રૂમનો દરવાજો ખખડાવવા…

મોરબીમાં આવકવેરા વિભાગનો સપાટો, મીઠાની સહિતની કંપનીમાં ત્રાટકી

B INDIA મોરબી : મોરબીમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. મીઠા ઉદ્યોગ સહિત હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે દરોડા દરમ્યાન આઈટી વિભાગને અનેક બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ મોટી કરચોરી બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઈન્કમટેક્ષ વિભાગને દરોડા દરમ્યાન દાગીના તથા રોકડ રકમ મળી કુલ 50 લાખથી વધુની રકમ મળી આવી છે. મળતી માહિતી મુજબ દેવ ગ્રુપની અમદાવાદ સહિત જામનગર, માળિયા,મોરબી સહિતનાં 15 સ્થળો પર રાજકોટ અને અમદાવાદનાં અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ માળિયામાં આવેલ દેવ મીઠાની ફેક્ટરી તેમજ જામનગરમાં દેવ સોલ્ટ પર પણ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છ અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ દેવ ગ્રુપ ઓફ કંપનીમાં…

સુરતમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બે સગા ભાઈની કરાઈ ધરપકડ

B INDIA સુરત : સુરતનાં મંદિર-જૈન દેરાસરમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજસ્થાન ખાતેથી સુરતમાં કડીયાકામ અને છૂટક મજૂરી કરવા આવેલા બે સગા ભાઈઓ મંદિરોને ટાર્ગેટ કરી હતી. આરોપીઓ ચોરી કરતા હોવાની માહિતીના આધારે પોલીસે આંતરરાષ્ટ્રીય મંદિર ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા.અને તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે સુરતમાં થયેલી બે મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરતનાં એક જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી. વેસુ ગામ, મંદિર ફળિયામાં આવેલ આશાપુરી માતાના મંદિરના ગર્ભ-ગૃહમાંથી ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ, પંચધાતુનો મુગટ, છત્ર, ચાંદીની પાદુકા તેમજ મંદિરની દાન પેટીમાંથી રોકડ ચોરી કરનાર ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.હાલમાં તેઓ રોજીરોટી માટે રાજસ્થાનથી આવી સુરતમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.…

રાજયમાં ઠંડીનું ઘટયું જોર, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું છે. વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે,જેમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા માછીમારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. પ્રેસરગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ તો બીજી તરફ ઉત્તર પૂર્વથી પૂર્વ પવન રહેતા ઠંડીમાં ઘટાડો થશે સાથે સાથે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. -> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી,કંડલામાં 11.3 ડિગ્રી, ડીસામાં 11.8 ડિગ્રી,રાજકોટમાં 13.3 ડિગ્રી, કેશોદમાં 13.5 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 13.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી તાપમાન,પોરબંદરમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી,ભાવનગરમાં 16.5, દ્વારકામાં 16.8 ડિગ્રી તાપમાન…

મગફળીની ચાટ રેસીપી: બાળકો મગફળીની ચાટ સ્વાદ સાથે ખાશે, તે 5 મિનિટમાં તૈયાર થઈ જશે, પુષ્કળ પોષણ પણ આપશે

પીનટ ચાટ એક સરસ નાસ્તો છે જે દરેકને ગમે છે. ખાસ કરીને બાળકો ખૂબ જ સ્વાદથી મગફળી ખાતા જોવા મળે છે. ચાટ ભારતમાં ખૂબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, અને તેની ઘણી જાતો ઉપલબ્ધ છે. પીનટ ચાટ એ સ્વાદિષ્ટ અને ઝડપી ચાટમાંથી એક છે. ખાસ કરીને જેઓ કંઈક હળવું, મસાલેદાર અને પૌષ્ટિક ખાવા માંગે છે તેમના માટે આ એક ઉત્તમ નાસ્તો છે. મગફળીની ચાટ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી, પરંતુ તેમાં પ્રોટીન, ફાઇબર અને સ્વસ્થ ચરબી પણ ભરપૂર હોય છે, જે તેને સ્વસ્થ નાસ્તો બનાવે છે.મગફળીની ચાટની ખાસિયત તેનો મસાલેદાર અને તીખો સ્વાદ છે. લીંબુનો રસ, લીલા મરચાં, ડુંગળી અને ટામેટાંનું મિશ્રણ તેને તાજગીભર્યું અને સ્વાદિષ્ટ સ્વાદ આપે છે જે દરેકને ગમે છે. તમે તમારી પસંદગી…

સફાઈના ઉપાયો: શું તમારા શર્ટના કોલર અને સ્લીવ્ઝ પર ગંદકી ચોંટી ગઈ છે? આ 5 રીતે સાફ કરો, ગંદકી પળવારમાં દૂર થઈ જશે

શર્ટના કોલર અને સ્લીવ્ઝ પર ગંદકી જમા થવી એ એક સામાન્ય સમસ્યા છે, ખાસ કરીને ઉનાળામાં. પરસેવા અને ધૂળને કારણે આ સ્થળોએ ગંદકી જમા થાય છે, જે કદરૂપું દેખાય છે. જો શર્ટ યોગ્ય રીતે ધોવામાં ન આવે, તો આ ગંદકી થોડા સમયમાં હઠીલા ડાઘમાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે શર્ટ ધોવાની કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે શર્ટમાંથી આ ગંદકી સાફ કરવાની ઘણી રીતો છે. આમાં કેટલાક ઘરેલું ઉપચાર પણ શામેલ છે જેનાથી શર્ટ સરળતાથી ધોઈ શકાય છે. જો તમે તમારા શર્ટની નવી ચમક પાછી લાવવા માંગતા હો, તો તમે આ ટિપ્સ અજમાવી શકો છો. -> શર્ટ સાફ કરવા માટેની સરળ ટિપ્સ : બેકિંગ સોડા અને…