મહેસાણામાં વિદ્યાર્થિનીનો આપઘાત, શાળાએથી ઘરે આવ્યા બાદ લીધું અંતિમ પગલું

B INDIA મહેસાણા : મહેસાણાના ઉંટવામાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળાએથી ઘરે આવી અને રૂમમાં જઈ બારણું બાંધ કરી ગળે ફાંસો ખાધો હતો. 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી હતી. પોલીસ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

-> વિદ્યાર્થિનીનો આપઘાત :- ઉંટવા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય વિદ્યાર્થિની શાળાએથી ઘરે પરત આવ્યા બાદ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ હતી. દીકરીએ રૂમ બંધ કરતાં માતાને લાગ્યું કે દીકરી થાકી હોવાથી થોડીવાર આરામ કરવા દઉં. પણ માતાને ખબર જ ના રહી કે દીકરી થોડીવાર નહીં પરતું કાયમ માટે આરામના સફર પર નીકળી હતી. વારંવાર રૂમનો દરવાજો ખખડાવવા છતાં ના ખોલતાં માતાને ફાળ પાડી. અને લોકોની મદદથી દરવાજો ખોલ્યો. ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ માતા પણ આઘાતમાં સરી પડી હતી. કારણ કે દિકરીએ શાળાએથી પરત આવ્યા બાદ રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

-> પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી :- રાજ્યમાં થોડા જ સમયમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષા યોજાશે. કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીના અભાવે દબાણ અનુભવતા નાપાસ થવાના ડરે આત્મહત્યાનું પગલું ભરે છે. ત્યારે આ વિદ્યાર્થિનીએ કયા કારણસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસ તપાસ હાથ ધરી છે.

Related Posts

A4નિયમ: જિલ્લા અદાલતોમાં આજથી મોટા ફેરફાર : લીગલ સાઈઝ ને બદલે હવે A4 પેપરનો ઉપયોગ ફરજિયાત!

B india અમદાવાદ : ગુજરાતના જિલ્લા ન્યાયતંત્રમાં આજથી એટલે કે 10 ઓગસ્ટ, 2026થી A4 સાઈઝના પેપરનો નવો નિયમ અમલમાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા અદાલતોમાં દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે A4 પેપર ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયને લઈને રાજ્યભરના વકીલોમાં ચર્ચા અને વિરોધ જોવા મળ્યા હતા, પરંતુ તાજેતરના સુધારેલા પરિપત્ર બાદ પણ A4 પેપરની મૂળભૂત જોગવાઈ યથાવત રાખવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના સુધારેલા પરિપત્ર મુજબ જિલ્લા અદાલતોમાં વિવિધ પ્રકારના કોર્ટ દસ્તાવેજો હવે નિર્ધારિત ફોર્મેટ મુજબ રજૂ કરવાના રહેશે. તેમાં પિટિશન, અપીલના મેમોરેન્ડમ, અરજીઓ, પ્લીડિંગ્સ, કોર્ટના ઓર્ડર અને જજમેન્ટ સહિતના મહત્વના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યના જિલ્લા ન્યાયતંત્રમાં દસ્તાવેજોના કદ, પ્રિન્ટિંગ અને રજૂઆતમાં એકરૂપતા લાવવાનો હોવાનું માનવામાં આવે…

Major Fire 2026 At Gandhinagar New Sachivalaya : સચિવાલયના બ્લોક 9 માં શોર્ટ સર્કિટના કારણે આગ

Fire ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. બેઝમેન્ટમાં રાખવામાં આવેલા રેકોર્ડ બળીને ખાક થયા હોવાની માહિતી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ગાંધીનગરના નવા સચિવાલયમાં આગથી અફરાતફરી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9માં આગ Fire લાગવાની ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં લાગી હતી. બેઝમેન્ટમાં આગ ઝડપથી ફેલાતા ત્યાં રાખવામાં આવેલા રેકોર્ડને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓની કામગીરી બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. આગની ઘટના બાદ સચિવાલય પરિસરમાં સુરક્ષા અને આગના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *