ગોષ્ઠિ ગુજરાતની

કોવિડ વખતે ચમકેલાં જયંતી રવિ ફરીવાર માધ્યમોમાં દેખાયાં, પણ સંબોધન ન કર્યું કોરોનાકાળ વખતે દરરોજ ગુજરાતનાં તત્કાલીન આરોગ્ય સચિવ જયંતી રવિ દિવસમાં લગભગ ત્રણથી ચાર વખત મીડિયા બ્રીફિંગ માટે આવતાં હતાં. કોરોનાને લઈને સરકારે લીધેલાં પગલાંની માહિતી તેઓ નિયમિત સમાચાર માધ્યમો સમક્ષ રજૂ કરતાં હતાં. તે વખતે ગુજરાત સરકારનાં આ આઈએએસ અધિકારી ઘર ઘરમાં ખૂબ જાણીતાં થઈ ગયાં હતાં. પરંતુ કોરોના કાળ પૂરો થતાં જ સરકારે તેમની બદલી કરી ગેમને પુરુચેરીના અરવિંદ આશ્રમમાં સચિવ તરીકે મુક્યાં હતાં. તે પછી તેઓ ગત ઓગસ્ટ માસમાં ગુજરાત સરકારમાં એટલે કે તરીકે ફરજ બજાવે છે. જો કે તે અંગે જાહેર જનતાને ખાસ ખ્યાલ ન હતો. પરંતુ પાછલા સપ્તાહે જયંતી રવિ ફરીથી સમાચાર માધ્યમોમાં જોવા મળ્યાં. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં…