Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે ગુજરાત વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, આદિજાતિ, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થનાર છે. વન અને પર્યાવરણ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તથા ક્લાઈમેટ ચેન્જની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત બિન સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થનાર છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી આ ઉપરાંત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ લઘુમતિ કલ્યાણ અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય હાર્દિક પટેલ રાજ્ય રમતવીર પ્રોત્સાહક વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા આરોગ્ય અધિકાર વિધેયક…

Ahmedabad : અમદાવાદમાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં, સરખેજમાં ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર

અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. બુટલેગરોના ગેરકાયદેસર મકાનો પર ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સંકલનથી ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. યાદી મુજબ એક બાદ એક તમામ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. ઉજાલા સર્કલ પાસે રહેતા બુટલેગરોનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો :- રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ સરખેજ ઉજાલા સર્કલ ખાતે રહેતા પાંચ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી. યાદી મુજબ પાંચ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ પાંચ બુટલેગરો સામે સૌથી વધારે ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની…

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ

અમદાવાદના નરોડામાંથી નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે. જેમાં નરોડામાં નકલી ડોક્ટર નકલી હોસ્પિટલ ચલાવતો હતો. મળતી માહિતી મુજબ, નકલી ડોક્ટર દ્વારા થ્રી સ્ટાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જેમાં ICU અને ટ્રોમસેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા હોસ્પિટલના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી ડિગ્રી વગરનો ડોક્ટર અને રજિસ્ટ્રેશન વગર ચાલતી સમગ્ર હોસ્પિટલનું તંત્ર ચાલતું હતું. જેમાં દર્દીઓને ખોટી રીતે એડમિટ બતાવી મેડિક્લેમ પકવતો હતો. આ ઘટનામાં વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખુલી હતી. જેના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ…

Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી

રાજ્યમાં પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે. તો બીજી તરફ બે દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે સાથે સાથે બે જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની પણ શકયતા સેવાઈ રહી છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ આવતીકાલથી વધી શકે છે ગરમી :- આગામી 4 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી છે. હાલમાં ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 19 એપ્રિલ પછી રાજ્યમાં…

Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હિંદુ યુવતીના નગ્ન ફોટા પાડીને તેણીને બ્લેકમેઇલ કર્યા બાદ વારંવાર રેપ કરનાર આરોપીને કોર્ટે બળાત્કારના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો. અને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખનો દંડ કરતો હુકમ કર્યો હતો. આ પણ વાંચો :- Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર આ કેસની વિગત મુજબ વેસુ વિસ્તારમાં રહેતી તેમજ ધો. ૧૨માં અભ્યાસ કરતી સગીરાની મુલાકાત સ્કૂલમાં જ અભ્યાસ કરતા અને ઘોડદોડ રોડ ઉપર ડિવાઇન સ્કૂલની પાસે લવલી પાર્કમાં રહેતા અશદ અલ્તાફ વિરાની તેમજ આર્યન મહેતાની સાથે થઈ હતી. આ દરમિયાન સગીરા અને અશદ વચ્ચે પ્રેમ થયો હતો અને અશદે સગીરાના નગ્ન ફોટા પાડીને તેને બ્લેકમેઇલ કરવાનું…

Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

સુરતના ઉધનામાં ક્રેન તૂટી પડવાતા એક શ્રમિકનું મોત થયું છે. ખાડી બ્રિજ નજીક કામીગીર કરતાં અચાનક ક્રેન તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું અને એક વ્યક્તિની ગંભીર ઇજાઓ પંહોચી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.ઉધનામાં ખાડી બ્રિજ નજીક સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. ખાડીની સફાઈ કરવા ક્રેન જેવા મોટા મોટા સાધનો મંગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે ખાડીની સફાઈ કામગીરી કરતાં અચાનક ક્રેનનો ભાગ તૂટી પડ્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ ક્રેનનો ભાગ તૂટતા ત્યાં કામ કરનાર શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ક્રેન તૂટતા બે શ્રમિકોને વધુ અસર થઈ. દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું છે. જ્યારે એક…

શશી થરૂરને હવે પોતાની ભૂલ સમજાઇ, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની કરી હતી આલોચના

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની તટસ્થ નીતિ સામેના તેમના અગાઉના વાંધાના સંદર્ભમાં હવે નવી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વીકાર્યું કે ભારતની નીતિ પર તેમની અગાઉની ટીકા ખોટી સાબિત થઈ અને આજના સંજોગોમાં આ નીતિ સફળ થતી દેખાય છે. તેમણે કહ્યું, ‘હું હજુ પણ મારા ચહેરા પરનો ડાઘ લૂછી રહ્યો છું, કારણ કે ફેબ્રુઆરી 2022 માં સંસદીય ચર્ચામાં હું એકમાત્ર વ્યક્તિ હતો જેણે આંતરરાષ્ટ્રીય ચાર્ટર અને સિદ્ધાંતોના ઉલ્લંઘનના આધારે ભારતના વલણની ટીકા કરી હતી.. આ પણ વાંચો :- નાગપુર હિંસાનો માસ્ટર માઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન, 400થી 500 લોકોનું ટોળું એકઠું કર્યુ હતું રાયસીના ડાયલોગ દરમિયાન બોલતા શશિ થરૂરે કહ્યું કે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે ભારતના વલણની ટીકા કરી હતી અને…

નાગપુર હિંસાનો માસ્ટર માઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન, 400થી 500 લોકોનું ટોળું એકઠું કર્યુ હતું

નાગપુરના ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં તોફાનીઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં આ ઘટનાના માસ્ટરમાઇન્ડનો ખુલાસો થયો છે. એફઆઈઆર મુજબ, માઈનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) ના શહેર પ્રમુખ ફહીમ શમીમ ખાનના નેતૃત્વમાં 50 થી 60 લોકોએ પોલીસ સ્ટેશન પર ગેરકાયદેસર રીતે ભીડ એકઠી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના લોકોએ ગાંધી ગેટ પાસે છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા સામે વિરોધ પ્રદર્શન કર્યું, ઔરંગઝેબની સમાધિ સામે સૂત્રોચ્ચાર કર્યા અને ઔરંગઝેબના પ્રતીકાત્મક પૂતળાનું દહન કર્યું, જેના વિરોધમાં ફહીમ શમીમના નેતૃત્વમાં લોકોનું ટોળું એકઠું થયું હતુ આ પણ વાંચો :- મારી એકમાત્ર ચિંતા..’, સૌરવ ગાંગુલી કહે છે કે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ સાથે શું ખોટું થઈ રહ્યું છે આ લોકોની લેખિત વિનંતી પર, ઔરંગઝેબનો વિરોધ કરી રહેલા 9 લોકો સામે કલમ 223 IPC…

‘મારી એકમાત્ર ચિંતા..’, સૌરવ ગાંગુલી કહે છે કે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ સાથે શું ખોટું થઈ રહ્યું છે

ગત વર્ષે ભારતીય ટીમને ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શનને કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓની ઘણી ટીકા થઈ હતી. તે જ સમયે, હવે ભારતીય ટીમે તેની આગામી ટેસ્ટ શ્રેણી જૂનમાં રમવાની છે. ભારતે જૂનમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચ રમવા જશે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે શું ભારત ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરી શકશે? ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ સંદર્ભમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે અને તે મુદ્દો ઉઠાવ્યો છે જે તેમના મતે ભારતીય ટેસ્ટ ટીમમાં હાલમાં સૌથી મોટી ચિંતાનો વિષય છે.…

IPL 2025: જો હાર્દિક પંડ્યા નહીં, તો CSK સામે MIની કેપ્ટનશીપ કોણ કરશે? નામ જોઈને તમે ચોંકી જશો

IPL 2025 22 માર્ચથી શરૂ થઈ રહી છે, પરંતુ લાખો લોકોની પ્રિય મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 23 માર્ચે MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટૂર્નામેન્ટની તેની પ્રથમ મેચ રમશે. હાર્દિક પંડ્યા મહત્વની મેચમાંથી ગેરહાજર રહેશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે CSK સામે ટીમનું નેતૃત્વ કોણ કરશે? જો તમને પણ આવો જ સવાલ હોય તો હાર્દિક પંડ્યાએ પોતે જ તેનો જવાબ આપ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પત્રકાર પરિષદમાં પ્રશ્નોના જવાબ આપતા પંડ્યાએ કહ્યું કે તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ ટીમની બાગડોર સંભાળશે. હાર્દિક પંડ્યા CSK સામે કેમ નહીં રમે? :- હવે સવાલ એ ઉઠે છે કે હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ હોવા છતાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં કેમ ઉતરશે નહીં? તો અમે આનો જવાબ લઈને…