મોરબીમાં આવકવેરા વિભાગનો સપાટો, મીઠાની સહિતની કંપનીમાં ત્રાટકી

B INDIA મોરબી : મોરબીમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. મીઠા ઉદ્યોગ સહિત હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે દરોડા દરમ્યાન આઈટી વિભાગને અનેક બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ મોટી કરચોરી બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઈન્કમટેક્ષ વિભાગને દરોડા દરમ્યાન દાગીના તથા રોકડ રકમ મળી કુલ 50 લાખથી વધુની રકમ મળી આવી છે.

મળતી માહિતી મુજબ દેવ ગ્રુપની અમદાવાદ સહિત જામનગર, માળિયા,મોરબી સહિતનાં 15 સ્થળો પર રાજકોટ અને અમદાવાદનાં અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ માળિયામાં આવેલ દેવ મીઠાની ફેક્ટરી તેમજ જામનગરમાં દેવ સોલ્ટ પર પણ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છ

અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ દેવ ગ્રુપ ઓફ કંપનીમાં વહેલી સવારે રાજકોટ, અમદાવદની ઈન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એસજી હાઈવે પર આવેલા એક બિલ્ડિંગમાં દેવ સોલ્ટ પ્રાઈવેટ લિ. ની ઓફીસમાં ઈન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે.

દેવ સોલ્ટ પ્રા. લિ. જામનગરનું મોટું ગ્રુપ છે. છેલ્લા 30 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ દેવ ગ્રુપ સિવાય મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે.એન્ટરપ્રાઈઝ તેમજ અરહિંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટનાં ધંધા સાથે સંકળાયેલા દેવેન્દ્ર ઝાલા, વિમલ કિર્તીભાઈ કામદાર, વિવેક સોમાણી તેમજ રૂપલ કિરણ વ્યાસને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, રાજકોટ સહિતનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *