મહેસાણામાં વિદ્યાર્થિનીનો આપઘાત, શાળાએથી ઘરે આવ્યા બાદ લીધું અંતિમ પગલું

B INDIA મહેસાણા : મહેસાણાના ઉંટવામાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળાએથી ઘરે આવી અને રૂમમાં જઈ બારણું બાંધ કરી ગળે ફાંસો ખાધો હતો. 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી હતી. પોલીસ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

-> વિદ્યાર્થિનીનો આપઘાત :- ઉંટવા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય વિદ્યાર્થિની શાળાએથી ઘરે પરત આવ્યા બાદ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ હતી. દીકરીએ રૂમ બંધ કરતાં માતાને લાગ્યું કે દીકરી થાકી હોવાથી થોડીવાર આરામ કરવા દઉં. પણ માતાને ખબર જ ના રહી કે દીકરી થોડીવાર નહીં પરતું કાયમ માટે આરામના સફર પર નીકળી હતી. વારંવાર રૂમનો દરવાજો ખખડાવવા છતાં ના ખોલતાં માતાને ફાળ પાડી. અને લોકોની મદદથી દરવાજો ખોલ્યો. ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ માતા પણ આઘાતમાં સરી પડી હતી. કારણ કે દિકરીએ શાળાએથી પરત આવ્યા બાદ રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

-> પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી :- રાજ્યમાં થોડા જ સમયમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષા યોજાશે. કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીના અભાવે દબાણ અનુભવતા નાપાસ થવાના ડરે આત્મહત્યાનું પગલું ભરે છે. ત્યારે આ વિદ્યાર્થિનીએ કયા કારણસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસ તપાસ હાથ ધરી છે.

Related Posts

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *